________________
શ્રી આનંદઘનજીનાં પદે છે અને શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય લાગે છે, સંસારસ્વરૂપ વિચારતાં વિષય કષાય પર ખેદ આવે છે, ચિત્તની નિર્મળતા થાય છે, મન શાંત થાય છે અને જ્યાં ત્યાં ભ્રમણ કરવાની વૃત્તિ પર અંકુશ પડે છે, છેવટે મનમાં વિશ્રાંતિ આવી જાય છે અને આમઅનુભવ જ કરવા ગ્ય, દયાવવા ગ્ય, અનુભવવા ગ્ય છે એમ નિશ્ચય થાય છે, અન્ય વિષયમાં આનંદ પડતું બંધ થાય છે, સંસાર વધારનાર મહ મમત્વ પર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને સ્વગુણ પ્રગટ કરવાના માર્ગો સરળ દેખાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે.
તત્વપ્રીતિકર રસથી ભરપૂર આ ઘડી છે, તેમાં બીજી કઈ વસ્તુને સમાવેશ થઈ શકતા નથી, કોઈ પ્રકારની આશા નથી, ઈરછા નથી, શક નથી, ભય નથી, ખેદ નથી, જુગુપ્સા નથી, નિંદા નથી; એમાં તો સ્વપર વિવેચનરૂપ અનુભવને રસ જ એકલે ભરેલે છે. ઘડિયાળીની ઘડીમાં જે જળ ભર્યું છે તેમાં તે અનેક પ્રકારને મેલ, કાદવ ભરેલો હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર મારફત જેવાથી તેમાં અનેક જીવે તથા રેસાઓ વિગેરે દેખાય છે, પણ આ ઘડીમાં તે આત્માનુભવને જ રસ છે, એમાં અન્ય કોઈ નથી. એને વધારે બારીકીથી તપાસવામાં આવશે તે તેમાંથી ઊલટે વધારે સુંદર રસ મળશે, રસની શુદ્ધતા વધારે સારા આકારમાં દેખાશે, પણ તેમાં કઈ જાતને પરભાવરૂપ કચરે ન હોવાથી તે અન્ય સ્વરૂપે કદી દેખાશે નહિ,
ઘટમાં રહેલી આ ઘડીના રસને જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાં સુધી તેનું જ્ઞાન થતું નથી, સત્ય સ્વરૂપ સમજ્યા વગર તેના પર પ્રેમ થતો નથી, તે પ્રાપ્તવ્ય છે એમ દઢ નિશ્ચય વગર તે તરફ પ્રયાણ પણ થતું નથી. સાંસારિક ઉત્કૃષ્ટ સુખ પણ માત્ર માન્યતામાં જ છે, તેનાથી અનંતગણું સુખ આ સ્થિતિમાં છે, કારણ એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ બાપડો સ્વપ્નના રાજ્યને સાચું માને છે, ધન તથા સ્ત્રીને પિતાનાં માને છે, પચીશ પચાસ વર્ષ રહેવાના મુસાફરખાનાને ઘરનું માને છે, માની લીધેલી કીર્તિને માટે પ્રાણ આપે છે, સારાસારના વિચાર વિના કેવળ અંધપરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગોળ ચક્કર ફર્યા કરે છે અને નીચેથી ઉપર અને ઉપરથી નીચે આંટા માર્યા કરે છે; પરંતુ અચળ કળાને કઇ ભાગ્યવાનું પ્રાણી પ્રાપ્ત કરે છે. એ અચળ કળામાં નિરંતર આનંદ છે, એકાંત સુખ છે, નિવિકારી પ્રેમ છે; જે અનુભવરસનું પાન કરે છે તે જ તેને ભોક્તા બને છે, વાતો કરનારા જે વાતોમાં પરિપૂર્ણતા માને છે તેને તે કદી પ્રાપ્ત થતી નથી, મહાભાગ્યનો ઉદય થાય ત્યારે જ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિપ્રાપ્તિને માર્ગ આનંદમય છે, આકર્ષક છે, અનુકૂળ છે, પસંદ આવે તે છેપણ તેને પ્રાપ્ત કરવાના રસ્તામાં અનેક ઠગે બેઠેલા છે, તેઓ આ જીવને લલચાવી રમતમાં રોકી રાખી તેનું આત્મિક જાગૃતિરૂપ ધન લુંટી છે, પછી આત્મપ્રકાશ વગર આ જીવ ગહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org