________________
ઉપાધ્યાય સાથે આનંદઘનજીની સરખામણી
૧૦૭ છે તેવા ભારે શબ્દોમાં પિતાની કોઈ પણ પ્રશસ્તિમાં અન્ય સમકાલીન પુરુષ માટે લખ્યું નથી. શ્રીવિનયવિજયજી માટે શ્રીપાલરાસની પ્રશસ્તિમાં શબ્દો લખ્યા છે તે તેઓની લાયકાત બતાવવા પૂરતા પણ થયા, પરંતુ અષ્ટપદીના શબ્દો સાથે તેની સરખામણી થાય તેમ નથી. આ સર્વ શું બતાવે છે તે કહેવાની હવે બહુ જરૂર રહેતી નથી. આનંદઘનજી પિતાના યોગના વિષયમાં અતિ પ્રગટ થયેલા હતા, તેમની વ્યકત આધ્યાત્મિક શક્તિ તેઓના સમકાલીન સત્યવિજય પંન્યાસ અને યશવિજય ઉપાધ્યાય જોઈ શક્યા હતા અને તે ન સમજી શકે તેવા કેટલાક પ્રાણીઓએ તેમને ખેદનાં કારણે પણ આપ્યાં હશે અને તે વખતે તેના સંબંધમાં સારી રીતે વાતો પણ ચાલતી હશે એમ નિર્વિવાદ જણાય છે. ઉપાધ્યાયજી તેમની પાસે સુવર્ણસિદ્ધિ શાસનહિત સારુ લેવા ગયા અને જરા અધીરા થઈ જવાથી તેમને અગ્ય જાણી યુગવિદ્યા કેઈને બતાવ્યા સિવાય આનંદઘનજી દેહ છોડી ગયા એમ જે વાત દંતકથારૂપે ચાલે છે તેમાં રહેલા હાર્દ માટે અતિ આનંદ થાય છે, પરંતુ જે બન્ને મહાત્માઓના સંબંધમાં એ વાત કહેવામાં આવે છે તેઓ સુવર્ણ સિદ્ધિ જેવી લબ્ધિ સિદ્ધિઓ જે પગલિક છે અને વેગથી પતિતાવસ્થા સૂચવે છે અને જેને ત્યાગ કરવા પતંજળિ જેવા પણ કહે છે અને જેન યોગકારો તો શરૂઆતથી જ પરભાવરમાણુતા ત્યાગ કરવાનું શીખવે છે તેને માટે વિચાર પણ કરે તે મારા ગ્રાહ્યમાં આવી શકતું નથી. એકંદરે એક મહાત્મા (યશોવિજયજી) અતિ પુરુષાર્થ કરી શાસનને દીપાવનાર, અનેક શંકાઓ છેદનાર, અનેક કુતર્કોને કાપી નાખનાર, વિજયડંકો વગાડનાર, પોતાની તરફના તિરસ્કારની દરકાર નહિ કરનાર, શાસનની એક પણ બાબતમાં ઉપેક્ષા ન કરનાર આત્માથી પુરુષ હતા. તેમનાં પુસ્તકો વાંચતાં આજ પણ અકકલ કામ કરે તેમ નથી અને તેઓની સૂફમ વિવેચક શૈલી સમજનાર પણ હજુ ઉત્પન્ન કરવા યોગ્ય છે, ત્યારે બીજા ( આનંદઘન) આત્માની જ દરકાર કરનાર, દુનિયાને અંધ સમજનાર, પિતાને “બાવરા ” ગણાવનાર, અતિ નિઃસ્પૃહીઝ, પિતાના દૃષ્ટાન્તથી અનેક પ્રાણીને ધર્મની સન્મુખ કરી દેનાર, યોગમાં અતિ આગળ વધેલા અને સન્મુખ જીવ હતા. બને મહાપુરુષ હતા; એક યોગી હતા, બીજા કર્મયોગી હતા; અને બન્નેની સરખામણી કરવાના વિચારમાં એકનું સ્વરૂપ યાદ કરતાં તેને માટે અતિશય ખેંચાણ થાય અને બીજાને વિચાર કરતાં વળી તેથી પણ વધારે આનંદદાયક સ્થિતિ થાય એવા અપૂર્વ ઓજસ્વી પુરુષ બને હતા. આવી રીતે આ બન્ને મહાપુરુષોની સરખામણીનું પરિણામ બન્નેના લાભમાં ઊતરે છે અને ખાસ જરૂર જણાશે તે આ મુદ્દાના સમર્થનમાં શાસ્ત્રના અનેક પૂરાવા આ પુસ્તકના આગળના ભાગમાં આપવામાં આવશે. શાંત દૃષ્ટિએ, નિષ્પક્ષ
• શરીરના સંરકાર અને દુનિયાના પરિચયથી રહિત હોવાને લીધે તેને માણસે બાવરા કહેતા હતા.
x શાસનવિરોધીઓને સખ્ત શિક્ષણ આપવામાં દુનિયાની અથવા તેના લાભની જરા પણ સ્પૃહા રાખનાર ન હોવાથી નિઃસ્પૃહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org