SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચસ' પદ્મ ૧૯ સંગ્રહ આ નયમાં થાય છે, કારણ કે એમાં વિભાગનું વિવેચન નથી, છૂટી વસ્તુઓ તરફ લક્ષ્ય નથી, વિભેદ બુદ્ધિની પ્રાધાન્યતા નથી. ઉપર જણાવ્યું તેમ નૈગમનય એક અંશ લે છે અને સંગ્રહ સામાન્ય ગ્રહણ કરે છે ત્યારે ત્રીજો · વ્યવહારનય ? સર્વાંની વહેંચણ કરે છે, વિભાગ જુએ છે અને તે સવ બાહ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ પણ દ્રવ્યાર્થિક નય છે. એ નયવાળા અતરંગ સત્તા માનતા નથી, બહારની ઉપર ઉપરની આચારક્રિયાને પ્રાધાન્ય આપે છે. એને લઈને એ શુદ્ધ અશુદ્ધ, શુભ અશુભ, ઉપચરત અનુપરિત, એવા પ્રકારની અનેક વહેંચણુ કરે છે, પણ તે ઉપરાંત તે ઊંડા ઉતરતા નથી. એક અપેક્ષાએ શિષ્યને સમજાવવા સારુ વિભાગ કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર, જીવમાં રાગદ્વેષ કષાય લાગેલ છે. તનુસાર વહેંચણી થાય તે અશુદ્ધ વ્યવહાર; પુણ્યક્રિયા એ શુભ વ્યવહાર અને પાપક્રિયા તે અશુભ વ્યવહાર, ધન, ઘર, શ્રી આદિને પોતાનાં માનવાં તે ઉપચરિત વ્યવહાર અને શરીર જુદુ છે પણ પરિણમન ભાવથી મળી રહેલ છે તેને પેાતાનું માનવું એ અનુપરિત વ્યવહાર. આ નયના પણ અનેક વિભાગેા છે, તેમાં મુખ્ય વહેંચણી દેખાવ ઉપર રહે છે, આંતરપ્રવેશ અંધ રહે છે. ચેાથેા દ્રવ્યાર્થિક નય 6 'જીસૂત્રનય ' છે. ઋજુ એટલે સરલ, શ્રુત એટલે ધ. આ નયવાળા દ્રવ્યની વર્તમાન સ્થિતિ પર ખાસ લક્ષ્ય આપે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયવાળા જ્યારે અતીત અનાગતને પણુ લક્ષમાં રાખે છે ત્યારે આ નયવાળા વમાન સમયને પ્રમાણુભૂત ગણે છે. કોઇ ગૃહસ્થ હોય પણ વન સાધુ જેવું હાય તે ઋજીસૂત્રનયવાળા તેને સાધુ કહે છે અને વેશ સાધુના હાય પણ વિષયાભિલાષ યુક્ત હેાય તે તેને આ નયવાળા અત્રતી કહે છે. વ્યવહાર કરતાં આ નય વિશેષ શુદ્ધિવાળા હાવાથી વેષે સાધુ હાય તેમાં પણ જે સંવર પરિણામી હાય તેને આ નય સાધુ માને છે. તદ્ન સૂક્ષ્મ એક વર્તમાનનું જ્ઞાન કરે તેને સૂક્ષ્મ ૠનુસૂત્રનય કહેવામાં આવે છે, અને સ્થૂલમોટા વમાન બાહ્ય પરિણામ ગ્રહણ કરવામાં આવે તે સ્થૂલ ઋનુસૂત્રનય કહેવાય છે. આ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છતાં પણ ચારે નિક્ષેપા ગ્રહણ કરે છે. વસ્તુનું અમુક નામ આપવામાં આવે તે નિક્ષેપ, કોઈ વસ્તુમાં કોઇ વસ્તુના આકાર દેખીને તે વસ્તુને તે વસ્તુ કહે તે સ્થાપના નિક્ષેપ, આત્મપયોગ વગર નામસ્થાપનાને સ્વીકાર તે દ્રવ્ય નિક્ષેપ અને જ્યાં ઉપયાગના સ્વીકાર થાય ત્યાં ભાવનિક્ષેપ સમજવા. આ ચારે નિક્ષેષાને ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે, કારણ કે એમાં વર્તમાન સ્થિતિનું લક્ષણ પ્રાધાન્ય છે. વસ્તુને ગુણવંત અથવા ગુણુ વગરની કહીને ખેલાવવી, અરૂપી વસ્તુને પણ વચનગોચર કરવી તે ‘ શબ્દનય - પાંચમા છે. આ નય પર્યાયાર્થિક છે. એ વસ્તુઓની વર્તમાન સ્થિતિ જ માત્ર ગ્રહણ કરે છે, ઋજુસૂત્રનયની પેઠે; પણ્ તે શબ્દના વાચ્ય અને જ ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy