SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદો આ વાત બરાબર સમજવા જેવી છે. લગ્નવેળા ઊંઘમાં ચાલી જશે, સવાર પડ્યા પછી ઘણો પસ્તા થશે, પણ તે નકામે છે. મજશેખની જિંદગીની પછવાડે વ્યાધિગ્રસ્ત શરીર, વૃદ્ધ વય અને અસ્થિર ગાત્ર થાય ત્યારે બહુ ખેદ થાય કે જીવન હારી ગયા, પણ પછી બહુ મોડું થાય છે, તે વખતને પશ્ચાત્તાપ નકામે છે; માટે હવે તું ઢીલ કર નહિ એ જ મહાત્મા શાંતસુધારસની ભાવનામાં કહે છે કે – यावदेहमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यता, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ॥ જ્યાં સુધી આ શરીર રોગથી મર્દિત થયું નથી અથવા વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયું નથી, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિય પોતાના વિષય સમજવાને સમર્થ છે, જ્યાં સુધી આયુષ્ય ક્ષય થઈ ગયું નથી, ત્યાં સુધીમાં હે જીવ! તું તારા કલ્યાણ માટે યત્ન કર; કારણ જ્યારે તળાવ ફૂટી જઈ પાણી બહાર નીકળવા માંડશે ત્યાર પછી તું પાળ કેવી રીતે બાંધીશ?” આ સ્થિતિ બરાબર વિચારવા યોગ્ય છે. તળાવમાંથી પાણી ચાલવા માંડશે ત્યારે હાથ દઈ શકાશે નહીં, માટે હાલની ઉત્તમ સ્થિતિને લાભ લે. હે ચેતન ! તું પોતે આનંદને સમૂહ છે, તારું તે સ્વરૂપ તારે પ્રગટ કરવાનું છે, માટે હવે તે તું શુદ્ધ નિરંજન નિરાકાર દેવની શુદ્ધ જ્ઞાનમય મત્તિનું ધ્યાન કર અને આ વિષયકષાયની આળપંપાળ છોડી દે. તારે સંસાર સમુદ્ર પાર પામવાને આ દૃઢ ઉપાય છે, માટે ભગવંત ભજનરૂપ હોડીને તું આશ્રય કર. આ પદ આધ્યાત્મિક છે. એને ભાવ બહુ વિચારવા ગ્ય છે. બહુધા ઘણાખરા જી સંસારસુખમાં આસક્ત રહી આત્મિક સુખને ખ્યાલ પણ કરી શકતા નથી. અને માની લીધેલાં વ્યવહારકાર્યમાં, ધન કમાવાની ધમાલમાં, પ્રાપ્ત વસ્તુના રક્ષણ અને ઉપભેગમાં, પ્રિય જન વિરહના કલેશમાં અને એવી અનેક બાબતમાં આયુષ્ય પૂર્ણ કરી નાખી આવ્યા હોય છે તેમ ચાલ્યા જાય છે અને ઘણી વખત નુકસાન વહોરીને જાય છે; મતલબ તેને ઉત્તમ જીવનને જે લાભ મળે જોઈએ તેને ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિ બહુ ખેદાસ્પદ છે એ ધ્યાનમાં લેવા અને ખાસ કરીને ચૈતન્યસ્વરૂપ નિરંજન ભગવાનની ભક્તિ કરવારૂપ ભાવનૌકાને ઉપયોગ કરવાની ખાસ આવશ્યકતા બતાવવા આ ૫૮ બહુ માર્મિક શબ્દમાં લખવામાં આવ્યું છે અને શાંત સ્થાનમાં એના લયમાં ગાન થાય છે ત્યારે ઊંડી આધ્યાત્મિક અસર ઉપજાવી શકે એવું તેમાં પદલાલિત્ય છે. Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy