SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી આન ધનજીનાં પઢા છે. આ સવ યાગયુક્તિના અભાવ બતાવે છે, અને પછી ચિદાનંદજી મહારાજ એક પદમાં જણાવે છે તેમ થાય છે. તેઓશ્રી કહે છે કેઃ-~~ જોગતિ જાણ્યા વિના, કા નામ ધરાવે; માપતિ કહે કર્યું, ધન હાથ ન આવે. ભેખ ધરી માયા કરી, જગકું' ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધિ રચ ન પાવે. મન મુગ્ધા વિન મુંડકું, અતિ ધેટ મુડાવે; જટા જીઢ શિર ધરાકે, કાઉ કાન શકે. ઊ બાહુ અધા સુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નહિ આવે. જોગ. ૉગ. આ પ્રમાણે સ્થિતિ છે. જોગભ્રુગતિ જાણ્યા વગર ભેખ ધારણ કરવામાં આવે કે મુંડ મુંડાવવામાં આવે તેથી ચેગીનુ નામ ધારણ કરાય છે, પણ તેથી ચેાગી થવાતું નથી, અને આ જોગન્સુગતિ સમજવામાં, જાણવામાં અને અમલમાં મૂકવામાં સદ્ગુરુના યાગની ખાસ જરૂર રહે છે. એમના પ્રતાપથી યેળનાં અંગામાં રહેલી વિશિષ્ટતા અને તેને અમલમાં મૂકવાના સમય સમજાય છે અને નકામા કાળક્ષેપ અને શક્તિના વ્યય થતા અટકે છે. ઇચ્છાયાગ એટલે મનમાં ઇચ્છા હેાય તેવા યાગ યથાર્થ બાધ વગર કરવા, શાસ્ત્રયોગ એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે યોગ કરવા, સામયાગ એટલે આત્મવીય ને સ્ફુરાવવુ, ધ સંન્યાસ એટલે ક્ષયાપશમ ભાવના ધર્માંને તજી દેવા અને ક્ષાયિક ભાવના ધર્મને આદરવા વિગેરે સના સમાવેશ જોગજુગતિમાં થઇ જાય છે. ૉગ. જોગ. આવી રીતે સ્થિરતા આદરી અને ચેગયુક્તિથી ઘટનાએ કરી તેને અનુકૂળ આ બાળાભેળા સન્યાસી વર્તે છે એટલે પેાતાના અધિકાર પ્રમાણે યોગસાધના કરે છે અને મનને વિકલ્પથી દૂર કરી સ્થિર કરે છે; સાથે આત્મા આત્મસ્વરૂપ વિચારે છે. એ ચેગનાં અગાની સાધના કરતા-ઘટના કરતા પણ વારવાર પાતે કાણુ છે ? પેાતાના અને સ વસ્તુઓના સંબંધ કેટલા છે? શા માટેના છે ? કેટલા વખત સુધીના છે ? પાતે અહીં શા માટે રહ્યો છે ? પેાતાનું કર્તવ્ય શું છે અને આ નિરંતરની રખડપટ્ટી કેવી રીતે અટકી શકે ? તેને તે વિચાર કરે છે. પછી તેને વિચાર થાય છે કે પેાતાનામાં કેટલી શક્તિ છે તેમ કરતાં તેને જણાય છે કે “ અહેા! આ મારો આત્મા સાક્ષાત્ અનેક ગુણરત્નના દિરયા છે, તે સજ્ઞ છે, સદી છે, પરમાત્મા છે, નિર્જન છે અને તેની આવી અદ્ભુત શક્તિનું ભાન ન હેાવાને લીધે પ્રાણી વિષયમાં સુખ માને છે. બાકી વીતરાગને પ્રશમપૂર્ણાંક જે સુખ છે તેનું અનંતમા ભાગનું સુખ પણ સર્વથી સુખી ગણાતા છદ્મસ્થને હાતું નથી; Jain Education International * આ ત્રણ પ્રકારના યોગ માટે જીએ ઉપાદ્ધાત અને તેનું વિશેષ વન યાગદ્યષ્ટિની સજ્ઝાયની પ્રસ્તાવનામાં જ્ઞાનવિમળરિએ કર્યુ' છે. પ્રકરણરત્નાકર પ્રથમ ભાગ, પૃષ્ઠ ૪૧૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy