SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી આનંદઘનજીનાં પદે મતલબ તે બને આડાઅવળા માર્ગ હોવાથી ત્યાં તારું આત્મધન લુંટી જનારા અનેક ચરે બેઠા છે તે તને સહીસલામત કદિ પણ પાછો આવવા દે તે સમજવું નહિ. તેથી એ કૂટ માગે તજી દઈ સુષણને મધ્ય માર્ગ–રાજ્યમાર્ગ ગ્રહણ કરીશ ત્યારે તને શું થશે તે કહે છે. “બ્રહ્મરંધ્ર” એટલે બ્રહ્મસ્વરૂપને રસ્તો, શુદ્ધ આત્મસ્વરૂપને રસ્તે, એ રસ્તામાં આસનપૂરી એટલે સ્થિર થઈશ, મતલબ જ્યારે તને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થશે તે વખતે તેમાં તેને અપાર લય લાગશે અને તું તેમાં જ તરબોળ થઈ જઈશ. સહજસમાધિના અર્થમાં અક્ષરાર્થ નીચે પ્રમાણે સમજ. ઈડા રાગમાર્ગ, પિંગળા=ષમાર્ગ, સુષુષ્ણુ–મધ્યમાર્ગ, રાગ દ્વેષ રહિત માર્ગ. ઘર-પરિણામ. બ્રહ્મરંધ્ર-આત્મસ્વરૂપજ્ઞાન. આસનપરીસ્થિર થઈ અનહદ=અપાર. તાન—લય. બજાસી લગાડશે. બાબ=બંધ, ભાઈ, અહીં શબ્દના મુખ્ય અને ગીણ અર્થને પ્રશ્ન થાય છે તેથી આ અર્થે વિચારવા ગ્ય છે. આ પ્રથમ ગાથામાં વેગને અંગે જે વિચારે બતાવ્યા છે તે બહુ વિચારવા ગ્ય છે. યુગ સંબંધી સંપ્રદાયી જ્ઞાન બહુ કમી થઈ ગયું છે તેથી વાંચનના પરિણામે અને અન્યત્ર તપાસ કરવાથી પ્રાપ્ત થયું છે તેને આ પદમાં ઉલ્લેખ કર્યો છે. કેગના વિષયનું પરિજ્ઞાન મેળવવામાં બહુ પ્રત્યવા હેવાથી જ્યાં ખલના જણાય ત્યાં અભ્યાસીએ વિવેચન કરનારનું જરૂર ધ્યાન ખેંચવા વિનતિ છે. ગજ્ઞાન સંબંધી હાલ કેવી પરિસ્થિતિ છે તે પર ઉપઘાતમાં વિશેષ ઉલ્લેખ કર્યો છે તે પર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે. यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी; પ્રત્યાહાર ધારણા ધારી, થાન સમાધિ સમાણી. | પાહારોટ || ૨ | યમ, નિયમ અને સિદ્ધિ કરનાર આસન, તેમ જ પ્રાણાયામને અભ્યાસ કરી અને પ્રત્યાહાર અને ધારણ ધારણ કરી દયાન અને સમાધિમાં તું લીન થઈ જશે.” ભાવ-બાળભેળે સંન્યાસી જ્યારે દેહદેવલરૂપ મઠમાં વાસ કરી યોગાભ્યાસ કરે છે ત્યારે ત્યાં શું કરે છે તે સંક્ષેપમાં ઉપર જણાવ્યું, તે જ હકીકત આગળ ચલાવતાં અત્ર ગાંગ પર વિવેચન કરે છે. ગાચાર્યો વેગના અધિકારી પ્રમાણે તેના આઠ અંગ ગણાવે છે. તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ નામ ધારણ કરે છે. મંદાધિકારી માટે પાતંજલ યુગદર્શનકારના મત પ્રમાણે પ્રથમનાં પાંચ અંગ બહિરંગ હોવા સાથે અવશ્ય અપેક્ષિત છે અને ધ્યાન, ધારણું અને સમાધિ અંતરંગ હોવા સાથે તે સર્વ અધિકારી માટે સાધારણ છે. અહિંસા, સત્ય, ૨. યમ=મહાવ્રત. નિયમડા વખત માટે લેવામાં આવે છે. જયકારીસદ્ધિ કરી આપનાર, પ્રાણાયામ. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ માટે વિવેચન જુઓ. સમાસી તેમાં તું સમાઈ જશે, લીન થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy