________________
૧૨૮
શ્રી આનંદઘનજીનાં પદા તેને શીખવે છે કે ધન અસ્થિર છે, પીગલિક પ્રેમ બેટ છે, શરીર અને પડવાનું છે. સ્ત્રી પુત્ર વાર્થનાં સંબંધી છે, સંબંધ છેડા વખતનો છે, અનંત જ્ઞાન એ તારું સ્વરૂપ છે અને તેને પ્રગટ કરવા તારે પ્રબળ પુરુષાર્થ કરવો ઉચિત છે. આ સ્વપર જ્ઞાનને બતાવનાર અનુભવપ્રીતિ હવે જાગ્રત્ થઈ છે તેથી બહુ આનંદ આવી ગયું છે, તેનું વિશેષ વર્ણન કરતાં ચેતન શુદ્ધ ચેતનાને કહે છે.
कहां दिखाई औरकुं, कहां समजाउं भोर;
तीर* अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. सुहा० ३ “બીજાને તે હું કેવી રીતે દેખાડી શકું? ભોળા પ્રાણીને તેનું સ્વરૂપ હું કેમ સમજાવી શકું? પ્રેમનું તીર રામબાણ છે અને જેને તે લાગે છે તે નિશ્ચળ રહે છે.”
ભાવજ્યારે અનુભવ ઘટમંદિરમાં દીપક કરનાર છે અને વસ્તુસ્થાપન બહુ ઉત્તમ રીતે કરે છે એમ આ જીવને કહેવામાં આવ્યું ત્યારે તેણે ચેતનને અનુભવજ્ઞાન બતાવવા વિનંતિ કરી. તેને ચેતન જવાબ આપે છે કે-અનુભવજ્ઞાન એ કાંઈ પીગલિક વસ્તુ નથી, હાથમાં લઈને પુસ્તક પેન્સીલની જેમ તે બનાવી શકાય તેમ નથી. તેથી હું તમને તે કેવી રીતે બતાવી શકું? વળી મૂ–અજ્ઞાની જીવ જેને સંસાર છોડ્યા વગર છોકરાં, સ્ત્રી સાથે મેક્ષમાં જવું છે તેને તેનું સ્વરૂપ હું સમજાવું પણ શી રીતે ? જ્યારે ચેતને કહ્યું કે બતાવી શકાય તેવું અનુભવજ્ઞાનનું સ્વરૂપ નથી ત્યારે શિવે સમજાવવાની માગણી કરી તેને પણ ગુરુમહારાજ કહે છે કે સમજાવવાથી તારા ગ્રાહ્યમાં પણ આવી શકે તેમ નથી, કારણ કે તું હજુ આત્મિક જ્ઞાનમાં તદ્દન પછાત પડી રહેલ છે. તારે તેનું સ્વરૂપ સમજવું જ હોય તો હું તેની એક નિશાની બતાવું છું તેથી તને તેને કાંઈક ખ્યાલ આવશે અને તેથી તું એ સ્વરૂપ સમજી લેજે કે-એ અનુભવનું તીર અમેઘ છે, મૂક્યા પછી કામ સાધીને જ પાછું આવે છે, રામબાણ છે. રામબાણ જેવું બાણ જે પશુને કે મનુષ્ય. ને લાગે છે તે સ્થિર જ થઈ જાય છે, હાલી ચાલી શકતું નથી. આ અનુભવનું બાણ જેને લાગ્યું હોય છે તે તેમાં નિશ્ચળ રહે છે, સ્થિર રહે છે, સ્થાયી રહે છે. કામદેવનું બાણ વાગે ત્યારે રતિપ્રેમી માણસ જેમ તેમાં લીન-સ્તબ્ધ થઈ જાય છે તેમ અનુભવનું તીર વાગ્યા પછી એકદમ આ સ્થિર થઈ જાય છે, પરિણામની ચંચળતા હોય તે મટી જાય છે. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ હોય છે તે દૂર થઈ જાય છે અને વૃથા દડાદેડી બંધ થાય છે.
ડત દડત દેહત દેડીએ, જેતી મનની દેડ-જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારે ટુકડી, ગુરુગમ લેજે રે જેહ-જિનેશ્વર
* “તીર ન ચૂકે પ્રેમકા ” એ પાઠાંતર છે. a કહાં-કેવી રીતે. ભર=મૂર્ખ, જનાવર જે. અચૂક=અમેધ. ઠોર નિશ્ચળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org