________________
આનંદઘનના પદેનું રહસ્ય
૧૧૧ નીપજાવી શકાતાં નથી. પદેમાં ચેતનજી કેંદ્રસ્થ છે, સુમતિ એને ઉદ્દેશીને અનેક વિરહાલાપ કરે છે, શુદ્ધચેતના એને માટે તલસ્યા કરે છે અને અનુભવ એને સમજાવે છે. એમ લગભગ દરેક પદમાં ચેતનજીનું કેન્દ્રસ્થાન સાબૂત રહે છે અને એને માટે, એની પ્રગતિ કરાવવા માટે અનેક પ્રયત્ન કરવા સીધા અને આડકતરા ઉપદેશ આપ્યા છે, શિખામણ સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું ફેટન કર્યું છે. ગાનના સંબંધમાં મારે ઘણું ઉસ્તાદ ગવૈયાઓ સાથે વાત થઈ હતી, તેમના અભિપ્રાય પ્રમાણે આનંદઘનજીનું ગાન સંગીતશાસ્ત્રને અનુરૂપ છે, એમની કૃતિમાં કઈ પણ સ્થળે યતિભંગ થતું નથી અને સરળતાથી તેનાં પદોનું ગાન થાય છે. સંગીતશાસ્ત્રને મને ખાસ અભ્યાસ ન હોવાથી આ બાબતમાં મારા અભિપ્રાયની બહુ કિમત ન ગણાય, પરંતુ સંગીતશાસ્ત્રમાં પ્રવીણ ગણતા ગાયકો આ બાબતમાં ઘણે ઉચ્ચ અભિપ્રાય આપે છે. ગાયન હદયને અસર કરનાર છે, ચિત્તની એકાગ્રતા કરનાર છે અને અનંત જીતવાણા એ પદથી શાસ્ત્રકારે પણ એ આત્મોન્નત દશાના ગાનની ઘણું ઉરચ કોટિમાં ગણના કરી છે તે પરથી જણાય છે કે જ્યારે સંગીતના સર્વ સાજ સાથે આતમરાજને ઉદ્દેશીને સુવિહિત ગાન લય સાથે ચાલે, ત્યારે ત્યાં અભુત દશા ઉત્પન્ન થાય છે. સુપ્રભાતના પાંચ વાગ્યાના સમયે, મંદમંદ શીતળ પવન વાતે હોય, ચરાચર પૃથ્વીના વ્યાપાર શાંત હોય, વાતાવરણમાં કઈ પ્રકારની કિલષ્ટતા ન હોય તેવે સમયે મધુર કંઠમાંથી હૃદયના ભાવ સાથે ગાયનલય ચાલે અને સાથે મૃદંગ આદિનો યોગ્ય સાજ કળાનિપુણ પુરુષના હસ્તથી ચાલતું હોય ત્યારે આત્મા અભિનવ ઉન્નત દશા અનુભવે છે. આવા પ્રકારની અદ્ભુત દશા આનંદઘનજીનું પ્રત્યેક પદ ઉપજાવી શકે છે તેમ બહુ દૃઢતાથી કહી શકાય તેવું છે. તે હકીકત આનંદઘનજી જેવા મહાપુરુષનું સંગીતના વિષયમાં રહેલું સૂક્ષ્મ જ્ઞાન પણ બતાવી આપે છે. એક પવિત્ર આત્માં ગમે તે વિષયમાં પ્રવેશ કરે ત્યાં તે આરપાર નીકળી જાય છે એનું આ એક દૃષ્ટાંત છે. પદ પર ઘણું કહી શકાય, એના પ્રત્યેક વાક્ય પર પાનાંનાં પાનાં ભરાય તેટલું વધારે લખાય તેમ છે. પાંચમા પદ જેવા એક પદ પર આખો ગ્રંથ લખવો હોય તે લખાય તેમ છે, પરંતુ જેમ બને તેમ હદમાં રહી વિવેચન કરવું એગ્ય ધાર્યું છે. કવિ પોતે વિશાળ અવલેકનકાર છે કે એનાં પદના ભાવમાં બહુ લખી શકાય. વાચનારાઓ આનંદઘનજીના યોગના સંબંધમાં ખાસ જાતે વિચાર કરી જશે. “ગ” સંબંધી મારો જૂદો લેખ વાંચી આનંદઘનજીને જૈન યુગમાં કયું સ્થાન મળે છે તે વિચારી લેશે. પદો પર ઘણું વધારે લખી શકાય તેમ છે અને અન્યત્ર અન્ય માણસે તે પ્રયત્ન હજુ પણ કરશે એટલું જણાવી આ ઉપદુઘાત ગૌરવમાં વધારે થઈ ગયેલ છે તેથી કેઈ રહી ગયેલ બાબત હજુ ગ્રંથના બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે મહાત્માના વિચારો અને તે પરના વિવેચનને મૂળ વિષય હાથ ધરીએ. એ મહાત્માને સમજવા માટે એટલી ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રાદિ દ્વારા વિચારણું આવશ્યક હતી તે અત્ર સામાન્ય રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org