________________
શ્રી આનંદઘનજીનાં ય પિતાને તેની સાથે સંબંધ શું છે એનું જ્ઞાન થાય છે, આત્મિક અને પૌગલિક પદાર્થને તફાવત સમજાય છે, તેમાં મનને વિશ્રાંતિ મળે છે, અન્ય વસ્તુઓના જ્ઞાનથી પિતાને તેની સાથેનો સંબંધ કેટલો અસ્થિર છે તે સમજાય છે અને તે જ્ઞાનરસને પાનમાં અપૂર્વ આનંદ થાય છે તેને અનુભવ કહેવામાં આવે છે. બનારસીદાસ પણ સમયસાર નાટકમાં
વસ્તુ વિચારતા થાવ, મન પાલે વિસરામ;
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ થાકે નામ. એવા નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે અને તેને અને શુદ્ધ ચેતના પ્રાપ્ત કરવાના પ્રયાસને અતિ ઉત્કટ સંબંધ હોવાથી તે જ્ઞાનને જ ગીઓ ખરું જ્ઞાન કહે છે. સામાન્ય રીતે વસ્તુને બોધ થાય તેને શાસ્ત્રકાર વિષયપ્રતિભાસ જ્ઞાન કહે છે, તેથી કેમીસ્ટ(પૃથક્કરણ કરનાર વિજ્ઞાની)ની પેઠે વસ્તુસ્વભાવ કહેતાં આવડે છે, પણ જ્યાં સુધી વિવેકપૂર્વક સ્વપરની વહેંચણી સાથે તત્વસંવેદન જ્ઞાન થાય નહિ ત્યાં સુધી તેને શ્રી હરિભદ્રસૂરિ આદિ મહાત્માઓ વાસ્તવિક જ્ઞાન કહેવાની ના કહે છે, તેવી જ રીતે ઉપર ઉપરથી અધ્યાત્મની કે યોગની વાત કરનારને પહેલી ભૂમિકા ઉપર જ યોગીઓ મૂકે છે. જેમ જેમ જીવ ભૂમિકા ચઢતો જાય છે તેમ તેમ તેને સ્વરૂપજ્ઞાન થતું જાય છે અને તેથી યોગના ગ્રંથમાં અનુભવજ્ઞાનની મુખ્યતા કહેલી છે. અનુભવજ્ઞાન સંબંધી વિવેચન આ ગ્રંથની ભૂમિકામાં તથા અન્યત્ર વારંવાર આવ્યા કરે છે તે વિચારવા યોગ્ય છે.
વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી ચેતન પિતાની શુદ્ધ ચેતનાને કહે છે કે-હે સોભાગ્યવતી ચેતના! તારી સાથે અનુભવજ્ઞાનરૂપ પ્રીતિ હતી તે હવે જાગ્રત થઈ છે. હું અત્યાર સુધી કુમતિને વશ પડ્યો હતો તેથી ઘર, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, સગાંસંબંધીને મારાં પિતાનાં માનીને સંસારમાં મસ્ત રહ્યો હતો અને તેને તદ્દન ભૂલી ગયું હતું, મારું સ્વરૂપ તું છે એ વાત પણ મારા સ્મરણમાંથી ખસી ગઈ હતી, કારણ કે મેં અજ્ઞાનરૂપ મદિરાનું પાન કર્યું હતું, મારી તે સ્થિતિ અનાદિ કાળથી ચાલી આવતી હતી, તેથી મદિર પીનાર માણસ ઘેનમાં પડી પોતાની જાત પર અંકુશ ખોઈ બેસે છે અને જેમ તેમ લવાર કરે છે તેવી મારી પણ સ્થિતિ થઈ ગઈ હતી. આ જે નિદ્રા-મૂછ આવેલી હતી તે અનુભવપ્રીતિ જાગ્રત થવાથી તારા સંબંધને લઈને ઊડી ગઈ, પિતાની વહાલી સ્ત્રી સાથેના સંબંધને અંગે માણસ જેમ ભૂખ કે ઊંઘ ભૂલી જાય છે તેમ તારી સાથેની અનુભવપ્રીતિ જામતાં મારી ઉપરોક્ત નિદ્રા પિતાની મેળે જ ચાલી ગઈ નાસી ગઈ, ખસી ગઈ
અનુભવજ્ઞાન જાગ્રત થતાં જ મહ ખસવા માંડે છે એ સમજવાની જરૂર પડે તેવું નથી. મેહને સ્વભાવ સંસારમાં મુંઝવવાનો છે, જીવને ઘેનમાં પાડવાનું છે, જ્યારે અનુભવને સ્વભાવ જીવને પોતાના સ્વરૂપનું ભાન કરાવવાનું છે. તે આ જીવને સમજાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org