SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગોદડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સોય દોરામાંથી સરકી ગઈ. ઉંમરને લીધે આંખોનું તેજ ઓછું થઈ ગયું. પ્રકાશ ઓછો હતો. ભર્તૃહરિને સોય પરોવવી હતી. એટલામાં ત્યાંથી લક્ષ્મી દેવી પસાર થતાં હતાં. પૂછ્યું : ‘ભર્તૃહરિ ! આ શું ફાટલી ગોદડી સાંધો છો ? લો આ નવી રેશમી ગોદડી લઈ લો.’ ભતૃહિરએ કહ્યું : ‘મારે તમારી ગોદડી નથી જોઈતી. મારે તો મારી જ ગોદડી સીવવી છે.’ દેવીએ કહ્યું : “હું ખાલી હાથે કેમ જાઉં ? બોલો, તમારે શું જોઈએ છે ? કંઈક તો માંગો જ.'' ‘લો, આ સોયમાં દોરો પરોવી આપો !’’ “શું કહો છો ? માંગી માંગીને આ માંગ્યું ?' દેવીએ પૂછ્યું : “તમારે સુખ નથી જોઈતું ?'' ભર્તૃહરિએ કહ્યું : “જે ચિત્ત અંતરયામીમાં લાગી પ્રસન્ન થઈ ગયું છે એને ફરી પાછાં સુખસાહેબી, ભોગ મળે તો સુખની એષણામાં મન તૃષ્ણામાં લાગી જાય, અંતરયામીમાં લાગેલું મન સુખની એષણામાં લપસે તો ઉપર જનારું મન નીચે આવી જાય. આ ગોદડી ઠીક છે, સીવતાં સીવતાં અંતરયામીમાં હું ડૂબી ગયો છું. તો શા માટે સુખની એષણામાં મનને જવા દઉં ? વસ્તુઓ આવે છે પણ અંતે અશાંતિ મૂકીને જાય છે. મારે અશાંતિ નથી જોઈતી, મારે આ ફાટેલી ગોદડી મજાની છે. ન એને કોઈ લેવા આવે કે ન એને માટે કોઈને ઇચ્છા થાય; ન એને માટે મારામારી કે ન એને માટે કોઈ ઝઘડા.' ભલે આ રૂપક કથા છે પણ એની પાછળ વિચાર છે, ચિંતન છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં સુખ અને સંતોષ માની પ્રયત્નથી પ્રારબ્ધને જગાડે તો માણસ જરૂ૨ ઉપ૨ આવી શકે. પરિસ્થિતિને પ્રેરણા બનાવી શકે. પરિસ્થિતિને પલટાવવાની છે અને એ કામ ઈશ્વરને નથી સોંપવાનું, તમારે ક૨વાનું છે. ભગવાન બોલતા હોત તો કહેત કે તને આટલું બધું મળ્યું છે. હવે કામ કર. આખો દિવસ મંદિરોમાં ભીખ અને મદદ શું માગ્યા કરે છે ? ના, હવે મદદ નહિ, પુરુષાર્થ. હવે સ્ટીમર ગમે તે બંદરે નહિ જાય પણ નિશ્ચિત બંદરે જ જવાની. કપ્તાનને જાગ્રત કરવાનો છે, સાવધાન કપ્તાને બંદર અને દિશા સામે રાખવાનાં છે. વિશાળ સમુદ્રના કિનારે કેટલાં બંદરો છે અને કયે કયે બંદરે તારે જવાની શક્યતા નથી. જે કપ્તાન સામે સરસ chart હોય, એ દિશામાં નૌકાયંત્ર ગોઠવી ધીમે Jain Education International માનવતાનાં મૂલ્ય * ૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy