________________
છઠું પદ
૧૫૧ અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. એ પાંચ યમમાં પણ અહિંસાની મુખ્યતા છે અને બાકીના ચારનું અનુપાલન પણ અહિંસાના અનુરોધથી જ કરવાનું છે. પતંજલિના મત પ્રમાણે જાતિ, દેશ, કાળ અને સમયથી પરિરછેદને ન પામનારા અને સર્વ અવસ્થામાં કર્તવ્યરૂપે નિશ્ચિત થયેલા આ પાંચ યમને મહાવ્રત કહેવામાં આવે છે. જેના દર્શનકાર સ્યાદ્વાદમાર્ગદર્શક હોવાથી તેમ જ એકલા શરીરને ધારણ કરનાર સૂક્ષ્મ જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિય અને મનવાળા સર્વ પ્રાણી તરફ દયા રાખનાર અને તેવી દયાને ઉપદેશ કરનાર હોવાથી અહિંસાની આવી એકદેશીય વ્યાખ્યા જેમાં વ્યક્તિ તરફ લય રહે છે પણ સર્વ જી તરફ ધ્યાન રહેતું નથી તેવી વ્યાખ્યા કદિ કરતા નથી; તેઓ સર્વથાત્યાગની અપેક્ષા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને રાખે છે છતાં મહાવ્રતના સાર્વભોમપણાને જરા પણ વ્યવચ્છેદ આવવા દેતા નથી.
શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ પ્રાણયાત્રાના પદાર્થો સિવાય અન્ય પદાર્થ મેળવવાની અસ્પૃહા તે સંતેષ; ક્ષુધા પિપાસા, શીત ઉષ્ણ આદિ કંઢોને સહન કરવાં તથા કુછુ ચાંદ્રાયણદિ વ્રત કરવા તે તપ; ઈષ્ટ મંત્રનો જાપ તે સ્વાધ્યાય અને આત્મનિવેદન ભક્તિ તે ઈશ્વરપ્રણિધાન. આ શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન કરવું અને નિયમનું પ્રસંગે સેવન કરવું. આ યમ નિયમથી શું લાભ થાય છે અને વિતર્કોનું સ્કુરણ થતું બંધ કેમ પડે છે તે સંબંધી જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે. સામાન્ય હકીકત ઉપઘાતમાં લખી છે તેથી અત્ર પુનરાવૃત્તિ કરતા નથી. જેન વેગમાર્ગમાં સમિતિ, ગુપ્તિ, ભાવના તથા ગુણવ્રત, શિક્ષાત્રતાદિ અનેક નિયમો આ ભાગ સવિશેષપણે બજાવે છે.
- આસનને તૃતીય ગાંગ ગણવામાં આવે છે. આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાને પ્રકાર એ બંનેને સમાવેશ થઈ જાય છે. બનતાં સુધી એકાંત નિર્જન શાંત સ્થાન પસંદ કરી જે આસનથી મનની એકાગ્રતા થાય તેવા આસને ધ્યાન કરવું. અન્ય
ગદર્શનકાર રાશી આસન ગણાવે છે તેમાં પણ ચાર મુખ્ય છે. તે સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસનનાઝ નામથી ઓળખાય છે. એ આસનના સંબંધમાં નિયમ એટલે છે કે જે આસને બેસવાથી મન સ્થિર થાય, તેની વ્યથા દૂર થાય અને જેનાથી દેહનું સ્થિરત્વ અને અચંચળત્વ પ્રાપ્ત થાય તે જ્યકારી આસન સમજવું. જૈન યોગાચાર્યો પણ પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદેહિ. કાસન, કાત્સર્ગ વિગેરેનું સ્વરૂપ+ બતાવી છેવટે કહે છે કે જે આસને બેસી મનને નિશ્ચળ કરી શકાય તે આસન તે પ્રાણીને માટે સુંદર સમજવું.
* પાતંજલગદર્શન પાદ ૨, સૂત્ર ૩૦. * એ આસનનાં સ્વરૂપ માટે જુઓ પાતંજલ યોગદર્શનની ટીકા પાદ ૨, સૂત્ર ૩૪. + આસનોનાં સ્વરૂપ માટે જુઓ યેગશાસ્ત્ર પ્રકાશ, એથે શ્લોક ૧૨૫-૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org