SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અસર કરી શકતા નથી, એને વ્યગ્રતાની ઉપાધિ થતી નથી, એના મનની સ્થિતિસ્થાપકતા જ્ઞાનની અસર તળે બરાબર સર્વાવસ્થામાં જળવાઈ રહે છે. અનુભવના જ્ઞાનને લઈને તે સર્વ વસ્તુઓને અનાદિ સંબંધથી જુએ છે, એનું અવલોકનક્ષેત્ર એટલું વિશાળ થઈ જાય છે કે એ પ્રત્યેક કાર્યમાં બહુ વિશાળ દષ્ટિથી જોઈ શકે છે. એને વિષયેનું વિરસપણું, કક્ષાનું કલુષિતપણું, ઇદ્રિનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે અને ખાસ કરીને એને જીવને પુદ્ગલ સાથે સંબંધ અને કર્મકૃત વિચિત્રાવસ્થા એવી પ્રત્યક્ષ દેખાય છે કે ગમે તેવા સાંકડા પ્રસંગમાં તે અસ્તવ્યસ્ત થઈ જતો નથી. આવા અનુભવજ્ઞાનીઓ કેઈ ઉપર ક્રોધ કરતા નથી, પિતે અભિમાન, કપટ કે છળ કરતા નથી. તેઓ સમજે છે કે અન્ય ઉપર ક્રોધ કરવાનું કારણ શું હોઈ શકે ? આવી રીતે વિશાળ ક્ષેત્ર પર નજર કરવાથી પિતાનાં તથા અન્યનાં અરસ્પરસ કાર્યોને અને પિતાનાં જૂદાં જુદાં વર્તનને તેને એ સંતોષકારક ખુલાસો મળી જાય છે કે તેના પ્રત્યેક કાર્યમાં એક જાતની મૃદુતા આવી જાય છે, એક જાતની સ્નિગ્ધતા આવી જાય છે, એક પ્રકારની મીઠાશ આવી જાય છે. એ કદાચ સાંસારિક કાર્ય કરે તે પણ એની ગૃદ્ધિ તાદાસ્યરૂપે કદિ જોવામાં આવશે નહિ, એ ધાર્મિક કાર્ય કરશે તે એમાં ઉપયોગ-વિવેકવિચારણને સ્પષ્ટ આવિર્ભાવ થશે; એના વિચારોમાં, એની ભાષામાં, એની કાર્ય પ્રણાલીમાં એક એવો ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યક્તિઓમાં કદી જણાતું નથી. આવા પ્રકારને આત્માનુભવ પ્રાપ્ત કરવામાં જે રસીઓ થયેલ હોય તેનું અમે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું વૃત્તાંત સાંભળ્યું છે. અનુભવીની વાત ઉપર જણાવી તેવી છે. તે મનસા, વચસા અને કર્મણ એક સરખા હોવાથી તેની છાપ સામા મનુષ્ય ઉપર બહુ સારી પડે છે. અનુભવજ્ઞાનમાં જે રસીઆ હોય તેની વાત પણ અમે એવી અજબ જેવી સાંભળી છે. જે વસ્તુમાં કે વિષયમાં રસ પડે તેમાં આનંદ આવે છે તેથી અનુભવરસિકનું વૃત્તાંત એવા પ્રકારનું આનંદઘનજી મહારાજે સાંભળ્યું એ બરાબર યુક્ત છે. આનંદઘનજી જેવા યોગી પણ કહે છે કે તેમણે અનુભવરસિકનું વર્તન કેવું હોય તે સાંભળ્યું છે અને તેવું અનુભવજ્ઞાન પિતાને પ્રાપ્ત કરવાની ઇરછા છે. એ વચનથી નમ્રતા બતાવી છે. પિતામાં અનુભવજ્ઞાન જાગ્રતું થયું છે એમ માનીને તેમાં ચાલતા નથી. વેદ ત્રણ છે. તે ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે અને સત્તામાંથી પણ નવમા ગુણસ્થાનકે જાય છે. નિર્વેદી તે કેવલી ભગવાન સોગી ગુણસ્થાનકે વર્તનાર સમજવા. અનુભવજ્ઞાનનો મહિમા નિર્વેદી વેદન કરી શકે છે, જાણી શકે છે અને વળી તે એવી રીતે જાણી શકે કે એ જ્ઞાનને અંત ન આવે, અનંત જ્ઞાનપ્રાપ્તિમાં અનુભવજ્ઞાનપ્રાપ્તિ પણ સમાઈ *ક્ષપકવાળાને નવમે ગુણઠાણે જાય છે. ઉપશમવાળાને તે ૧૦ મે ૧૧ મે પણ રહે છે, જતા જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy