SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું. પદ ૧૫૭ કહેવાય છે. માયાવી, કામી, માંસભક્ષી કે નાસ્તિક માણુસ વાપરે તેવી અથવા સ ંદેહ ઉત્પન્ન કરનારી અથવા પાપસંયુક્ત ભાષા યાગી ન લે, હિત કરનાર, માપયુક્ત, પ્રિય અને સાધુને માન્ય ભાષા અન્યની લાગણી ન દુ:ખાય તેવી રીતે ખેલે તે બીજી ભાષાસમિતિ, ગોચરીના ખેતાળીશ દોષના ત્યાગ કરી લાલસા રહિતપણે આહાર લે તે ત્રીજી એષણાસમિતિ. આસન, શય્યા, ઉપધિ, વસ્ત્ર, ઉપકરણ વિગેરે લેતી મૂકતી વખતે તે જીવ રહિત છે એમ બરાબર તપાસ કરીને જીવાનેા વિનાશ ન થાય તેવી રીતે પુજી-પ્રમાઈને પછી લે અથવા નિર્જીવ સ્થાનકે મૂકે અને મનમાં વિચાર કરે કે નિરપરાધી સૂક્ષ્મ જીવને પણુ મારાથી અનુપયેાગપણે નાશ થવા ન જોઇએ એ ચેાથી આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ. મળ, મૂત્ર, શ્લેષ્મ ભૂમિ પર નાખતી વખતે પ્રથમ તે ભૂમિ શુદ્ધ-નિર્જીવ છે એમ તપાસ કરે એ પાંચમી પારિછાપનિકા સમિતિ. રાગદ્વેષ કરાવનાર સકળ સંકલ્પવિકલ્પને છેડી મનને સ્વાધીન કરવું અને સમતાભાવમાં સ્થિર કરવું તે મનેષ્ઠ. મૌનનું ધારણ કરવું તે વચનપ્તિ અને પિરષદ્ધ આવે તે અડગપણે સહન કરવા તેમ જ શરીરને હલાવતી વખતે પણ પ્રતિલેખવું એ કાયગુતિ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પ્રવચનમાતા કહેવાય છે. ચેગમાગ માં પ્રવાસ કરનારને તે ખાસ જરૂરની છે અને ઉત્તરગુણામાં ખાસ ભાગ ભજવે છે. એનુ આંતર રહસ્ય તપાસતાં જણાશે કે એના વિષય ખાસ કરીને અહિંસાના રક્ષણ માટેના જ છે, સત્ય ખેલવાની વાત શાસ્ત્રકાર કહે છે તેના હેતુ પશુ અહિંસાને અંગે જ છે, કારણ કે કોઇની લાગી દુખાવવી એ પણ ભાવપ્રાણુ હણવા જેવુ છે. આવી રીતે સ મૂળ તથા ઉત્તરગુણ માટે સમજી લેવું. આ મૂળ તથા ઉત્તરગુણા ચેગી જેમ જેમ યોગમાર્ગમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ અધિકાર પ્રમાણે વિશેષ વિશેષપણે પ્રાસ કરતા જાય છે અને તે ગુણુપ્રાપ્તિથી પૌદ્ગલિક પરદ્રવ્ય પર જય અને આત્મિક ઉન્નતિના માર્ગ સરળ થતા જાય છે. આ મૂળ અને ઉત્તરગુણુરૂપ મુદ્રા એટલે સ્વરૂપ ધારણ કરનાર ચેગી હેાય છે. તાત્પર્યં એ છે કે-પાતે જાણે એ મૂળ-ઉત્તરગુણમય સાક્ષાત્ હેાય, જાણે મૂર્તિમાન ગુણૢા જ તે હાય તેવા તે થઈ જાય છે. મતલબ એ ગુણાને પાતે ઉપર ઉપરથી ધારણ કરે છે એમ નહિ પણ તે તન્મય થઈ જાય છે, તદ્રુપ થઇ જાય છે, તેની સાથે એકાકાર થઈ જાય છે. જેવી રીતે ધનપ્રાપ્તિ, સ્ત્રીસંભાગ, ભેાજનગ્રહણાદિ કાર્યોંમાં સંસારરસિક જીવ એકાકાર વૃત્તિ અનુભવે છે તેવી રીતે ચેાગમાગમાં પ્રવેશ કરનાર પ્રાણી યમ, નિયમાદિ મૂળ-ઉત્તરગુણામાં એકરૂપ-એકરસ થઈ જાય છે. અથવા શાસ્રકાર મન, વચન, કાયાના ચેગેા પર અંકુશ રાખવા મુદ્રાએ બતાવે છે અને અમુક ક્રિયાએ અમુક મુદ્રાએ-શરીરસંસ્થાનની અમુક આકૃતિએ રહી કરવી એવી વિધિ બતાવે છે તે તે ક્રિયા ચેાગ્ય મુદ્રા ધારણ કરનાર સન્યાસી થાય છે. જૈન શાસ્ત્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy