SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ थिरता जोगजुगति अनुकारी, आपो आप विमासी; आतम परमातम अनुसारी, सीझे काज सैमासी. माहरो ॥ ४ ॥ “સ્થિરતા અને ગયુક્તિઓને કરતે (તેની અનુકૂળતાએ વર્ત) આત્મા આત્મસ્વરૂપ વિચારી પરમાત્મપદને અનુસરે છે ત્યારે તેનું કામ ટૂંકા વખતમાં સિદ્ધ થાય છે.” ભાવ—એગમાર્ગે ગમન કરી જે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે તેને સમાવેશ એક સ્થિરતા શબ્દથી થઈ જાય છે. પ્રાણાયામને હઠગમાં ગણવામાં આવ્યું છે તેનું કારણ પણ તે સ્થિરતાનું કારણ હોઈ શકે એમ છતાં તેમાં ક્લેશ બહુ થાય છે અને ઘણી વાર તેને અંગે થતી સ્થળ સિદ્ધિ પ્રાપ્તિ, કાળજ્ઞાન, શરીરસ્વાથ્ય આદિથી મન સંસારરસિક થઈ કલેશમાં પડી જાય છે તે હોવું સંભવિત છે. ગીનું સાધ્ય આ સર્વ ઉપાધિ દૂર કરી પિતાનું શુદ્ધ નિરંજન ચિદાનંદ સ્વરૂપ પ્રકટ કરવાનું હોય છે અને તે સ્થિતિ મેક્ષમાં પ્રાપ્તવ્ય છે તેમ જ તે સ્થિતિ યોગના ફળ તરીકે નહિ પણ તેને અનિવાર્ય પરિણામ તરીકે પ્રાપ્ત કરવાની છે. મેક્ષમા-પરમાત્મપદમાં પણ સ્થિરતા એ જ માટે ગુણ છે. નિજ સ્વભાવમાં રમણ કરી ચિર સ્થિરતા રાખવારૂપ સિદ્ધ મહાત્માના ચારિત્ર ગુણમાં જે વિશિષ્ટતા છે તે અદ્દભુત છે અને છમસ્થ તથા કૈવલ્યદશામાં જેમ જેમ આગળ વધારે થતો જાય છે તેમ તેમ તે મહાન ગુણની છાયા વધતી વધતી ચાલે છે. જગજુગતિ એટલે ગયુક્તિ. ગપ્રાપ્તિની યુક્તિઓ અથવા ઘટનાઓ. સેગમાર્ગમાં પ્રગતિ કેવી રીતે કરવી તેની યોગ્ય રચનાઓ, અભ્યાસ અને નિર્ણય. આ ગયુક્તિ શબ્દનો અર્થ છે. જ્યાં સુધી ગયુક્તિ જાણવામાં આવતી નથી ત્યાં સુધી ભ્રમ બહુ થાય છે. કેટલીક વાર સ્થળ સિદ્ધિમાં સંતોષ માનવામાં આવે છે, કેટલીક વાર અધિકારીભે પ્રાપ્ત થવા યોગ્ય વિશિષ્ટ યુગનાં અંગને શરૂઆતમાં આદરવાનો પ્રયાસ કરી રોગને કેમ ભૂલી જવામાં આવે છે અને તેથી પગથિયે પગથિયે ગની સીઢી ચઢવાને બદલે કૂદકો મારવા મન લલચાઈ જાય છે પણ તેથી અધઃપાત જ થાય છે, કેટલીક વાર દાખલા તરીકે સાલંબન ધ્યાનની સિદ્ધિ થયા વગર નિરાલંબનમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ જાય છે, કેટલીક વાર શરીરના સંઘયણદિની વિચારણા વગર ધ્યાનના આગળના ભેદ તરફ આકર્ષણ થઈ જાય ૧ “ જોગજગતિ’ને બદલે ગાગતિ અથવા જેગલુગતિ શબ્દ એક જ અર્થવાળા અન્યત્ર દેખાય છે. ૨ “વિમાસી” ને બદલે “વિચારી’ પાઠ કઈ પ્રતમાં છે. ૩ “ સમાસી” ને બદલે “સવારી ” પાઠાંતર કોઈ જગ્યા પર છે. ૪. થિરતા=સ્થિરતા. જગજુમતિ=ગયુક્તિ. અનુકારીeતેને કરતો, તેની અનુકૂળતાએ વર્તતે. આપસ્વતઃ આપ =આત્માને. વિમાસી=વિચારતો. અનુસારીeતે રસ્તે ચાલતે. સીઝેકસિદ્ધ થાય. કાજ=કાર્ય. સમાસીનું સ્વરૂપમાં ) સમાશે અથવા ટૂંકા વખતમાં-એક માસમાં. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy