________________
અનુભવ પર આનઘન
શબ્દના ભાવ વિચારતાં જણાશે કે વસ્તુસ્વરૂપના યથાર્થ ખાધને અનુસરતી, તે પર હેય જ્ઞેય ઉપાદેયપણાવાળી વિચારણાના મુખ્યત્વે કરીને તેમાં સમાવેશ થાય છે. અનેક સ્થાને અનુભવની જરૂરીઆતા જુદી જુદી રીતે બતાવવામાં આવી છે. આ નિજસ્વરૂપ જ્ઞાનના મહિમા દરેક યોગ-ગ્રંથકારે બહુ સારી રીતે બતાવ્યા છે અને આનંદઘનજીએ તેા એના સંબંધમાં અનેક રીતે વાત કરી છે. બાહ્ય ક્રિયા ગમે તેટલી કરવામાં આવે પણ તેમાં જ્યાં સુધી આત્મદર્શન-સમ્યકત્વ-કલ્યાણુપ્રાપ્તિની આકાંક્ષાયુક્ત થાય નહિ ત્યાં સુધી આત્મગુણની વૃદ્ધિ ન થવાથી સર્વ નકામુ છે એ વાત તે અનેક પ્રસંગે જણાઈ આવે તેવી છે, તેથી આગળ વધતાં અનુભવની બહુ જરૂરીઆત છે અનુભવ સાક્ષાત્કાર કરાવે છે, અશુદ્ધ લિપ્ત આત્માને સાધ્યસામીપ્ય કરાવે છે અને પરભાવની બરાબર એળખાણુ પાડી આપી વિવેકને એટલી સુંદર રીતે પુષ્ટિ આપે છે કે તેથી છેવટે વિવેકમથી સૃષ્ટિ પ્રગટ થાય છે. શરૂઆતના ચેાથા પદમાં જ અનુભવ પર સારા પ્રકાશ પાડવામાં આવ્યે છેઃ—
સુહાગણ ! ગી અનુભવ પ્રીત,
નિ અનાદિ અગ્યાંનકી, મિટ ગઈ નિજ રીત, ઘટમદિર દીપક કી, સહજ સુવૈત સરૂપ; આપ પરાઇ આપૃહી, ઠાનત વસ્તુ અપ કહાં દિખાવું ઓર, કહાં સમજાઉં ભાર; તીર અચુક હે પ્રેમકા, લાગે સે રહે ઠાર. નાવિલુટ્ટો પ્રાણૐ, ગિતે ન તૃણ મૃગલેાય; આનંદધન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કાય.
Jain Education International
02
સુહા. ૧
સુહા. ૨
સુહા. ૩
સુહા. ૪
અનુભવની વાત એવી છે કે એને આનંદઘનજી પણ ‘ અકથ ’ કહે છે. જે એના પ્રેમમાં પડ્યા હેાય તે જ ખરેખરી રીતે તેનું સ્વરૂપ સમજે તેમ છે. નૂરજહાનના પ્રેમમાં પડેલ જહાંગીર-સલીમ જેમ તેને જ સર્વત્ર દેખે છે તેમ નાદ-યેાગાનુસવના પ્રેમમાં પડેલ પ્રાણીને તેનું તીર વાગે છે ત્યારે તે તેનાથી હતપ્રહત થઈ જાય છે. આવા અનુભવના વિષય પર બહુ પ્રકારના વિચારા બતાવ્યા છે. શુદ્ધ ચેતના અને સુમતિ ચેતનને સમજાવવા જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે અનુભવની પાસે વાતા કરે છે, અનુભવને સમજાવે છે અને અનુભવની મદદથી પેાતાનુ કાર્ય સિદ્ધ થશે એમ માને છે. અનુભવને તેથી કાઈ જા પરદલાલનું ઉપનામ આપવામાં આવે છે. અનુભવના વિષય ઉપર બતાવ્યા છે ત્યાં ચેતનજીને જાગ્રત કરવાનું કામ તેને જ સાંપ્યુ છે, અનુભવની રીત પ્રાપ્ત થયા પછી ચેતનજી માહરાજાના લશ્કર સાથે કેવી રીતે યુદ્ધ કરે છે તે અગિયાર મા પદમાં બતાવ્યું છે. માયામમતા માટે ફરિયાદ કરી તેઓનું સ્વરૂપ ચેતનજીને સમજાવવા તેરમા પદ્મમાં અનુભત્ર મારતા વિચાર ચલાવે છે અને એ જ સ્વરૂપ તે પછીના ચૌક્રમા પદ્મમાં સ્પષ્ટ કરી તૃષ્ણાની સેાબત મૂકાવવા અનુભવ પાસે જ વિજ્ઞપ્તિ
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org