________________
૧૬૪
શ્રી આનંદઘનજીના પદો પણું પ્રાપ્ત થાય, ગોત્ર કમને ક્ષય થવાથી અગુરુલધુત્વ પ્રાપ્ત થાય અને અંતરાય કર્મને ક્ષય થવાથી અનંત બળ પ્રગટ થાય. આ સાધ્ય તેને બહુ જલદીથી પ્રાપ્ત થાય. સર્વ સુખની પરાકાષ્ટારૂપ ગીનું આ લક્ષ્યસ્થાન, પ્રાપ્ત કરવા ગ્ય અધિકાર, તે માર્ગદર્શક ગુરુને વેગ અને એ વિષયમાં અપૂર્વ રુચિ પ્રાપ્ત થાય ત્યારે દેહદેવળરૂપ મઠમાં વાસ કરનાર બાલુડો સંન્યાસી પિતાનું અનંત સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરે એ હકીકત બહુ આકર્ષક છે, આનંદ ઉપજાવનારી છે અને પરિણામે મહાપ્રયાસનું તદનુરૂપ સર્વોત્કૃષ્ટ ફળ આપનારી છે.
સમાસી શબ્દને બીજો અર્થ કરતાં ઉપર પ્રમાણે તેનું કામ થાય છે અને તેથી સ્વસ્વરૂપમાં છેવટે સમાઈ જશે એટલે તેનું સ્વરૂપ પ્રગટ થશે. અર્થ લગભગ એકને એક જ રહે છે. આવી રીતે જ્યારે યોગમાર્ગ પ્રાપ્ત થયું છે ત્યારે તે માર્ગે ચાલી તારું સ્વરૂપ સિદ્ધ કર અને તારાં કાર્યોનું શું ફળ બેસે છે એ જે. એ માગે ગમન કરતાં તને બહુ હર્ષ થશે અને જે કે તે તારાં કાર્યો ફળની ઈરછા વગર ક્યાં હશે અને તેમ જ યેગીએ કરવું જોઈએ, છતાં પણ તેનાં અનિવાર્ય પરિણામ તરીકે તને કાર્યની પૂર્ણતા પરમાત્મપદમાં તારે સમાવેશ થવામાં જણાઈ આવશે; માટે હવે અન્ય સર્વ નકામી નિષ્ફળ પ્રવૃત્તિ મૂકી દઈ દેહદેવળરૂપ મઠમાં વાસ કરી સંન્યાસીને પાઠ ભજવ જેથી તારી સર્વ ઉપાધિઓ હંમેશને માટે દૂર ખસી જાય અને તું અત્યુત્કૃષ્ટ શાંતિસામ્રાજ્યના મંદિરમાં નિરંતરને માટે વિલાસ કરે.
પદ ૭ મું-સાખી. ના શાણા મંત્રી , જતિ કwટી મો;
झकर्यो धावत जगतमें, रहे छूटो इक ठोर. “હે જીવરૂપ મોરલા! આ જગતમાં આશારૂપ બંધન-નાડાની રીત તદ્દન વિપરીત છે, તેના વડે કેઇને ઝકડ્યો–બાંધ્યું હોય ત્યારે તે દુનિયામાં દેખાદેડ કરે છે અને તેનાથી છૂટો કર્યો હોય ત્યારે તે એક સ્થાનકે રહે છે. ”
જંજીર=હાથીને પગે બાંધવાનું નાડું-દોરડું, તે સુતરનું હોય છે અને બહુ જાડું તથા મજબૂત હોય છે. આ નાડાવડે હાથીને પાછલે પગ બંધાય છે. બીજો અર્થ જંજીર એટલે બેડી-સાંકળ પણ થાય છે, પણ અત્ર બંધન અર્થ વધારે સમીચીન લાગે છે.
ભાવ-આ જીવરૂપ મયૂરને ઉદ્દેશીને જે કહે છે તે નાની વાત પણ બહુ સમજવા જેવી છે. સામાન્ય નિયમ છે કે, જ્યારે હાથીને દોરડાથી બાંધ્યું હોય છે ત્યારે તે એક સ્થાનકે કેદખાનાની જેમ હાથીથાનમાં પડ્યો રહે છે, પણ જ્યારે તેને છૂટે કરવામાં આવ્યું હાય એટલે દોરડું છોડી નાખ્યું હોય ત્યારે તે આખા જગતમાં મરજી આવે ત્યાં દેડત
*કુલતદન. મોર=અવરૂપ મોરલે. ઝકર્યો=બાંધ્યો. કઈ પ્રતમાં જકશબ્દ છે. ઇક ઠોર એક ઠેકાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org