SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી આનછનજીનાં પદ્મા 6 સ્યાત્ 6 પાંચમા અને પરદ્રવ્યાદિને સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ છઠ્ઠો વિભાગ અનુક્રમે અસ્તિ અવક્તવ્ય । અને સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય ના સમજવેા. વળી એ અસ્તિ અવક્તવ્ય વિભાગ અને નાસ્તિ અવક્તવ્ય વિભાગ એક જ સમયે જીવમાં વર્તે છે તેથી ક્રમથી સ્વપરદ્રવ્યાદિને યુગપત્ સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ સાતમા વિભાગ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય ને સમજવા. સ્યાત્ આ સ્યા વાદ–સ્યાદ્વાદ-સમભ’ગીનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ રીતે શાસ્ત્રમાં નિરૂપણુ કરેલુ છે. આખા જૈન શાસ્ત્રનું રહસ્ય નય, નિક્ષેપ અને સમભ ́ગીને લગતા ન્યાયના વિભાગમાં સમાયલું છે અને એ એટલી વિશાળ દૃષ્ટિથી રચાયલું છે કે એમાં તર્કની દલીલાનું મહત્ત્વ અને શાસ્ત્રકારના જ્ઞાનની દીર્ઘતા પ્રત્યક્ષ જણાય છે. આપણે હવે નયનું સ્વરૂપ જરા જીવને અંગે જોઇએ. નય એટલે અમુક દૃષ્ટિબિંદુથી એક વસ્તુ તરફ અવલાકન કરવુ' તે. સં દૃષ્ટિનું સામીપ્ય રાખીને જોનાર તત્ત્વજ્ઞાનનું રહસ્ય પામે છે, અમુક નયથી જોનાર ભુલાવામાં પડી જાય છે. નયનું સ્વરૂપ ‘ નયચક્રસાર ' વિગેરે અનેક ગ્રંથામાં બતાવ્યું છે. એ નયજ્ઞાન પણ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય પાયા છે. તેમાં મુખ્ય સાત નયના અનેક ભેદ–વિભેદ પાડીને તેના પર બહુ વિવેચન કરવામાં આવ્યું છે. કેટલાક નયા દ્રવ્યાર્થિ ક એટલે દ્રવ્યને જોનારા છે અને કેટલાક પર્યાયાર્થિ ક એટલે તેના ગુણુપર્યાયને જોનારા છે. પ્રથમ ‘ નૈગમનય ? એક અંશ ગુણમાં સર્વ ગુણુ માને છે એટલે અંશમાં સનું સ્થાપન કરી દે છે. આ પુસ્તકના પ્રથમ પદના અકર્યાં એટલે નાગમનયવાળા પુસ્તક તૈયાર થઈ ગયું એમ સમજી લે છે. જીવના આઠ રુચકપ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજજવળ રહે છે તે અંશને લઇને જીવ સિદ્ધ છે એમ તે માની બેસે છે. આ નય દ્રવ્યાથિક છે, એના એક સરખા અભિપ્રાય હેાતા નથી, એક ગમ-અભિપ્રાય નહિ જેમાં તે નૈગમ. એ કોઇ વખત દ્રવ્યારાપ કરે છે, કઈ વખત ગુણારાપ કરે છે, કોઈ વખત કાળાાપ કરે છે અને કોઈ વખત કારણારાપ કરે છે. ગુણુને દ્રવ્ય માને તે દ્રવ્યારાપ અને દ્રવ્યને ગુણુ માને તે ગુણારાપ સમજવા. એ પ્રમાણે અન્યનું પણ સમજવું. આ પ્રમાણે અંશથી અને સંકલ્પથી પણ એક અભિપ્રાયને વળગવાપણું થાય તે સ` નૈગમનયા નુસાર સમજવું. દ્રવ્યાર્થિ ક નયના વિભાગમાં ખીજે • સ’ગ્રહનય । આવે છે. સદ્રવ્યવ્યાપક જે ધર્મ સત્તાપણે હેાય તેને સંગ્રહીને જીવ વિગેરે દ્રવ્યના સંબંધમાં વાત કરવી તે સંગ્રહનય સમજવા, જીવદ્રવ્યની વાત થાય તેા તેના અનેક ગુણ તથા પર્યાયે સાથે લઈ લેવા, બનતાં સુધી જાતિ ઉપર વિશેષ ધ્યાન આપ્યુ, વ્યક્તિ તરફ ઉપેક્ષા રાખવી એ આ નયનુ લક્ષણ છે. નાકરને દાતણુ લાવવાનું કહેતાં તે ટુવાલ, લેટો, જળ, બ્રશ વિગેરે સર્વાં લઇ આવે, તેમ સામાન્યને વિશેષે ગ્રહણ કરે તે સંગ્રહનય સમજવા. વિશ્વની સર્વ વસ્તુઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy