SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ શ્રી આનઘનજી અને તેના સમય કરવામાં આવે છે. આનંદઘનની અલક્ષ્ય જ્યાતિના વિશાળ વિષયમાં અનુભવને પ્રાધાન્ય સ્થાન ત્રેવીશમા પટ્ટમાં આપવામાં આવ્યું છે અને અઠાવીશમા પટ્ટમાં આશા એરનકી ન કરવાનાં પરિણામમાં અનુભવલાલી જાગ્રત કરવાને ઉપદેશ આપ્યો છે. મિલાપીના મેળાપ કરાવી આપવા તેત્રીશમા પટ્ટમાં અનુભવને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે અને આ વિભાગના પચાસમા પમાં પણ શુદ્ધચેતના અનુભવની સાથે મન મૂકીને પતિને મનાવવાના માર્ગ પર વિચારણા કરે છે. આવી રીતે આનંદઘનજીના ચેગમાં અનુભવને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે એ ઘણી અગત્યની ખબત હાવાથી અને પદ્મના અર્થ –ભાવ સમજવામાં તે ખાસ ચાવી હાવાથી અહીં તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે મહાત્માએ અનુભવ જેવા વિષયને આવા અનેક આકારમાં ચિતર્યા હશે તેની આત્મદશા કેવી સુંદર હશે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. એવા મહાપુરુષો જગતની જાળથી દૂર રહી, આત્મસ્વરૂપવિચારણામાં સ્થિર રહી, આત્મન્નતિ કર્યે જાય છે, તેને દુનિયા ‘ ભંગડભૂત ’ કે એવાં ઉપનામ આપે, તેની તેમને દરકાર હાતી નથી અને પાતામાં જેટલા વધારા થયા ન હેાય તેવા વિશિષ્ટ આત્મભાવ પોતામાં છે એવા દેખાવ પણ તેઓ કદી કરતા નથી. દુનિયા એને ગાંડા ગણે તે એમાં નવાઈ નથી અને દુનિયા પોતાને માટે શું કહે છે તે જાણવાની અથવા જાણીને તે પર તુલના કરવાની આવી દશાવાળા પ્રાણીને અહંકારબુદ્ધિથી તે કદિ અપેક્ષા હેાતી જ નથી અને કદાચ તેઓના અભિપ્રાય પર વિચાર થાય તે તેને મદમસ્તપણા ઉપર ખ્યાલ આવે છે, તેની પતિત સ્થિતિમાંથી તેને ઉદ્ધાર કરવાના કાર્યમાં બનતું કરવા યાભાવથી વિચારણા થાય છે. બાકી— ‘મન સાધ્યું. તેણે સઘળુ સાધ્યું, એહુ વાત નહિ ખેાતી; એમ કહે સાધ્યુ તે નવ માનું, એ કહીં વાત છે માટી અને છેવટે આનદઘનજી પ્રભુ મારું આણા, તે સાચું કરી માનું, એ વાક્યના ગર્ભમાં હજી આટલી વિશિષ્ટ ચેાગ્યતાએ પહેાંચ્યા છતાં પેાતાનું મન સ્થિર થયું નથી અને તે કરવા પ્રભુ પ્રત્યે વિજ્ઞપ્તિ છે એવી કબૂલાત જેને દુનિયાની દરકાર ન હેાય તે જ કરે છે. એની સાથે કેટલાક સાધારણ કવિતા લખનારની વાતા સરખાવવા યત્ન કરે અથવા એક બે ચાલુ વિચારે। બતાવનાર પદ્મ કે કવિતાને અતિ વિશાળ ઉચ્ચ આત્મગુણુ ખતાવનાર ચાગના વિષય સાથે સરખાવી તેની સાથે ખીજાને બેસાડવા ધારે તે। આવા મહાત્મા પુરુષોનું અપમાન કરવા જેવું છે. આન ંદઘનજીની ત્યાગવૈરાગ્ય અપૂર્વ દશાની વાતો કરવાના પણ અધિકાર ખડુ લાંબે કાળે ઘણી વિચારણા પછી પ્રાપ્ત થઇ શકે તેમ છે, એ વાત સાધારણ રીતે હૃદયમાંથી ખસવી ન જોઇએ. " આનંદઘનના આગમાય અને સ્વરૂપજ્ઞાન એમનાં સ્તવને વિચારતાં આનંદઘનનું જ્ઞાન ઘણું ઊંચા પ્રકારનુ હાવુ' જોઇએ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy