________________
૧૦૮
શ્રી આનંદઘનજી અને તેને સમય પાતપણે અને માત્ર એક્ષપ્રાપ્તિનો હેતુ સાધ્ય થાય તેવી રીતે આ વિષય ઉપર અન્ય મહાશયે જરૂર વિચાર બતાવી આ ચર્ચા પર વિશેષ પ્રકાશ પાડવા તસદી લેશે.
આનંદઘન અને ચિદાનંદ (અથવા લાભાનંદ અને કપૂરવિજય.)
પ્રથમ મહાપુરુષ સત્તરમી સદીના પેગીને નમૂને હતા, દ્વિતીય ઓગણીશમી સદીમાં તેની કાંઈક વાનકી બતાવનારા હતા. પ્રથમના મહાપુરુષનું નામ લાભાનંદ હોઈ તેમણે પદો વગેરે આનંદઘનના નામથી લખેલાં છે અને તે નામથી તે સુપ્રસિદ્ધ છે, દ્વિતીય મહાત્માનું નામ કપૂરવિજય હોઈ તેમણે પદે, પુદ્ગલગીતા અને સ્વરદયજ્ઞાન તથા કેટલાક છૂટક સવૈયાઓ વગેરે ચિદાનંદજીના નામથી લખેલાં છે. પ્રથમ મહાત્મા વૃદ્ધ ઉમ્મર સુધી આદર્શ જીવન વહન કરી પૃથ્વીતળ પાવન કરતા હતા એમ લેકકથા ચાલે છે, દ્વિતીય જ્યારે ગિરનાર પર્વત પર છેલ્લા સંવત્ ૧૯૦૬ કે ૧૯૦૭માં દેખાયા ત્યારે તેમની વય ૩૨ વર્ષથી વધારે નહોતી. ચિદાનંદજીનાં પદોમાં વૈરાગ્યની પિષણ વિશેષ છે, આનંદઘનજીનાં પદમાંથી યેગને ઊંડે અભ્યાસ અને આત્મતત્ત્વચિંતવન બહાર આવે છે. આનંદઘનજીને ભેગાભ્યાસ ઘણે તીવ્ર અને હદયભાવના ઉરચ જણાય છે ત્યારે તેના પ્રમાણમાં ચિદાનંદજીનું
ગરહસ્ય કાંઈક મંદ હશે એમ મને જણાય છે. બંનેની દશા બહુ સુંદર હતી. કરવિજયને જેમણે જોયા હતા તેમની પાસેથી તેઓશ્રીના સંબંધમાં ઘણી વાત સાંભળી છે. ભાવનગરમાં તેઓ ચાતુર્માસ સ્થિત થયા હતા અને સંવત ૧૯૦૨માં ગોડી પાર્શ્વનાથનું પદ બનાવ્યું હતું એમ તેઓના નવમા પદ ઉપરથી જણાય છે, તે સર્વ હકીકત ઉપરથી તેઓની લઘુ વયમાં બહુ સારી દશા હતી એમ જણાય છે. તેઓના “લઘુતા મેરે મન માની”
કથની કથે સહુ કેઈ” વિગેરે ઘણાં પદે બહુ ઉચ્ચ બોધ અને રહસ્યજ્ઞાન આપે તેવાં છે અને તે બહુ માણસે હાંશથી ગાય છે, સાંભળે છે અને તેમ કરીને આત્માને પવિત્ર કરે છે. અત્ર તેમનાં પદો ટાંકવાનું સ્થળસકેચથી બની શકે તેમ નથી. અવારનવાર આ પદેના વિવેચનમાં તેમનાં ટાંચણે આવશે.
આવી રીતે આનંદઘનજી મહારાજનું ચરિત્ર જૂદી જૂદી દષ્ટિથી વિચારવાને પ્રસંગ આપણે પ્રાપ્ત કર્યો. આવા મહાત્માનું ચરિત્ર વંચાય, લખાય અથવા તેની યેજના કરવામાં સમય જાય તે સર્વ સુવ્યવસ્થિત અને ઉપયેગી બાબતમાં ગાળેલી વખત ગણવે. આનંદઘનજી મહારાજ એટલી ઉન્નત દશા પ્રાપ્ત કરી શક્યા હતા કે તેઓના સંબંધમાં જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે ત્યારે મનમાં એક પ્રકારને અભિનવ આલાદ થાય છે, ચિત્તમાં એક પ્રકારની શાંતિ થાય છે, આત્મા જાણે કાંઈ વિશિષ્ટ ઉન્નત દશા અનુભવવાની સ્થિતિમાં પેસતો હોય એવું સહજ ભાન થાય છે. આનંદઘનજી ઉપર લેકે એ અનેક ત્રાસ વર્તાવ્યા છે અને તેઓની ઘણી જ છેટી રીતે નિંદા કરી છે એમ અષ્ટપદી ઉપરથી જણાય છે છતાં તેઓને એક રામ પણ પરભાવપરિણતિવાળો ન થયો એ પ્રમાણે સાંભળવામાં આવે છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org