SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી આનંદઘનજીનાં પદો જાય છે. અનુભવજ્ઞાનનો પ્રકાશ તે ચતુર્થ ગુણસ્થાનકથી પડવા માંડે છે, પણ તેમાં કમે કેમે વૃદ્ધિ થતી જાય છે. અત્ર વેદી શબ્દ પર શ્લેષ છે. જેને વેદ નથી તે વેદન કરે છે એ ભાવ ઉપર સમજાવ્યું છે. સમયસાર નાટકમાં કહે છે – વસ્તુ વિથારત થાવ, મન પામૈ વિશ્રામ રસ વાદત સુખ ઉપજે, અનુભવ થાકે નામ.’ જે વસ્તુવિચારણા કરતાં મનમાં સ્થિરતા થાય અને રસનું આસ્વાદન કરતાં સુખ ઉપજે તેનું નામ અનુભવ કહે છે. આવા અનુભવજ્ઞાનને પ્રાપ્ત કરવાની આવશ્યકતા અત્ર બતાવી તેની મહત્વતા સમજાવી છે. રાગ-રામગ્રી. माहारो बालुडो संन्यासी, देह देवल मठवासी. माहारो. इंडा पिंगला मारग तजी जोगी, सुषमना घर वासी; ब्रह्मरंध्र मधी आसन पूरी बाबु, अनहद तान* बजासी. माहारो० ॥१॥ મારે બાળભેળે આ આત્મા ત્યાગી થઈ તે દેહદેવલરૂપ મઠમાં રહે છે, ઈડ અને પિંગળા નાડીને માર્ગ તજી દઈ સુષુણ્ણા નાડીના ઘરમાં વાસ કરે છે, (અને પછી) બ્રહ્મરંધ્રમાં શ્વાસને પૂરીને (ચેતન) અનાહત નાદ બજાવે છે–સાંભળે છે.” ભાવ-આ પદમાં વેગની વાત બહુ વિસ્તારથી કહેલી છે તેથી તે પર કેટલુંક વિવેચન આવશે તે વિચારીને ધ્યાન રાખવું. મારે બાળભેળે ચેતન સંન્યાસી–ત્યાગી થઈ દેહદેવળરૂપ મઠમાં રહે છે. સંન્યાસી એટલે ત્યાગી. વર્ણાશ્રમ ધર્મ માનનારા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. ચેથા આશ્રમમાં ગૃહનો ત્યાગ કરી ત્રાષિનું જીવન વહન કરવાની ફરમાશ હોય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાપ્તિ અને પુત્ર-પરિવારનું પિષણ, વાનપ્રસ્થમાં સપરિગ્રહત્યાગવૃત્તિ અને ચતુર્થ આશ્રમમાં નિઃસંગવૃત્તિને અનુભવ કરવાને ધર્મ બતાવ્યું છે. એ ચતુર્થ આશ્રમવાળાને સંન્યાસી કહેવામાં આવે છે. હાલમાં તે એ આશ્રમવાળાઓમાં અનેક પ્રકારની ખટપટ, ઈચ્છાઓ અને આશાઓ જોવામાં આવે છે, પરંતુ તેને આદર્શ ત્યાગને છે. તે આશ્રમમાં * તાન સ્થાને નાદ પાઠ કવચિત્ દષ્ટિગોચર થાય છે. ૧. બાલુડો–બાળભેળ. સંન્યાસી=જોગી, સંન્યસ્ત ધારણ કરેલ તપસ્વી. દેહ શરીર. મ=સંન્યાસીએનું સ્થાન. ઈડા=ડાબી નાડી. પિંગળા=જમણી નાડી. મારગ=માર્ગ, પ્રવાહ. સુષમના=સુષુષ્ણુ, મધ્ય નાડી. ઘરવાસી ઘરમાં જ્યારે વાયુ આવે ત્યારે. બ્રહ્મરંધeતાળપ્રદેશ. મધી=મયે, માં. આસન શ્વાસ, અનહદ તા=અનાહત નાદ. બજાસી=સાંભળીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy