SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદધનજી એક વિશિષ્ટ કવિ આનંદઘનજીના વ્યવહાર વિચાર નવમા શ્રી સુવિધિનાથના સ્તવનમાં દિનચર્યા બતાવતાં મૂર્તિપૂજાને અંગે જે વિચારે બતાવ્યા છે તે ઘણા વ્યવહારુ છે. અંગ અને અગ્રપૂજાનું સ્વરૂપ બતાવી, છેવટે ભાવપૂજાને દુર્ભાગ્ય અને દુર્ગતિને નાશ કરનાર કહે છે અને ચતુર્થ પ્રતિપત્તિ પૂજા તેના ખાસ અધિકારીઓ માટે પેગની પરિસીમા બતાવે છે. આ વ્યવહારુ વિચારે કેટલા ઉપયોગી છે તે ખાસ કરીને આનંદઘનજીની ગ્ય સમજણ વગરની ટીકા કરનારે સમજવા ગ્ય છે. આવા જ ઉપયેગી વિચારો “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું” એ એક વચનમાં સમાવી દીધા છે. એમાં પણ અવારનવાર બહ વ્યવહારુ અને ઉપયોગી વિચારે બતાવ્યા છે. બીજા પદમાં ઘડિયાળીને ઉદ્દેશીને સામાન્ય રીતે બહુ ઉપયોગી વાત કરી છે અને તેવી જ રીતે ત્રીજા પદમાં “સુત વનિતા યૌવન ધન માતે, ગર્ભતણ વેદના વિસરીરી” આવી આવી વાત કહી છે. પાટની રમત સાથે ચતુર્ગતિના ગમનાગમનની વાતે બારમા પદમાં કરી, છોકરાને મારવા સંબંધમાં આત્મિક વાત સત્તરમા પદમાં કરી, રીસાયેલી સ્ત્રીને સમજાવવાના બહાના તળે શુદ્ધ ચેતનાની વાતે અઢારમા પદમાં કરી, વિરહી વાટ જોતી સ્ત્રીના મુખમાંથી નીકળતા શબ્દોમાં સોળમા અને બત્રીશમા અને છત્રીશમા પદમાં વાતો કરી અને એવી રીતે સામાન્ય પ્રસંગોને એવી સારી રીતે દીપાવ્યા છે કે તે વાંચતાં આનંદ આવે, વિચારતાં બોધ થાય અને રહસ્ય સમજતાં તદનુસાર ઉપદેશને અનુસરવા સાહજિક વૃત્તિ થાય અને પરિણામે ચેતનની સાધ્ય તરફ જરૂર પ્રગતિ થાય. આનંદઘનજીને યોગ આનંદઘનજીએ એગના સંબંધમાં એટલી બધી વાતો કહી નાખી છે કે એ સંબંધી અહીં ઉલ્લેખ કરતાં પૃષ્ઠો ભરાઈ જાય. લગભગ દરેક પદ્યમાં વેગની વાત એક અથવા બીજા આકારમાં કરી છે તે પર તે તે સ્થાને વિવેચન મળી આવશે. યોગની કેવી વાત કરી છે તેનાં આપણે બહુ થોડાં ઉદાહરણે અહીં તપાસીએ. આઠમા સ્તવનમાં પ્રભુનાં દર્શન કેઈ ગતિમાં થયાં નહિ એમ બતાવી છેવટે ઉમેરે છે કે – એમ અનેક થલ જણિયે, સખ. દરિસણ વિણ જિનદેવ; સખિ. આગમથી મત જણિયે, સખિ. કીજે નિરમલ સેવ. સખ. ૫ નિરમલ સાધુ ભગતિ લહી, સખિ. યોગ અવાચક હોય; સખિ કિરિયા અવંચક તિમ સહિ, સખિ. ફલ અવંચક જોય. સખિ. ૬. અહીં ગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકની વાત કહી તે યોગને ખાસ વિષય છે. એના પર “યોગ” ના ખાસ વિષયમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે તેથી જણાશે કે આવા પરમાત્માને વેગ થ તે ગાવંચકત્વ કહેવાય છે. એ ત્રણે અવંચક યેગ કઈ કઈ ભૂમિકા પર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સદરહુ વિષયમાં સારી રીતે ચર્ચાયલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy