SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શ્રી નથનજીના પા મુખ્ય મુદ્રા ત્રણ પ્રકારની બતાવે છે. યાગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તામુક્તિમુદ્રા. એ હાથની દશે આંગળીએ એક ખીજામાં અંતરિત કરીને કમળના ડોડવાના આકારે અંદર અંદર જોડી દેવી અને અને હાથની કાણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ યોગમુદ્રા કહેવામાં આવે છે. પગના અને અંગૂઠાની વચ્ચે ચાર આંગળના આંતરે રાખવા અને પાછળની એ પાનીની વચ્ચે ચાર આંગળથી કાંઇક આઠ આંતરા રાખવે-એ રીતે પગ રાખી ઊભા રહી કાયાત્સર્ગાદિ ક્રિયા કરવામાં આવે તેને જિનમુદ્રા કહેવામાં આવે છે. બન્ને હાથને એક બીજા સામે જરા ગર્ભિતપણે રાખી તેમને કપાળ ઉપર મધ્ય ભાગમાં સ્થાપન કરવા (કપાળને લગાડવા અથવા અન્ય આચાર્યાંના મત પ્રમાણે કપાળથી જરા દૂર રાખવા) તેને ત્રીજી મુક્તામુક્તિમુદ્રા કહે છે. આ ત્રણ મુદ્રાએ દેવવંદનના જૂદા જૂદા પ્રસ ંગોએ રાખવાની છે અને તેના મુખ્ય હેતુ યાગની સ્થિતિમાં ઉપકાર કરવાના છે અને તેટલા માટે જૈનાચાર્યાં તેને કક્ષયપશમ કરનાર તરીકે જણાવે છે. અમુક પ્રકારે શરીરનાં અવયવાને રાખવાથી શારીરિક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ આપણા દરરાજના અનુભવના વિષય છે. આ ઉપરાંત હાથની આંગલીએની બીજી અનેક પ્રકારની મુદ્રાએ થાય છે જે સંપ્રદાયથી અથવા વિશેષ ગ્રંથાથી જાણી શકાય. શરીરની સ્થિરતા થવાથી બાકીના મેગા પર અંકુશ પ્રાપ્ત થાય છે એ સમજાય તેવી હકીકત છે. મુદ્રાના સ્પષ્ટ જ્ઞાન માટે પણુ સદ્ગુરુસ યાગની ખાસ આવશ્યકતા છે. આ પ્રમાણે શરીરયેાગ પર મુખ્યત્વે જય મેળવવા માટે અને સ ચાગે પર સામાન્ય રીતે અંકુશ મેળવવા માટે મુદ્રા કરવામાં આવે છે. તદુપરાંત શરીરનાં અવયાને અમુક રીતે ગઠવવારૂપ આસન ગ્રહણ કરત્રામાં આવે છે. આસને અનેક પ્રકારનાં છે. યાજ્ઞ વલ્કયાદિ ઋષિએ ચેારાશી આસન બતાવે છે, તેમાંથી હડયેાગપ્રઢીપિકાકાર દશ આસનને મુખ્ય કહે છે. તેમાંથી સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસન એ ચાર મુખ્ય અને અનુકૂળ પડે તેવાં છે. તેનું સ્વરૂપ પાતંજલયેગઢનની ટીકામાં છે ત્યાંથી જોવુ ( જુએ પાઢ દ્વિતીય, સૂત્ર ૩૪ પરની ટીકા). જૈન યેગશાસ્ત્રકારો પણ અનેક આસને બતાવે છે જેનાં નામ આપણે ઉપરની ગાથાના વિવેચનમાં જોઈ ગયા છીએ. એ સમાં પશુ પકાસન મુખ્ય મનાય છે. તેનુ સ્વરૂપ બતાવતાં શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય કહે છે કેજંઘાની નીચેના ભાગેા પગ ઉપર કરવામાં આવે અને નાભી નજીક ડાબા હાથ ઉપર જમણેા હાથ રાખવામાં આવે તેથી પકાસન થાય છે. '× આ પકાસન આપણે પલાંઠી વાળીને એસીએ ત્યારે થાય છે. અત્ર ખેાળાની સહજ ઉપર ડાબા હાથ ઉપર જમણા હાથ રાખવાનુ કહ્યું છે પણ એ હાથ જોડીને મુક્તામુક્તિમુદ્રા પેઠે મુખ નજીક પણ તેને રખાય એમ * દેવવંદન ભાષ્ય, ગાથા ૧૪. * સદર ગાથા ૧૫-૧૭ માં ત્રણે મુદ્રાનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે. × જુઓ યાગશાસ્ત્ર, ચતુર્થાં પ્રકાશ, શ્લાક ૧૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy