________________
૧૨૪
શ્રી આનંદઘનજીનાં પ અજહુ ચેત” ની જગ્યાએ કોઈ સ્થાનકે “અતિહિ અચેત ” એ પાઠ છે તેને અર્થ આ જીવ ઘણે અચેતન જે થઈ ગયું છે એમ થાય. જો કે તેનામાં ચૈતન્ય ગુણ છે પણ તેનું વર્તન જોતાં જાણે તે તદ્દન અચેતન હોય તેવું દેખાય છે.
ભાવ-અંતે આ સર્વ વૈભવ છોડી ચાલ્યા જવાનું છે એ તારા જાણવામાં આવ્યું ત્યારે હવે તું ચેત, શામાટે પડી રહ્યો છે? ઝેરને ઝેર જાણ્યા પછી પણ તેને સેવનાર ડહાપણવાળો ન જ ગણાય એ તું સારી પેઠે જાણે છે, છતાં શામાટે સંસારમાં પડી રહ્યો છે? હારિલ પક્ષી ઝાડ પર અથવા પાંજરામાં નીમની પર લટકાય છે ત્યારે તે એમ જ માને છે કે મને લાકડીએ પકડી રાખ્યો છે. વાંદરાને જ્યારે પકડવો હોય છે ત્યારે ગાગરમાં બેર ભરે છે અને તે વાંદરો તેની પાસે આવે છે. પછી બોર દેખીને તે લેવા ગાગરમાં હાથ ઘાલી મેટે મુઠ્ઠો ભરનાર વાંદરે તેમાં સપડાઈ જાય છે, તેને હાથ નીકળી શક્તા નથી. તે તે એમ માને છે કે મને ગાગરે પકડી રાખે છે; તે ભરેલ મુકું છોડતા નથી અને ખેંચતાણ ક્ય કરે છે. એવી જ રીતે આ જીવ માને છે કે ધન, સ્ત્રી, પુત્ર વિગેરેએ તેને ઝાલી રાખે છે તેથી તે સંસાર છોડી શકતો નથી, નિરુપાય છે, પણ બિચારાને ખબર નથી કે પાંજરાને માલિક આવી નીમની ખેંચી લેશે કે હારિલ નીચે પડશે, મદારી આવી ચાબખે લગાવશે કે મુઠ્ઠી છૂટી જશે, તેમ કાળ-તોપચી આવી પોતાને રેફ બજાવશે કે આ સર્વ માયા છૂટી જશે.
આવા ખોટા ખ્યાલમાં પડી જઈ આ પ્રાણી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને (હીરાને) ત્યાગ કરી દે છે, તેના તરફ પ્રેમ રાખતા નથી, તેને મેળવવા યત્ન કરતું નથી, તેની કિમતને ખ્યાલ કરતા નથી અને સંસારબંધનની માયારૂપ પથરી ઉપર મોહ પામી તેમાં મસ્ત રહ્યા કરે છે, તેમાં આનંદ માને છે અને તેમાં સાતા માને છે. વસ્તુતઃ સંસાર પરને રાગ કિમત વગરને છે, પથ્થર જેવો છે, જડ છે, અશાશ્વત છે, પણ મેહની મદિરા પીને ઉન્મત્ત થયેલે આ જીવ સારાસાર વિચાર કરતા નથી અને અક્ષય, અવિનાશી સુખ અપાવનાર જ્ઞાનાદિ રત્નત્રયની કિમત તેને આવતી નથી, તેને ત્યજી દે છે, તેનાથી વિરુદ્ધ વર્તન કરે છે અને સંસારમાં ઊંડે ઊંડે ઉતરતે જાય છે.
તેટલા માટે શ્રીઆનંદઘનજી મહારાજ ઉપદેશ આપે છે કે સુત, વનિતા, યૌવન, ધન વિગેરેમાં રાચવામચવાની તારી પ્રકૃતિ પડી છે અને સંસારને તું સુખનું સાધન-સુખરૂપ માને છે તેમાં તારી ભૂલ થાય છે, કાળને સપાટ લાગશે ત્યારે એ સર્વ મૂકી ચાલ્યા જવું પડશે, વળી તું માયામાં લપટાઈ તારા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય પણ કરતા નથી એમાં તારી મોટી ભૂલ થાય છે, માટે હે ભાઈ ! ચેત, આવા સારા વખતમાં ચેતીશ નહિ તે પછી પસ્તા થશે.
આખા પદને આશય એ છે કે, આ જીવ સ્વવસ્તુને ઓળખતું નથી અને પરભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org