SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ માનધન અને યશવિજય–એક સામ્ય ૧૦૫ કયું સ્થાન પ્રાપ્તવ્ય છે તે ખ્યાલમાં લેવાની જરૂર છે. બહુ વિચાર કરતાં એમ જણાય છે કે આ મને મહાત્માનાં કાર્યક્ષેત્ર લગભગ તદ્દન જૂદાં હતાં: એક મહાત્મા આત્મિક ઉન્નતિના વિચાર કરનારા હતા, એક પાપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનાર હતા. એક યાગી હતા, એક કમ યાગી હતા ( અહીં કર્મ શબ્દ વિધિવિધાનના અર્થમાં વપરાતા નથી પણુ • સેવા ’ના અર્થમાં વપરાય છે ); એકને દુનિયાની દરકાર નહેાતી, એક કામની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઈ કામ કરનાર હતા. આવી અનેક રીતે અન્ને એક બીજાથી તદ્ન જૂદી દિશાએ કામ કરનારા હતા અને પેાતાના ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીને યાગ અને અધ્યાત્મદશા દૃષ્ટાન્તરૂપ ગણાય છે અને યશેાવિજય ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઇ છે એટલું જ નહિ પણ તેમનાં વચન ઉપર મોટો આધાર રહી શકે છે, એ તેઓનુ અસાધારણ પાંડિત્ય અને તેના ઉપયાગ બતાવે છે. અસાધારણ વિદ્વત્તા સાથે તેના એવી સુંદર રીતે તેઓ ઉપયાગ કરી શકતા હતા કે અનેક પ્રકારની ચાલી આવતી શંકાઓનું તેઓ નિવારણ કરવાને શિકિતમાન થયા હતા. અધ્યાત્મના વિષય ઉપર તેઓ ઘણા સુંદર ગ્રંથા સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં લખી ગયા છે અને તત્ત્વજ્ઞાનના નમૂનાઓ તાવી વિદ્વાનને પણુ આશ્ચય માં નાખી ગયા છે. યશેાવિજયજી ઉપાધ્યાયની વિદ્વત્તાના સંધમાં બે મત પડે તેમ નથી, પર ંતુ આનંદઘનજીની દશા તદ્દન જૂદા પ્રકારની હતી. તેઓએ પદોમાં અને ચાવીશીમાં અગાઉ જણાવ્યું છે તેમ સુ ંદર તત્ત્વજ્ઞાન બતાવવા ઉપરાંત પેાતાનું વર્તન લગભગ એવુ વૈરાગ્યમય કરી દીધેલું જણાય છે કે તેઓને વ્યવહારુ દૃષ્ટિવાળા લાકો ભગડ જેવા કહેતા અને હજી પણ તેના સંબંધમાં વિશાળ દૃષ્ટિવાળી સિદ્ધાન્તાનુયાયી સ્થિતિ સમજવાની શક્તિ પ્રાપ્ત ન થઇ હાય તેવા સામાન્ય પ્રવાહ પર રહેલા પ્રાણીએ તેમને નિશ્ચય નયાશ્રયી કહેવા લલચાઇ જાય છે. એવા અભિપ્રાય આપતી વખત નિશ્ચય અને વ્યવહારનુ ખરૂં સ્વરૂપ સમજવાની અને તે બન્ને આત્મસાધન પરત્વે એક જ સાધ્યની સપાટી ઉપર છે અને વસ્તુતઃ તેમાં તેવા ફેર નથી એમ વિચારવાની તસ્દી તેઓ લઈ શકતા નથી. આ સંબંધી યશેાવિજયજીએ સાડા ત્રણસે ગાથાના સ્તવનની સેાળમી ઢાળમાં એકાંત વ્યવહાર પક્ષ આદરનારને નકામા જણાવ્યા છે અને સાધ્ય નિશ્ચયનું છે તે રાખવા ચેગ્ય જણાવી ક્રમસર આગળ વધવા સૂચના કરી છે તે સારી રીતે વિચારીને સમજવા યાગ્ય છે. તે આખી ઢાળથી એક વાત ખરાખર સ્પષ્ટ થાય છે અને તે એ છે કે વસ્તુતઃ શ્રી જિનેશ્વર મહારાજના દનને અનુસરનાર નિશ્ચય અને વ્યવહારમાં કશે। વિરાધ નથી. આવી રીતે વિવેકપૂર્વક વિચાર કરતાં આનંદઘનજી જેઓના વર્તન સંબંધી ચાલી આવતી વાત સાંભળતાં અને પઘરત્ના વાંચતાં તેને આત્મા અતિ ઉન્નત થયેલા હાય એમ સ્પષ્ટ જણાય છે. તેઓ અનુભવપૂર્વક અમુક અંશે વ્યવહાર પ્રવૃત્તિયુક્ત છતાં નિશ્ચયના અથી હતા, વ્યવહારથી ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy