SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી આનંદવનછનાં પર કરે છે. આ નય ભાવ નિક્ષેપાને ગ્રહણ કરે છે. બાકીના ત્રણ નિક્ષેપને ત્યાગ કરે છે. એટલે જ્યાં શબ્દના અર્થની યથાસ્થિત ઉપપત્તિ થઈ શકતી હોય ત્યાં જ તે શબ્દની ઘટના સ્વીકારે તે શબ્દનય સમજ. જેમ ઈન્દ્ર, શુક, પુરન્દર શબ્દ જૂદા જૂદા હોવા છતાં એક અર્થના વાચક છે. ઉપર સપ્તભંગીનું સ્વરૂપ બતાવ્યું તે શબ્દનયના વિભેદ તુલ્ય સમજવું. છઠ્ઠો “સમસિરૂદનય છે. શબ્દનયવાળે જુદા જુદા પર્યાયને માને છે ત્યારે આ નયવાળો એક શબ્દ જાણી અનેક પર્યાયમાં એકતા અનુભવ નથી. ઈન્દ્ર શબ્દ સાંભળી શક, પુરંદર, શચીપતિ એ સર્વની ભિન્નતા તેને જણાય છે. છેલ્લો “એવભૂતનય આ પ્રમાણે છે. શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ત્રણે પર્યાયાર્થિક ન છે. શબ્દનય પર્યાય શબ્દોને ગ્રહણ કરે છે અને સમભિરૂઢ પર્યાય શબ્દોને સ્વીકારતા નથી, પણ તે શબ્દનું યથાર્થ સ્વરૂપ પ્રયોગ કરતી વખતે હેવું જોઈએ એ આગ્રહ પણ રાખતો નથી, જ્યારે એવંભૂતનય શબ્દના પ્રયોગ વખતે તેના સ્વરૂપની યથાર્થ સ્થિતિ પદાર્થમાં હોવી જોઈએ એમ માને છે. જે સ્ત્રીના મસ્તક પર ચઢેલ હોય, તેમાં જળ ભરેલું હોય તેને જ એ ઘટ માને છે. ઘટ કિયા ન કરનાર ઘરમાં પડી રહેલા પાત્રને આ નયવાળે ઘટ માને નહિ. આ નયવાળા શબ્દમાં અર્થની અને અર્થમાં શબ્દની સ્થાપના કરે છે. આ પ્રમાણે નયનું સ્વરૂપ સમજવું. એને બહુ વિસ્તાર વિશેષાવશ્યક, નયચક, સ્યાદ્વાદરત્નાકર વિગેરે ગ્રંથમાં છે. દરેક નયના ભેદ-વિભેદ પાડી તેનું સૂક્ષ્મ સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. એના ઉપર જેટલું વિવેચન કરવામાં આવે તેટલું થઈ શકે તેમ છે. અત્ર તે આ નટનાગરની બાજી કેવી અદ્ભુત છે તે બતાવવા માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ માત્રની જીવની અપેક્ષાએ કહીએ. નિગમનયવાળા જીવને સિદ્ધ સમાન કહે અને વળી તેને શરીરયુક્ત પણ માને ત્યારે તેમાં ધર્માસ્તિકાય પુગલ વિગેરેને પણ સમાવેશ કરી દે. એવી રીતે વ્યવહારનયવાળે બાહ્ય સ્વરૂપાનુસાર તેને વિષયકષાય યુક્ત માને અને જુસૂત્ર તેનું વર્તમાન વર્તન જ ધ્યાનમાં લે, શબ્દનયવાળો તેનું વ્યુત્પત્તિ સ્વરૂપ જુએ, ત્યારે સમભિરૂઢ તેના આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દમાં કાલાદિ ભેદે એકતા ન જુએ, ત્યારે એવંભૂતનયવાળે તે તેનામાં જ્યારે સર્વ ગુણે પ્રગટ થાય ત્યારે જ તેનામાં તે ગુણો માને. આવી નટનાગરની વિચિત્ર બાજી છે. એકના એક જીવને જૂદા જૂદા પ્રાણીઓ જૂદી જૂદી અપેક્ષાથી જૂદા જૂદા આકારમાં જુએ છે એથી એ બહુરૂપીને વેશ ભજવી બતાવે છે એમ થયું. જૈન શાસ્ત્રકાર પ્રમાણે બે બતાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. જીવ પિતાના સ્વતંત્ર ઉપગથી દ્રવ્યને જાણે તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. અક્ષ પ્રતિગત પ્રત્યક્ષ. અક્ષ એટલે આત્મા. જેમાં વચ્ચે અંતર ન હોય-અન્ય (ઇંદ્રિય કે મન) દ્વારા જ્ઞાન થતું ન હોય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy