________________
પાંચમું પદ
૧૪૧ તે પ્રત્યક્ષ. કેવલી ભગવાન જેમાં સર્વ પદાર્થો સ્વજ્ઞાનથી દેખે તે પ્રત્યક્ષ. મન:પર્યવજ્ઞાની સ્વજ્ઞાનથી મનના વિચારો દેખે તે પ્રત્યક્ષ. અવધિજ્ઞાની સ્વજ્ઞાનથી પુદ્ગળ દ્રવ્ય દેખે તે પ્રત્યક્ષ. આંખ વિગેરે ઇદ્રિયદ્વારા દેખાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને સમાવેશ પરેક્ષજ્ઞાનમાં થાય છે. આ પક્ષ પ્રમાણના ત્રણ વિભેદ છે. ધુમાડાને દેખીને અગ્નિનું જ્ઞાન થાય તે અનુમાન પક્ષ, દૃષ્ટાંત આપી સાદૃશ્ય બતાવી જ્ઞાન કરાવાય તે ઉપમાન પરોક્ષ અને શાસ્ત્રાધારે નરક નિગેનું સ્વરૂપ સમજાય તે આગમ પક્ષ. અન્યત્ર પક્ષ પ્રમાણુના પાંચ ભેદ પણ કહ્યા છેઃ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ. આ પ્રમાણજ્ઞાનમાં રહસ્ય એ છે કે અન્ય દર્શનકારે આંખે દેખાય તેને પ્રત્યક્ષ કહે છે, તેને જૈન શાસ્ત્રકાર પક્ષજ્ઞાન કહે છે. પ્રત્યક્ષ કે તે જ કહેવાય કે જેમાં અન્યની મદદની જરૂર પડતી નથી, પણ જે આત્માને પ્રત્યક્ષ દેખાય છે. અન્ય મતવાળા ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાનચક્ષુ નથી છતાં માને છે તે સાક્ષાત્ આત્માને અંગે થાય છે તેથી જ પ્રત્યક્ષ કહેવાય છે.
આવી નટનાગરની અદ્દભુત બાજી છે. એને એક દષ્ટિથી જોઈએ તે સ્થાઅસ્તિ લાગે છે, બીજી દષ્ટિથી જોઈએ તે તે સ્થાનાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે, એમ અનેક રૂપે તે દેખાય છે. વળી સાતે નયે તેને જૂદા જૂદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કઈ નિષ્પક્ષ થઈને જુએ તે જ દેખી શકે છે, જાણી શકે, સમજાવી શકે છે, ને તેવા તે જગતમાં વિરલા જ હોય છે; પિતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી, બતાવી શકતા નથી, જોઈ શકતા નથી. સત્યને સત્ય ન માનતાં પિતાનું સત્ય માનવારૂપ મતના આગ્રહમાં જે મસ્ત બની ગયા હોય તે તેને કેવી રીતે દેખી શકે? આ જ મહાત્મા અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે કે
અભિનંદન જિન દરશન તરસીએ, દરશન દુર્લભ દેવ; મત મત ભેદ રે જે જઈ પૂછીએ, સહુ થોપે અહમેવ. અભિ૦ સામાન્ય કરી દરશન દેહલું, નિરણય સકલ વિશેષ;
મદમે ઘેર્યો રે અંધ કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિ૦ જે પિતાના મતમાં મસ્ત હોય તે તેને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કેઈ તેના કર્તા ઇશ્વરને માને છે, કે તેનામાં અને ઈશ્વરમાં અભેદ જુએ છે, કે તેને ઇશ્વરાંશ માને છે, કઈ પુરુષ પ્રકૃતિને ભેદ પાડી તેને પ્રકૃતિયુક્ત માને છે, કઈ તેને ક્ષણિક માને છે, કે તેને માનતા જ નથી, તે છે એમ જોઈ પણ શકતા નથી, એક નયની અપેક્ષા લઈ તેને એક જ આકારમાં કેટલાક જુએ છે, પણ તેનું સામાન્ય સ્વરૂપ સર્વ નય ધ્યાનમાં લઈ ગુણપર્યાયના વિવેચનપૂર્વક, સપ્તભંગી આદિ પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાન સાથે જાણનાર વિરલ પ્રાણી હોય છે.
આ પદ શ્રી આનંદઘનજી મહારાજનું વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન બતાવી આપે છે. જેઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org