________________
સાતમું પદ
૧૬૫ ફરે છે, પણ જીવની વાત તેથી ઉલટી જ છે. તેને જ્યારે આશારૂપ દેરડાથી બાંધ્યું હોય છે ત્યારે તે આખી દુનિયામાં ફર્યા કરે છે, પણ જ્યારે તેને છૂટે કરવામાં આવ્યું હોય છે ત્યારે તે એક જ સ્થાનકે રહે છે. કહેવાની મતલબ એ છે કે આશાના પાશથી બંધાયેલ પ્રાણી અનેક મતલબ માટે કર્મબંધન કરી સંસારમાં રખડે છે અને તેનાથી મુક્ત થાય છે કે તુરત મેક્ષમાં જઈ એક સ્થાનકે નિરંતરને માટે રહે છે. જંજીરના બંધનમાં અને આશાપાશના બંધનમાં આટલે બધે વિરોધ છે.
આશા એ એવી વસ્તુ છે કે એને પૂરતે ખ્યાલ આવી મુશ્કેલ છે. એ આ જીવને આખા સંસારમાં રઝળાવે છે. આ સંસારમાં ખરેખર ટટળાવી રાખનાર આશા છે, ગરીબ હોય છે તે ધનવાન થવાની આશા રાખે છે, માંદે સાજા થવાની આશા રાખે છે, વંધ્યા પુત્ર થવાની આશા રાખે છે, નેકર પગાર વધવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે અને એમને એમ ટીંગાઈ રહી આજકાલ કર્યા કરે છે, પણ એ વસ્તુને વગર પ્રયાસે મેળવી આપનાર શુદ્ધ આચરણ કરવાની અને લાભાંતરાય તેડવાની ઈચ્છા થતી નથી, માત્ર ધન મેળવવાની આશામાં પ્રાણી કેટલા બધા પ્રયાસ કરે છે તે વિચારીએ તે કંપારી છૂટે તેમ છે; તે પર્વત પર્વત ભમે છે, દૂર દેશમાં મુસાફરી કરે છે, ગમે તેવું જોખમ ખેડે છે, ટાઢ તડકો સહન કરે છે, મૂખ શેઠીયાઓની ખુશામત કરે છે, કુદરતના નિયમ વિરુદ્ધ રાતદિવસ યંત્રની માફક કામ કર્યા કરે છે, ભૂખ્યા રહે છે, કાલાવાલા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે–ટૂંકામાં જે જે કાર્ય કરી શકાય તે તમામ આ જીવ ધનને માટે કરે છે. અંતે તે નશીબમાં હોય–અંતરાય કર્મને ક્ષયપશમ હોય તેટલું જ મળે છે, કૂવામાં કે દરિયામાં ઘડે લઈ ડુબકી મારે પણ ઘડામાં જેટલું સમાય તેટલું જ જળ આવે છે, ઘડાની અંદર સમાસ હોય તેટલું જ જળ તેમાં આવી શકે છે, પણ આ જીવ વધારે મળશે, વધારે મળશે, એવી મસ્ત મગજની ખુમારીમાં દેડ્યો જ જાય છે, અનેક પ્રકારનાં કર્મબંધન કરે છે, માનસિક પરિવર્તનને આધીન થાય છે અને સંસારમાં રખડે છે. આશાના પાશમાં બંધાયેલ છવની સ્થિતિ બહુ વિચિત્ર થઈ પડે છે.
કઈ પણ કાર્ય કરતી વખતે તેનાં ફળની અપેક્ષા રાખવી ન જોઈએ; એથી કાર્ય કરવામાં એક જાતની સરળતા અને શાંતિ આવી જાય છે અને અનિર્વચનીય સ્વાત્મસંતેષ થાય છે. ધાર્મિક કાર્યમાં પણ નિરાશી ભાવ નિરંતર રાખવું જોઈએ. અમુક ફળાપેક્ષા રાખીને કરેલ ધાર્મિક કાર્ય પણ તથાવિધ ફળ આપતું નથી અને તેથી શાસ્ત્રકારો પીગલિક ફળને ઉદ્દેશીને કરાતાં ધર્મકાર્યને લકત્તર મિથ્યાત્વ કહે છે. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે “તારે કર્મ કરવાનો અધિકાર છે, ફળવિચારણને કદિ પણ નથી.” જ્યારે નિરાશીભાવ પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવને કર્મબંધન ઓછું થાય છે, કર્મનિર્જરા ઘણી થાય છે અને છેવટે તે મેક્ષમાં જઈને બેસે છે; જ્યાંથી પછી કદિ પણ પાછું સંસારચક્રમાં આવવું પડતું નથી, જ્યાં એકાંત સુખ છે અને જ્યાં નિશ્ચિત સ્થિરતા છે. આશા પાશથી
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal use only.