SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી આન ધનજી અને તેના સમય ઉચ્ચ કોટિના વિષયેા હાથમાં લે છે અને જાણે તેના અધિકારી સામાન્ય જનપ્રવાહથી જરા આગળ વધીને તેમને સાંભળવા તૈયાર થયેલા હાય એમ ધારીને ચાલે છે. આનદઘનજીનાં પદોમાં ચેગ અને તત્ત્વજ્ઞાન ભરપૂર છે અને તેને અનેક રીતે ચર્ચા આ અતિ અટપટા વિષયને તેઓએ બહુ સુંદર રીતે ન્યાય આપ્યા છે ત્યારે કબીરનાં પદો ચાલુ ઉપદેશ આપનાર છે. આનંદઘનજીનાં પદો વિશિષ્ટ અધિકારીને ઉદ્દેશીને બનાવેલાં છે ત્યારે કશ્મીરનાં પદો પ્રાકૃત પ્રવાહના માણસોને ઉદ્દેશીને તેના પર હિત કરવાની બુદ્ધિથી લખાયલાં છે. ભાષાશૈલી અને વિચારવામાં આવશે તેા બન્નેએ જેમ બને તેમ હિંદુસ્તાની ભાષાના સારી રીતે ઉપયાગ કર્યાં છે અને તે ભાષામાં એવું સત્ત્વ રહેલુ છે કે સમજ્યા પછી મહુ આનંદ આવે. આનંદઘનજીનાં કાઇ કાઇ પદેમાં ગુજરાતી ભાષાની અસર જોવામાં આવે છે તે કશ્મીરનાં પદોમાં બીલકુલ જણાતી નથી. કબીરનેા મા હિંદુ મુસલમાન સર્વ ધર્મને એક કરી નાખવાના હતા. આનંદઘનજી એવા વિચારા બતાવે છે કે જેને પરિણામે ધર્મના ઉપરના તફાવતને લઈ અરસ્પરસ દ્વેષ રાખવા યુક્ત નથી અને વસ્તુતઃ તેમાં કોઇ સાર નથી એમ જણાય અને સમદર્શિતા છતાં છેવટે શુદ્ધ અવએધ વિચારણાને પરિણામે થાય, આ તેઓનુ લક્ષ્યબિન્દુ છે. આપણે કબીરનાં પદે કેવા પ્રકારનાં છે વિચારવા માટે તેની જરા પર્યાલાચના કરીએ, સ્થળસ કાચથી વધારે પટ્ટાનાં ટાંચણુ થઈ શકશે નિહ પણ તેના નમૂના અત્ર જરૂર બતાવીએ. કૈસા. " કૈસા. ૨ કૈસા. ૩ કૈસા હેંગ કમાયા, યે કયા ઢાંગ મચાયા છે, જટા બટાઈ વિભૂત ચઢાઇ, જગમે' કહેતા સિદ્ધા; સિદ્ધની તા માત ન જાણું, ચેતા કાલકા ગદ્ધા. ભગવે કપડે સીર મુડાવે, કહતા મેં સન્યાસી; સન્યાસીકી ગત હૈ ન્યારી, ય તે પેટકે ઉપાશી, ગલા કફની શિમે ટોપી, કહતા ફકીર મૌલા; ફકીર હૈ તેા સબસે ન્યારા, થૈ । કૃછતખીશ. કાન ફાડ કર મુદ્રા ડારી, નાથ કહાવે ભારી; નાથનકી તા ગત હૈ ન્યારી, ચે તા દેખે પરનારી. હાતમે' સાટા ઘરઘર ફિરતા, કહતા એ નાનકશાઇ; પૈસે ખાતર શીર કુંડાવે, દેખે અપની માઇ. કહત કબીરા સુન ભાઈ સાધુ, સખ સંતનકા છે.શ; રામ નામ બિન મુક્તિ ન પાવે, યેહી પથ હમારા. કૈસા. કૈસા. પ્ કૈસા. ક આ પદમાં બતાવેલા વિચારે સાથે આનઘનજીના ૪૮ મા પદ્મના વિચારે સરખાવી. એ તેા લગભગ સરખા વિચારો જણાય છે. એ અડતાળીશમા પટ્ટના કર્તાના સંબંધમાં કોઈ જરા શકા ઉઠાવે છે, તેથી તેને હાલ બાજુ ઉપર મૂકીએ તે સત્તાવીશમા પટ્ટમાં બતાવેલા વિચારા અને ખાસ કરીને સડસઠમા પદ્મમાં રામ કડા રહેમાન કહેા કાઉ' એમ કરીને 6 Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy