SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯ર : શ્રી આનંદઘનજી અને તેને સમય રાજાની સાથે લડાઈ વગેરેનાં જે વર્ણન આપ્યાં તે ખાસ કવિ તરીકે તેઓની શોભા વધારનારાં થઈ પડ્યાં છે. આનંદઘનજીની એક કવિ તરીકે વિશિષ્ટતા એવા પ્રકારની છે કે જેની સરખામણી કરવી પણ મુશ્કેલ થઈ પડે તેવું છે, કારણ કે જ્યાં સુધી તેમના જેવા વિકરવર થયેલ આત્મજ્ઞાની એવા વિષય પર વિચારો બતાવે તેની સાથે તેમની સરખામણી ન થાય ત્યાં સુધી તેઓના સંબંધમાં ખરે અભિપ્રાય આવી શકે નહિ. લડાઈ કે શૃંગારના કવિઓ સાથે તેમની સરખામણી કરવી એ બહુ રીતે અયોગ્ય છે. વર્ણન સારું છતાં સામાન્ય રીતે પણ તેઓનાં સ્તવન અને પદમાં યોગ્ય વર્ણન સારી રીતે આવે છે અને તેઓને વિષય યુગ અને અધ્યાત્મને છે એટલું ધ્યાનમાં રહે તો લેકપ્રસિદ્ધ કવિને પણ જેબ આપે એવી તેની રચના છે. વૈરાગ્યના વિષયમાં જે જે કવિઓએ એવાં પદે બનાવ્યાં છે તેમાં તેઓ બહુ આગળ પડતું સ્થાન લે છે. આ ઉપરથી એમ કહી શકાય કે એક લેખક અને કવિ તરીકે તેઓ ઘણા ફતેહમંદ થયા છે; એનું કારણ સ્પષ્ટ શિલી અને સીધો ઉપદેશ અને તે પણ ખાસ કરીને હદયના ઊંડા ભાગમાં ઊતરી જાય તેવા માર્મિક શબ્દોમાં કૌશલ્ય સાથે વિષયને દર્શાવવાની તેઓની ખાસ રીતિનું પરિણામ છે. એક લેખક કેઈ ન સમજે તેવી ભાષામાં વિચારો બતાવે છે તે નકામા છે તેમ જ તદ્દન સાદા વિચારો ગદ્યને બદલે પદ્યમાં મૂકે તો તેની કવિ તરીકે ગણના થતી નથી. આ બન્ને બાબતમાં આનંદઘનજી બહુ આગળ વધી જાય છે તે તેઓનાં સ્તવને તથા પદે વાંચવાથી જણાશે. સ્તવને એટલાં અસરકારક છે અને પદ એટલાં માર્મિક છે કે એનાં રહસ્યને વિચાર કર્યા પછી એ ભૂલી શકાય તેવાં નથી, એક વખત એનું રહસ્ય સમજ્યા પછી કાનમાં અને મગજમાં તેનું ગાન ચાલે છે અને શાંત અવસ્થામાં તે વિચારવાથી એક પ્રકારને આનંદ આપે છે કે તેને અનુભવ સામાન્ય રીતે થવો તદ્દન અસંભવિત છે. પદેને વિષય અતિ કઠિન છે અને તેથી તેના અધિકારીઓ સર્વ થઈ શકતા નથી. કદાચ સામાન્ય વૈરાગ્યના વિષયવાળાં પદે અથવા તેથી પણ શંગારના વિષયવાળાં કવન જેટલાં એ પદ પ્રચલિત અથવા લોકપ્રિય ન થાય તો તેમાં કવિ તરીકેની તેમની ગણના ઓછી થતી નથી, પરંતુ પરીક્ષા કરનારના અધિકાર અથવા ઉન્નતિક્રમમાં રહેલી પ્રગતિની તે નેધ બતાવે છે. શબ્દોની ઘટના અતિ સુંદર છે, યોગ્ય શબ્દ એગ્ય પ્રસંગ પર યથાર્થ રીતે મૂકાયા છે અને તે ભાવગર્ભિત હોવા સાથે ખાસ છાપ પાડનાર હોય તેવા જ આવી ગયા છે; કારણ કે કવિઓ બહુધા હૃદયમાંથી ગાન કરે છે ત્યારે શબ્દો કેષમાંથી શેધી ધીને લખતા નથી, પણ હૃદયનું ગાન તેમને એવા યંગ્ય શબ્દોમાં જ નિદર્શન કરાવે છે. આથી તેઓની કવિ તરીકે બહુ ઊંચી ખ્યાતિ છે. આત્માને ઉદ્દેશીને તેને વિશુદ્ધ કરનારા વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલાં પદ્યરત્નો અને સ્તુતિગર્ભિત સ્તવન લગભગ રહસ્યજ્ઞાનના ભંડાર છે, ગમાર્ગનાં પગથિયાં છે, સત્ય આદરણીય માર્ગના દર્શક છે અને વિશિષ્ટ પંથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy