SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી આનઘનજીનાં પદા અને ચિદાનંદજી મહારાજે તે વિષય પર · સ્વરાયજ્ઞાન 'ના નામથી એક પદ્યમ ધ લેખ ભાષામાં લખ્યું છે. અત્ર પ્રસ્તુત વિષયને અંગે આપણા બાળેાલાળા ચેતન ઇંડા અને પિંગલા નાડીના માર્ગ તજી દઈ સુષુમ્ગા નામની બન્ને બાન્દ્વથી ચાલતી નાડી પર પેાતાના યાગમાનું ઘર ખાંધે છે અને તેમાં તે વાસ કરે છે. હકીકત એમ છે કે પ્રાણવાયુને તાલુર પ્રથી ખેં'ચી અંદર ભરે તેને પૂરક કહે છે, નાભીના મધ્ય ભાગમાં કે તેને કુંભક કહે છે અને ભરેલા પવનને અતિ પ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢે તેને રેચક પ્રાણાયામ કહે છે. એક સ્થાનકેથી ખીજા સ્થાનક પર-દાખલા તરીકે નાભીથી હૃદયમાં-વાયુનું આકર્ષણુ કરવાના કાને પ્રત્યાહાર કહેવામાં આવે છે અને એક સ્થાન પર ધારી રાખવાના કાર્યને ધારણા કહે છે. અથવા ઇંદ્રિયાને વિષયેાથી નિવર્તાવવી-ષ્ટિ વિષયના સંગપ્રસંગે તે પર રાગ અને અનિષ્ટ વિષયના સંગપ્રસંગે તે પર દ્વેષ ન થવા દેવા તેને પણ પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઉપરાક્ત પ્રાણવાયુનાં સ્થાન, વર્ણ, ક્રિયા અને ખીજ જાણવાલાયક છે. અપાનવાયુ કાળા રંગના ગળાની પાછળની નાડીએમાં ગુદા તથા પગના પાછળના ભાગમાં હાય છે; હૃદય, નાભી અને સત્ર સ ંધિસ્થાનમાં રહેલ સમાનવાયુ શ્વેત વર્ણના હાય છે; હૃદય, કઠ, તાલુ અને મસ્તકમાં રહેલ ઉદાનવાયુ લાલ રંગનેા હૈાય છે. ઉપર જણાવ્યું તેમ નાસિકાદ્વારા આકષ ણુ કરીને પૂરક અને રેચક પ્રાણાયામથી ગમાગમના પ્રયાગ થાય છે અને ઉદાનવાયુને હૃદયમાં સ્થાપન કરીને ઊંચે ચઢતાં રોકવાથી તેના પર જય થાય છે અને સમાનવાયુને જય પણ રેચક અને પૂરક પ્રાણાયામથી થાય છે. ચા( ચામડી )માં રહેલ વ્યાનવાયુ મેઘધનુષ્યના જેવા રંગના હાય છે અને તેના પર જય કુંભક પ્રાણાયામથી મેળવી શકાય છે. આ વાયુ. પર જય મેળવવાથી વ્યાધિનેા નાશ કરી શકાય છે અને ચેત્રગ્રંથામાં બતાવેલ છે તે પ્રમાણે કાળજ્ઞાન પણ થઇ શકે છે. પ્રાણવાયુના જય કર્યાં પછી મનની સ્થિરતા પ્રાપ્ત કરવા સારુ ધારણાના અભ્યાસ કરવાની જરૂરિયાત રહે છે તે વિધિ નીચે પ્રમાણે છે. શુદ્ધ જગ્યા પર આસન કરીને પ્રથમ વાયુનું રેચક કરવું, પછી ઇડા નાડીથી પગના અંગૂઠાથી બ્રહ્મર બ્ર સુધી પૂરક પ્રાણાયામના પ્રયોગ કરવા, તે અંગૂઠા, તળીયા, પાષ્ણુિ, જંઘા, ઘુંટણુ, સાથળ, ગુદા, લિંગ, નાભી, જઠર, હૃદય, કઠ, જીભ, તાલુ, નાસિકાના અગ્ર ભાગ, નેત્ર, ભ્રકુટી, કપાળ અને મસ્તકમાં પવનની સાથે મનને મેળવીને બ્રહ્મદ્વાર સુધી તેને ભરવા, પછી પાછા તેને અંગૂઠા સુધી ઉતારવા અને નાભિકમળમાં લાવી તેનું રચન કરવું. એ ધારણાના અંગના પ્રયાગ કરતાં જ્યારે પવન અગુંઠા, પાણ્િ, જંઘા, ઘુંટણુ અને સાથળમાં હેાય છે ત્યારે તેનાથી શીઘ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે, નાભિસ્થાનમાં હાય છે ત્યારે વરાદિ વ્યાધિના નાશ કરે છે, જઠરમાં હાય છે ત્યારે કાયાની શુદ્ધિ કરે છે, જુઓ યોગશાસ્ત્ર પાંચમ પ્રકાશ, શ્લોક ૨૭ થી ૩૫. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy