SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું. પદ્મ ૧૬૩ માટે આવા અનંત ગુણા જ્યારે આપણા પેાતામાં જ છે તે તે કયા ગુણા છે તે અન્ય ગુણવાન મનુષ્યામાંથી શોધી કાઢી, પોતાનામાંથી જ ખાળી કાઢવા અને તેને પ્રગટ કરવા પ્રયાસ કરવેશ. આ આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વને પ્રકાશ કરનાર છે અને એની ધ્યાનશક્તિના પ્રભાવથી એ આખા વિશ્વને હલાવી શકે એવા છે, જે જે મહાન્ સદ્ગુણા, શક્તિએ અને સિદ્ધિએ ગણાવી શકાય, જે કલ્પી શકાય તે સર્વ આત્મામાં શક્તિપણે છે અને તેને વ્યક્ત કરવાના આ પ્રયાસ છે. એ સવ કરવા માટે મનને પ્રથમ કબજામાં લેવાની જરૂર છે અને તેને માટે ક્રમસર વિચાર ગુર્વાદિના આશ્રય નીચે કરવાના છે. ” આ આત્મવિચારણા એ બહુ ઉપયાગી બાબત છે. આખી દુનિયા પર જય મેળવનાર અને મેળવવાની દોડાદોડી કરનાર પોતાની જાતને જ ન ઓળખી શકે એ બહુ મોટા ખેદની હકીકત છે અને એ ખેદ દૂર કરવાના ઉપાય આત્મવિચારણા કરવી એ જ છે. આવી રીતે આત્મવિચારણાપૂર્વક યોગયુક્તિને અનુસરીને જ્યારે ચેાગનાં અંગ અને પ્રત્યંગની સેવના કરવામાં આવે ત્યારે ચેાગમા માં વધારા થતા જાય છે અને આત્મા પરમાત્માના માર્ગે ચઢે છે. અહિરાત્મ ભાવ છેડી અંતરાત્મ સ્વરૂપ આદરી પરમાત્મ ભાવ પ્રગટ કરવાનુ જે સાધ્ય તેમાં હાય છે તેને પ્રાપ્ત કરવાને રસ્તે જ્યારે તે લાગી જાય છે ત્યારપછી જે કાર્ય કરવાનું છે તે બહુ ટૂંકા વખતમાં સિદ્ધ થઈ જાય છે. જ્યાં સુધી આ જીવ અહિરાત્મ ભાવમાં વતા હાય છે ત્યાં સુધી તે ઘર, પુત્ર, સ્ત્રી અને ધનાદિ પરભાવમાં સ્વબુદ્ધિ-આત્મબુદ્ધિ ધારણ કરી તેમાં રાચ્યામાચ્યા રહે છે, પણ જ્યારે તે આ પરભાવરમણુતાનેા અભ્યાસ છોડી દઇ અંતરાત્મસ્વરૂપમાં લય થવા માંડે છે ત્યારે તેને વિવેકજ્યેાતિ સ્ફુરે છે અને તેના પિરણામે ગુણુસ્થાન આરાણુ કરતાં કરતાં છેવટે નિરંતરને માટે ઉપાધિમાંથી મુક્ત થઇ જાય છે. એ અંતરાત્મ દશામાં પ્રગતિ કરવી એ પરમાત્મદશાનું અનુસરણ છે અને એ માર્ગે અધિકાર પ્રમાણે સદ્ગુરુની નિષ્ઠા નીચે ગમન કરવાથી જે કાર્ય કરવા માળાભેળા સન્યાસીના પ્રયાસ છે તે કા` તેને ટૂંકા વખતમાં પ્રાપ્ત થાય છે. જો તે યાગાદિ અકુશળ માર્ગમાં પડી જાય તે તેના મા બહુ લાંઞા થઈ જાય છે અને ઘણી વાર તેને અધઃપાત પણ થાય છે, પણુ ો યાગના અવધાન સમયે મૂળ તથા ઉત્તરગુણા ખરાખર ધારણ કરી, પંકાસન કરી અને પછી રેચક, પૂરક, કુંભકના મન અને ઈંદ્રિયા પર જય મેળવવામાં ઉપયોગ કરે અને ચેગઅવધાન ન ચાલતુ હાય તેવે વખતે જોગભ્રુગતિ પર વિચારણા કરી સ્થિરતા પ્રાપ્ત કરે અને પાતે જાતે જ આત્માના વિચાર કરે તે પછી તેનું પરમ સાધ્ય—લક્ષ્યબિંદું-નિરંજન નિરાકાર સ્થાન પ્રાપ્ત થાય. જ્યાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી લેાકાલાકના સ્વરૂપને તે જાણે, દનાવરણીય કર્માંના ક્ષય થવાથી તે સવ સ્વરૂપને દેખે, વેદનીય કર્મના ક્ષય થવાથી નિરુપાધિક અનંત સુખની ઉત્પત્તિ થાય, મેહનીય કનેા ક્ષય થવાથી ક્ષાયક સમ્યક્ત્વની અને ચારિત્રની ઉત્પત્તિ થાય, આયુઃક ના ક્ષય થવાથી અક્ષય સ્થિતિ થાય, નામકર્મના ક્ષય થવાથી અરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy