SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી આનંદઘનજીનાં પ નયજ્ઞાનનું સ્વરૂપ સમુચ્ચયે જેન તર્કપરિજ્ઞાન બહુ અવલોકન કરીને કર્યું હોય તેઓ સમજી શકશે કે એ મહાત્મા ઉપર ઉપરના જ્ઞાનવાળા શુષ્ક અધ્યાત્મી નહેતા, પણ વિશિષ્ટ બોધવાળા અને વસ્તુની ઊંડાઈએ જનારા તીવ્ર બેધ સાથે વિવેકપૂર્વક વર્તન કરનારા મહાત્મા હતા. “હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ” એ વાક્ય લખનાર નયવાદના રહસ્યને પદના આકારમાં અદ્દભુત રીતે ઉતારી શક્યા હતા એ હકીકત સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. છેવટે એ મહાત્મા કહે છે કે सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधु० ४ “(ઈ) પરમાત્માને સર્વવ્યાપી અને સર્વ માને છે અને તેની સત્તા જૂદી માને છે, પણ આનંદઘનરૂપ ભગવાનના વચનામૃતના રસને તે તે જ (નટનાગરની બાજીને જાણનાર જ) જાણે છે. જે જ્ઞાને કરી સર્વ માને અને આત્મદ્રવ્યને જૂદે માને તે પરમાર્થ પામે છે.” ભાવ–વેદાન્તીઓ પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે. એ જળમાં, સ્થળમાં, પર્વતના શિખર ઉપર અને જંગલમાં સર્વ જગ્યાએ પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે અને તેની સત્તા ન્યારી છે, જૂદી છે એમ માને છે. તેઓ તત્વજ્ઞાનનું ખરું રહસ્ય પામતા નથી. એ જ વાક્યને જેઓ બરાબર સમજે છે તેઓ પરમાર્થ સમજી શકે છે, અપેક્ષાએ તેઓ આત્માને સર્વવ્યાપી માને છે એટલે એને સર્વ વસ્તુને બંધ કૈવલ્યદશામાં પ્રત્યક્ષ રીતે થાય છે તેથી તદપેક્ષા તેને સર્વવ્યાપી માને છે તે નયાપેક્ષી જ્ઞાન થયું. વળી પક્ષ જ્ઞાનથી પણ જ્યારે તે સામાન્ય જીવને સર્વ વસ્તુને સામાન્યપણે બંધ થાય છે ત્યારે તે આત્માને સર્વ વસ્તુ સાથે સંબંધ વિચારી તેને ખ્યાલ કરે છે, તેનું નિરીક્ષણ કરે છે અને તેના રસનું આસ્વાદન કરે છે એટલે તેને તદપેક્ષા સર્વવ્યાપી કહી શકાય, પરંતુ પરમાત્મદશામાં તેની સત્તા તે ન્યારી જ રહે છે, ભડકામાં તણખો મળી જાય છે એમ માનનાર ભ્રમણમાં પડે છે. સિદ્ધસ્થાન એક જ છે, પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તે દરેક આત્માનું સ્વતંત્ર રહે છે, અવગાહના જૂદી જ પડે છે એમ તે જાણે-એટલે કે આ જીવ શ્રીવીરને, આ ગૌતમસ્વામીને, આ આદિનાથ ભગવાનને એમ અલગ અલગ સત્તા તે મોક્ષમાં પણ રહે છે. આવી ત્યારી સત્તા દરેક આત્માની સિદ્ધ દશામાં સમજે અને સર્વવ્યાપીપણાને ખેટે ખ્યાલ મૂકી દે અને તેમ કરી આનંદસમૂહરૂપ ભગવાનના વચનામૃતનું પાન કરે ત્યારે તે પ્રાણી પરમાર્થ–વસ્તુતત્વના રહસ્યને જાણે અને પ્રાપ્ત કરે. ૪. સર્વમયી સર્વવ્યાપી. સરવંગી=સર્વજ્ઞ, ન્યારી=જૂદી. ભાવે માને. સુધારસ=અમૃતરસ. પરમારથ રહસ્ય. સેતે. પા=પ્રાપ્ત કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy