SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠું પ ૧૪૯ હૃદયસ્થાનમાં હાય છે ત્યારે જ્ઞાનના વધારે કરે છે, જીભ, નાસિકા અને ચક્ષુમાં હાય છે ત્યારે રસ, ગંધ અને રૂપના જ્ઞાન માટે થાય છે, કપાળમાં હાય છે ત્યારે ક્રોધના ઉપશમ કરે છે અને બ્રહ્મદ્વારમાં હેાય છે ત્યારે સાક્ષાત્ સિદ્ધસ્વરૂપનું દર્શન તેનાથી થાય છે. પવન સ્થિરતા પામે ત્યારે સંભળાય છે, તે નાનુ મુશ્કેલ છે. વળી તે આવી રીતે પ્રાણધારણના પ્રયાગ વખતે બ્રહ્મરંધ્ર સ્થાનમાં સાક્ષાત્ સિદ્ધનું દર્શન થાય છે અને તે વખતે એક અપૂર્વ નાદ માય એટલું સુંદર હાય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું નાદ અટક્યા વગર ચાલ્યા કરે છે અને અનુપમ શાંતિ સ્વરાજ્યમાં પ્રમાદ કરાવે છે, એને ચેાગગ્રંથકારો અનાહત નાદ કહે છે. તેટલા માટે આ ગાથામાં કહે છે કે સુષુમ્ગા નાડીમાં સંચાર કરીને પછી જ્યારે પ્રાણવાયુને બ્રહ્મરંધ્રદ્વારમાં શુદ્ધ આસન પર બેસી ધારણ કરવામાં આવે છે ત્યારે આ બાળાભેાળા સન્યાસી અનાહત નાદ સાંભળે છે. જૈન ચેાગાચાર્યા કહે છે કે પ્રાણાયામથી શરીર આરેાગ્ય અને કાળજ્ઞાન થાય છે પણુ મન સ્થિરતાને પામતું નથી તેમજ પ્રાણના પૂરણુ, રેચન, કુંભકમાં પરિશ્રમ થાય છે અને તેથી મનને ઊલટું વિક્ષેપ પમાડનાર હોવાથી મોક્ષપ્રાપ્તિમાં તે વિજ્ઞરૂપ છે. આટલા માટે ઇંદ્રિયામાંથી મનને ખેંચી લઇને અને વિષય ઉપર વિરક્ત બુદ્ધિવાળા થઈને ચિત્તને ધર્મ ધ્યાનમાં નિશ્ચળ કરી દેવું. અન્યત્ર પણ કહ્યું છે કે જે યાગી સ'સારના દેહભાગથી વિરક્ત હાય, જેના કષાય મંદ પડી ગયા હોય, જે વિશુદ્ધ ભાવ યુક્ત હાય, વીતરાગ હાય, જિતેન્દ્રિય હાય એવા ચેગીને માટે પ્રાણાયામ પ્રશંસા કરવા લાયક નથી.† ધારામાં મન જ્યારે એક સ્થાન પર, દાખલા તરીકે બ્રહ્મર બ્રમાં, સ્થિર થાય છે ત્યારે તેથી કેટલીક પ્રતીતિ થાય છે. અનાહત નાદ સંભળાય છે એમ જે કહ્યું તે પણ એક પ્રકારના સ્વર છે. જો કે તે સ્વકલ્પિત હાવાથી બાહ્ય નિરૂપ નથી. ચાગ સાધનારને જે શબ્દ ” હાય તેવા સ્વર સંભળાય છે. સોઢમ સોડમ્ વિચારનારને તેવા સ્વર સંભળાય છે અને અર્હમ્ અર્હમ્ વિચારનારને તદનુસાર સ્વર સંભળાય છે. આ અનાહત નાદ શ્રવણની હકીકત ચેાગના બીનઅનુભવીને બહુ મહત્ત્વવાળી લાગે છે પણ ચેાગાભ્યાસીએ એ હકીકત તે ચેાગમાના પ્રથમ પગથિયારૂપ જ ગણે છે અને તેમાં એટલી બધી વિશેષતા દેખતા નથી. ચોગમાર્ગ પ્રમાણે આ ગાથાના અથ કર્યાં. હવે ‘ સહજસમાધિ ’ના અર્થાંમાં આ ગાથા પર વિચાર કરીએ. ‘ ઇડા ’એટલે ડામે રસ્તા-રાગના માર્ગ અને પિંગલા ’ તે જમણા રસ્તા-દ્વેષના મા. આ રાગ દ્વેષના અને માર્ગ તજી દઇને હે સંન્યાસી ! તું સુષુમ્હા એટલે મધ્યમ પ્રવાહે-મધ્યમ માગે હવે વીશ. અત્યાર સુધી રાગ દ્વેષના ભયંકર માર્ગ પર વિચરીને તે બહુ હાનિ કરી છે, એ માર્ગે જવાથી તે બહુ દુઃખ સહન કર્યાં છે, * યોગશાસ્ત્ર ટ્ટો પ્રકાશ, શ્લાક ૪-૬. - જ્ઞાનાણુ વ પ્રકરણ ૩, શ્લાક ૮ મે. Jain Education International For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy