________________
શ્રી અનંતનાથ જિન સ્તવન
ધાર તલવારની સેહલી દેહલી, ચૌદમા જિનતણી ચરણસેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ધાર૦ ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણ નીહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહ નડિયા કળિકાળ રાજે. ધાર૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રા. ધાર૦ ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છાર પર લીંપણું તે જાણે. ધાર૦ ૫ પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ છસો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે. તેનું શુદ્ધ ચારિત્ર પરિ. ધાર. ૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org