SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આન ધનજીનાં પદ્મા આત્માના એક જ્ઞાનભાવ જ એટલા વિશાળ છે કે એનું યથાર્થ જ્ઞાન થાય તે ખીજા સવ ભાવે તેમાં પ્રતિબિખિત થઇ જાય. એક ભાવ સર્વ ભાવેાના સ્વભાવરૂપ છે, અને સવ ભાવા એક ભાવના સ્વભાવરૂપ છે, તેટલા માટે જે એક ભાવના ખરાખર અભ્યાસ કરે છે તે સમસ્ત ભાવાને જાણે છે એમ સમજવું, આટલા માટે આત્મજ્ઞાન અને ખાસ કરીને આત્માના જ્ઞાનગુણુ જેવા એક ભાવ જો ખરાબર સમજવામાં આવે તે ઘણા લાભ થાય એ કહેવાની જરૂર રહેતી નથી. આટલા સામાન્ય લેખ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરણા કરે, તેને માટે તજિજ્ઞાસા ઉત્પન્ન કરે અને તે તરફ રુચિ પ્રગટાવે એ હેતુથી લખવામાં આવ્યા છે. વિષયની ગંભીરતા પ્રમાણે તેના પર એક આખા ગ્રંથ લખાય તે પણ તેમાં બહુ વક્તવ્યતા રહે એ તે ઉપર ઉપરથી વાંચનાર પશુ સમજી શકે તેમ છે. ૧૪ * આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનના રસીઓ સંબધી અમે આશ્ચર્યકારક હેવાલ સાંભળ્યેા છે. વેદ રહિત કેવલી ભગવાન તેને વેદી-જાણી શકે છે ( અને વળી ) તેઆ અંતરહિતપણે જાણી શકે છે. ” પદ્મ છઠ્ઠું સાખી * आतम अनुभव रसिक को, अजब सुन्यो विरतंत; निर्वेदी वेदन करे, वेदन करे अनंत. અર્થ - ભાવ-આનંદઘનજીનાં પદોમાં અવારનવાર જે સાખીઓ આવે છે તે બહુ ઘટના યુક્ત અને ગભીર આશયવાળી હોવા સાથે કવિત્વને અપૂર્વભાસ કરાવનારી હાય છે. સ` મળીને છ સાખી પūામાં આવે છે, પણ એનું પદલાલિત્ય અને અગોરવ અતિ અસરકારક છે, તે પ્રત્યેક પ્રસંગે વિચારવાથી જણાશે. મહુધા દરેક સાખીમાં શ્લેષ, વિરધાભાસ અથવા ઉભય અલંકાર મૂકવામાં આવ્યા હાય છે. અનુભવ એટલે યથાર્થ સ્વરૂપના અવત્રાધ. એના સંબંધમાં ચેથા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન જાગ્રત થતુ નથી ત્યાં સુધી વસ્તુતત્ત્વે કાઇ પણ ધાર્મિક ક્રિયામાં કે કાર્યોંમાં રસ પડતા નથી. અનુભવજ્ઞાન યાગીનુ કતા વ્યક્ષેત્ર છે. વ્યવહારના નજીવા અને મોટા સવ પ્રસંગેામાં, વનામાં અને ચલનામાં તે એક એવા પ્રકારની સરખાઈ જુએ છે, એક એવા મહાન્ નિયમ જુએ છે કે એને હ` કે શેકના પ્રસંગે * રસ–રસી. અજબ=આશ્ચય કારક. વિરત ત=વૃત્તાંત, હકીકત. નિવેદી વૈરહિત. સ્ત્રી પુરુષ નપુંસક વેદ રહિત એટલે કેવલી ભગવાન. વેદન=જાણવું તે. અનંત=અપાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy