________________
આનંદવનને આગમબેધ આપણે ઉપર પણ જોઈ ગયા છીએ. શ્રી શીતળનાથનાં સ્તવનમાં બતાવેલી ત્રિભંગીઓ આ વાત ખાસ બતાવે છે, મુનિસુવ્રતસ્વામીના સ્તવનમાં આત્મતત્ત્વ બતાવતાં તર્કનાં કતનાશાદિ દૂષણે સારી રીતે ચચી ન્યાયનું જ્ઞાન બતાવી આપ્યું છે. એકવીશમાં સ્તવનમાં ષદર્શનનું સ્વરૂપ સુંદર રીતે બતાવી ઉત્તમાંગ પર વિચારણા કરવાને પ્રસંગે સ્ટાન્કારાંતિ નયસમૂહને શુદ્ધ દર્શન બતાવી, તેથી શૂન્ય નયને નિરુપયેગી સમજાવી, છએ દર્શનેનું જ્ઞાન ઘણી સારી રીતે તેમને હોય એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે, દ્રવ્યગુણપર્યાય અને નયનું જ્ઞાન અઢારમા સ્તવનમાં પાંચમા પદમાં બહુ ઉત્તમ રીતે બતાવી આપ્યું છે અને ખાસ કરીને પાંચમા પદમાં એવા વિસ્તૃત વિષયોને નટનાગરની બાજીને અંગે એટલી સારી રીતે ટૂંકામાં બતાવી આપ્યા છે કે એ વાંચવાથી એના પર અનેક વિચાર થાય અને આનંદઘનજીના જ્ઞાન સામર્થ્ય માટે બહુ ઉરચ પ્રકારને ખ્યાલ થાય. લગભગ દરેક સ્તવનમાં અને દરેક ગાથામાં એવી વાતો બતાવી છે કે તેના આગમને અતિ સુંદર અવબોધ આનંદઘનજીને હતો એમ સ્પષ્ટ જણાય. પદની અંદર પણ આવી જ સ્થિતિ છે. આ બાબત પર જુદો ઉલેખ લખવાની જરૂર જણાતી નથી, કારણ કે તેમ કરવા જતાં લગભગ દરેક સ્તવન પર અને ઘણાં પદે પર વિવેચન કરવું પડે તેમ છે. સંક્ષેપમાં એમ કહી શકાય તેમ છે કે આનંદઘનજીનું સામર્થ્ય મજબૂત હોવા સાથે તેઓને આગમબંધ બહુ ઊંચા પ્રકારને હતે. વીશીનું કઈ પણ સ્તવન ઉઘાડી મનન કરવાથી આ બાબત ગ્રાહ્યમાં આવશે.
કબીર અને આનંદઘન આનંદઘનજીનાં પદેના સંબંધમાં એવું ઘણી વખત સાંભળ્યું છે કે તેઓનાં પદે કબીરનાં પદોને મળતાં છે અને કઈ કઈ કબીરનાં પદે આનંદઘનજીના નામ ઉપર માણસોએ ફેરવી નાખ્યાં છે. અગાઉ જોઈ ગયા છીએ કે પછવાડેની આ હકીકતમાં સરચાઈ હોવાને હજુ સુધી એક પણ પુરાવો મળ્યો નથી ( જુઓ ઉપઘાત આગળ). હવે કબીરના સંબંધમાં આપણે સહજ વિચાર કરીએ અને તેના કઈ કઈ પદેની સરખામણી આનંદઘનજીનાં પદો સાથે કરી આ જરા રસાળ વિષય ઉપર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ. કબીરના દુહા તેમ જ પદે વાંચતાં તે સર્વ મત મતાંતરમાંથી સત્ય શોધી કાઢી તેને અનુસરવાને ઉપદેશ આપે છે, એમ જણાઈ આવે છે. પરમસહિષ્ણુતાના સંબંધમાં વિચારે ઘણા ઉદાર હતા એ આપણે આ ઉદ્દઘાતમાં ઉપર જોઈ ગયા છીએ. કબીરનાં પદે વૈરાગ્યના વિષયને પિષનારા અને મનુષ્યની વ્યવહારુ વૃત્તિને અસર કરનારાં છે જ્યારે આનંદઘનજીનાં પદોમાં વૈરાગ્ય ઊંડાણમાં રહે છે. જ્યારે યુગના વિષયને તેઓ વધારે પિષે છે અને આત્માની અંદર રહેલા ગુપ્ત ગુણોને પ્રાદુર્ભાવ કરાવવા માટે તેઓ માટે પ્રયાસ કરતા હોય એમ જણાઈ આવે છે. કબીરનાં ઘણુંખરાં પદમાં વ્યવહારોપયોગી શિક્ષા આપવામાં આવી હોય છે ત્યારે આનંદઘનજી તેથી ઘણું આગળ વધી ગયેલ હોય તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org