SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः ॥ શ્રી આનંદઘનજીનાં પદો અર્થ વિવેચન સહિત -+6 — પ્રથમ પદ રાગ-વેલાવલ. क्या सोवे उठ जाग बाउरे. क्या० ए आंकणी. अंजलि जल ज्युं आयु घटत है, देत पहोरियां वरिय घाउ रे. क्या० १ “ હું ગાંડા ! તું શું સૂઇ રહ્યો છે ? ઉઠે, જાગ્રત થા. હાથના ખાખામાં રહેલા પાણીની પેઠે આયુષ્ય ઘટે છે; પહેરેગીર ઘડિયાળને ધા મારે છે. ” ભાવ—જ્ઞાની ગુરુમહારાજ આ જીવ વિષયકષાયમાં આસક્ત છે તેને ખરાખર ઉપદેશ આપવા માટે અત્ર કહે છે. વિષયકષાય એ વભાવદશા છે, એમાં ગમે તેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તે પણ આત્મિક અવનતિ જ થાય છે અને તેથી તેમાં પ્રવૃત્તિ કરનાર જીવ આત્મિક દૃષ્ટિથી તે ઊંઘતા જ હાય એમ જણાય છે. તું ખાય છે, પીએ છે, ક્રે છે, ધન કમાય છે, ઇંદ્રિયાના વિષયેા સેવે છે, પણ એ સ તને ઊંડા ખાડામાં ફેંકી દેનાર છે; તેથી હું ભાળા બધુ! તું એ તારું ગાંડપણ છોડી દે, ઉડ, જાગ્રત થા. તુ જરા વિચાર કર; દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક કલાકે, દરેક દિવસે, તારું આયુષ્ય ઘટતું જાય છે. તું સમજે છે કે વયમાં મોટા થયા, પણ તેટલું જીવન જે તે વાસ્તવિક રીતે પસાર કયુ નહિ હૈાય તે તે તારી ક્ષણા, કલાકે ને દિવસેા વ્યર્થ ગયાં છે. તારા આત્મિક વ્યવહાર શુદ્ધ ન હેાય, તારી આત્મજાગૃતિ ન થઇ હાય તે સ નિરર્થીક છે અને એ ખતાવવા માટે—તને આત્મિક કાર્યમાં જાગ્રત કરવા માટે આ પહેરેગીર દરેક કલાકે ઘંટ વગાડી તને ખખર આપે છે કે એક કલાક પસાર થઇ ગયા; એક ઘડી પસાર થઇ ગઇ; જે સમય પસાર થઇ ગયા તે ફરી વાર તને મળનાર નથી; ખેાખામાં ભરેલ Jain Education International ૧ કયા=શું. સાવે–વે છે, ઊંધે છે. બારૈગાંડા. અંજલિહાથના ખાખે. જલ=પાણી. જ્યુ'=જેમ. આયુ=આયુષ્ય. ઘટત હૈધટે છે. દેત=મારે છે. પહેારિયાં=પહેરેગીર. ધરિય=ઘડિયાળને. ધાઉ=ધા, પ્રહાર. ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy