SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું પદ તે કાંઈક દેખાય, બીજાથી જોઈએ તે કાંઈક દેખાય, ત્રીજાથી વળી કાંઈક નવીન પ્રતિભાસ થાય, એવી એમાં રમત થાય છે. અહો નાગરિક નટ ! તારી બાજી તે કઈ ભાગ્યવાન પ્રાણી પક્ષવાદ મૂકી દઈને જુએ તે જ સમજી શકે તેમ છે. એ બાજી કેવી યુક્તિથી મંડાણી છે તે હવે જોઈએ. પ્રથમ સપ્તભંગીનું સ્વરૂપ બતાવવું પ્રાસંગિક છે. અત્ર તેને બહુ જ સામાન્ય રીતે નિર્દેશ થઈ શકશે, વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ પ્રમાણુનયતત્વ, નરહસ્ય અને સપ્તભંગીતરંગિણી આદિ ગ્રંથ જેવા. જીવ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ પિતાના વર્તમાન ગુણપર્યાયમાં વર્તે છે તે “સ્યાનું અસ્તિ’ નામને પ્રથમ વિભાગ. ગુણપર્યાય સાથે જીવને અભેદ છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ, પણ તે ભાવ વર્તવાની સાથે અન્ય ભાવે પણ વર્તે છે તેથી તેની સાથે સ્યાત્ પદ લગાડવામાં બહુ તર્કશક્તિ બતાવવામાં આવી છે. જીવમાં પરદ્રવ્યના ગુણપર્યાય નથી. પૌગલિક વસ્તુઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણો અને તેના પ્રદેશાદિ પર્યાય તેનામાં નથી તેમજ બીજા ચારે દ્રવ્યના દ્રવ્યક્ષેત્રકાળભાવ તેનામાં નથી તે દૃષ્ટિથી જોઈએ તે “સ્થાત્ નાસ્તિ’ નામનો બીજો વિભાગ પ્રાપ્ત થાય છે. સ્વગુણપર્યાયને અસ્તિભાવ અને પરગુણપર્યાયને નાસ્તિભાવ એ બને અસ્તિ નાસ્તિ વિભાગે એક સમયે જીવદ્રવ્યમાં છે. એટલે જે સમયે તેમાં સ્વગુણુપર્યાયની અસ્તિ છે તે જ સમયે તેનામાં પરગુણપર્યાયની નાસ્તિ છે તેથી અસ્તિ નાસ્તિ ગુણ એકત્ર મળેલ છે, તે અપેક્ષાએ “સ્યાત અસ્તિ નાસ્તિ' એ નામનો ત્રીજો વિભાગ થશે. ઉપરોક્ત અતિ અને નાસ્તિભાવ એક દ્રવ્યમાં-પ્રસ્તુત જીવ દ્રવ્યમાં એક વખતે એક સાથે રહેલા હોય છે, પરંતુ તેને બોલવા માંડીએ તો અસ્તિભાવ બોલતાં અસંખ્ય સમય થઈ જાય, દરમ્યાન નાસ્તિભાવ તે કહી શકાય નહિ અને બન્ને ભાવ તે એકી સાથે એક સમયે વર્તે છે, પરંતુ સ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ એકદમ હા કે નાને ઉત્તર ન અપાય તેથી અસ્તિનાસ્તિ ભાવ એક સાથે અવક્તવ્ય છે, કહી શકાય નહિ તેવા છે એમ બતાવી ચતુર્થ વિભાગ “સ્થાત્ અવક્તવ્ય એમ બતાવ્યું. તીર્થંકર મહારાજ કે અન્ય સર્વજ્ઞ એક સમયે અસ્તિનાપ્તિ વિગેરે સર્વ ભા જાણી તથા દેખી શકે છે, તેઓ પણ એક સમયે કહી શકતા નથી, કારણ કે ભાષા બોલવામાં “અસ્તિ” એટલા શબ્દનું ઉચ્ચારણ કરવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે તેથી તેમને પણ વચનન આ વિભાગ લાગુ પડે છે. - હવે જે ચે વિભાગ અવક્તવ્યપણાને કહ્યો તે અતિ ભાવને પણ લાગુ પડે છે અને નાસ્તિ ભાવને પણ લાગુ પડે છે તેથી સ્વદ્રવ્યાદિને સ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy