SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી આનંદઘનજીનાં પર અહીં શરૂઆતમાં આત્માને અવધુ કહ્યો છે તેને અર્થ અધ “ “નાતોતિ કઃ” જે ધ્રુજી ન જાય, સ્વગુણ પર્યાયમાં રમણ કરે તે શુદ્ધ, નિષ્પકંપ આત્મા અવિનાશી, અજ, અજરામર, અક્ષય, અલઘુગુરુ પરિણામી સમજે. અવધૂત એ શબ્દ છું ધાતુ ને ઉપસર્ગ લાગવાથી થયેલ છે અને તેને અર્થ અવધૂત સંન્યાસી થાય છે, એ શબ્દને અપભ્રંશ હેય એમ માનવું વધારે ઠીક લાગે છે. એ શબ્દમાં આત્માને સ્થિરતાગુણ પ્રાધાન્યપણે છે. વળી આ નટનાગરની બાજી કેવી યુક્તિવાળી અને આશ્ચર્ય ઉપજાવનારી છે તે વિશેષ બતાવે છે. एक अनेक अनेक एक फुनी, कुंडळ कनक सुभावे; जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे. अवधु० २ સુવર્ણના સ્વભાવે એક અને તે જ દ્રવ્ય કુંડળ વિગેરે સ્વભાવે અનેક થાય છે અને વળી અનેક એક થાય છે. જળના તરગે, માટીના ઘટે અને સૂર્યનાં કિરણ અગણિત હોય તે પણ તે તેમાં પાછાં સમાઈ જાય છે તે પ્રમાણે.” ભાવ-નાગરિક નટની કેવી બાજી છે તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે કેએકના અનેક થઈ જાય છે અને વળી તે અનેક એક જ હોય છે. જેમ સુવર્ણનાં કુંડળ, બાજુબંધ, ચંદનહાર, કડાં, બંગડી, રાયણમાળા વિગેરે અનેક રૂપ થાય છે તે દષ્ટાંતે સમજવું. ગણ પર્યાયના ભાજનને દ્રવ્ય કહેવામાં આવે છે. અત્ર જીવ દ્રવ્ય સંબંધી વિવેક્ષા કરતાં જણાવે છે કે જેમ તેના અનેક પર્યાયે પલટાતા જાય છે તેમ તેમાં અનેક રૂપ થાય છે, જીવ એકેદ્રિય, બેઈદ્રિય, ઇન્દ્રિય, ચોરેંદ્રિય થાય છે, નારક થાય છે, હાથી, ઘેડા, માછલાં, મત્સ્ય, પોપટ, મયૂરાદિક તિર્યંચ થાય છે, સોમદત્ત, યજ્ઞદત્ત, દેવચંદ્ર વિગેરે નામ ધારણ કરનાર મનુષ્ય થાય છે, બાર દેવકાદિમાં દેવ થાય છે એ સર્વ ઉપાધિ પર્યાયથી ધારણ કરે છે, પણ તેનું આત્મત્વ તો એક જ છે. સહભાવી ધર્મ તે ગુણ કહેવાય છે અને કમભાવી ધર્મ તે પર્યાય કહેવાય છે. એક મોતીની માળા હોય છે તેમાં ઉજ્વળતાદિક ગુણ છે અને ગોળપણું વિગેરે પર્યાય છે, પણ તેથી મેતી સ્વતંત્ર અળગા છે. તેમ આત્મ દ્રવ્યથી તેના ગુણ અને પર્યાય અળગા છે. જેમ એક કૃતિકા દ્રવ્ય હોય તેનાં માટલું, ઘડ, કેડી વિગેરે અનેક રૂપે થાય છે, પણ તેમાં તિર્યક સામાન્ય મૃત્તિકાત્વ દ્રવ્ય તે એક જ છે, તેમ જીવની સ્થિતિ ગમે તેટલી ફેરફાર થાય, તે ગમે તેટલાં રૂપ ધારણ કરે, પણ તેનું આત્મત્વ તે એક જ છે, તેનું જીવત્વ અપર નથી, તેમાં ફેરફાર થતું નથી, ૨. પુની=વળી. કુંડળ=દાગીના. રવિકર=સૂર્યનાં કિરણ. અગનિત=ન ગણાય તેટલાં. તાહીeતેમાં જ. તાહી ને બદલે “ તાઈ' પાઠાંતર છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy