SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમુ પ ૧૩૩ આવી રીતે એક સમયમાં જીવ ઉપજવાને સ્થાને સ્થિર થઇ જાય છે છતાં ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય થયા કરે છે, સામાન્ય અને વિશેષ ઉપયાગરૂપે અવાંતર ઉત્પાદ અને વ્યય અનુક્રમે થયા કરે છે. આથી જેએ આત્માને એકાંત નિત્ય માને છે તેના મતની સમીક્ષા થઈ ગઈ અને અત્ર સ્પષ્ટ રીતે બતાવ્યું કે સિદ્ધદશામાં ઉપજવા વિષ્ણુસવાપશુ નથી; ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય તેા થયા કરે છે અને છતાં સિદ્ધત્વમાં સ્થિરતા છે અને તદ્રુપ ચારિત્ર તે દશામાં પણ ખરાખર ઘટતી રીતે લક્ષ્ય થઈ શકે છે. બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે અને વેદાંત તેને એકાંત નિત્ય માને છે તે વાત અસમીચીન છે તે અત્ર બતાવ્યું. આવી નટનાગરની બાજી છે તે બ્રાહ્મણુ કે કાજી કાઇ પણ જાણી શકતા નથી, પારખી શકતા નથી, સમજી શકતા નથી, અર્થાત્ વેદ, પુરાણુ કે કુરાનમાં આત્માનુ એવુ કથંચિત્ નિત્યાનિત્ય સ્વરૂપ જોવામાં આવતું નથી. એ સ્વરૂપમાં એવી ખૂબી છે કે આત્મા એક સમયમાં સ્વસ્થાનકે ઉપજે, છતાં તેના ઉત્પાદ અને વ્યય થયા કરે અને તે પણ તે સ્થિર જ કહેવાય છે અને આવી રીતે તેમાં ઉલટપુલટ ભાવ થાય છે છતાં પણ તેનુ આત્મત્વ તા સ્થિર છે, તેની ધ્રુવ સત્તા છે એ સંબધી હકીકત અમે અન્યત્ર કોઈ જગ્યાએ દ્ધિ સાંભળી નથી. આવી રીતે એક જ વસ્તુ ઉપજે, વિષ્ણુસે અને ધ્રુવ રહે એવું તેનુ સ્વરૂપ અન્ય કાઇ વિશિષ્ટ સૂત્રકાર કે શાસ્ત્રકારે બતાવ્યું નથી અને દેખીતી રીતે તે ઉલટુ સુલટુ લાગે તેવું છે, નટની રમત જેવું છે અને તેને સમજનાર સમજાવનાર તેા કોઈ મહાવિચક્ષણ હાય તે જ તે નભી શકે તેમ છે. દેખે છે. જેટલુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ મહાચમત્કારી શબ્દો છે. તીર્થંકર મહારાજા ગણધરને ત્રિપટ્ટી આપે છે. તેમાં કહે છે કે પન્નેર્ થા વિનમેર્ થા ધ્રુવેર્ વા; આ ત્રણ પદ ઉપરથી જ ગણધરો આખી દ્વાદશાંગીની રચના કરે છે. પ્રથમ તેએ સર્વ વસ્તુની ઉત્પત્તિ દેખે છે, પછી તેના નાશ થતા દેખે છે અને તેની સાથે તેનુ ઘ્રુવત્વ એ ત્રણ પદાર્થ સ્વભાવમાં આખા જૈનશાસ્ત્રનું રહસ્ય સમાયલું છે તેથી તે પર વિવેચન કરવા ધારીએ તેટલુ થઈ શકે તેમ છે અને તેને માટે શાસ્ત્રકારોએ અનેક જગ્યાએ ચમત્કારી લેખા લખ્યા છે અથવા જૈન તત્ત્વજ્ઞાન એ સર્વ તત્ત્વમય જ એમ કહી અત્ર સ્થળસંકોચના કારણથી વધારે ન લખતાં આગળ ચલાવીએ છીએ. એક જીવની ઉત્ક્રાન્તિ, અપક્રાન્તિ, નિર્વાણુ જૂદાં જૂદાં દના કેવી રીતે માને છે, તેમાં વિધિ ક્યાં આવે છે અને જૈન દર્શન તેને અંગે શુ કહે છે તે પર લંબાણુ વિવેચન કરવાનું આ સ્થળ નથી, યથાવકાશ ઉદ્દાતમાં તે પર વિવેચન પ્રાપ્ત થશે, પણ એમાંથી એક ચમત્કાર ઉપજાવે તેવું સ્વરૂપ બતાવી તેની જૈનશાસ્ત્રાનુસાર વાનકી અત્ર બતાવી છે, સાથે ભલામણ કરવાની જરૂર છે કે એ સંબંધી વિશેષ જ્ઞાન સદ્ગુરુ પાસેથી સમજી ખાસ વિચારવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy