SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાશક્તિ (Will powerથી) સાધનાથી, સબળ વિચારથી, અશાતાનું કર્મ પલટાઈ ગયું. અશાંતિમાંથી શાંતિમાં આવ્યા. મનમાં શુભ સંકલ્પનું બીજ વાવી. સંકલ્પમાં શક્તિ છે. સંકલ્પમાં ભગવાનનું દર્શન છે. આ પ્રકાશમાં અંધકાર, નબળા વિચાર નહિ ટકે, સારું કામ જ થવાનું. નવી સંકલ્પશક્તિથી તમારામાં એવું બળ આવે, એવી તાકાત આવે કે ખરાબ કર્મ બળી જાય અને દુ:ખ આપનાર તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળમાં - કર્મ હજુ ઉદયમાં ન આવ્યું હોય ત્યારે સારા વિચારો, સારા સંકલ્પો, સારું વાતાવરણ, સારા મિત્રો મળે તો એ માણસ ખરાબ કર્મને સારાં કરી શકે. અપંગ અવસ્થામાં પ્રતિકૂળ દશામાં સંકલ્પબળ કેળવ્યું તો પ્રતિકૂળ કેવું અનુકૂળ બની ગયું તે હેલન કેલરના જીવનમાં જોવા જેવું છે. સુંદર દૃષ્ટિવાળા, સારા શ્રવણવાળા અને વાચાળોને એમના ગામમાં પણ ઘણાં ઓળખતા નથી અને હેલન કેલર (Helen Kellar) જેવી અંધ, બહેરી અને ગૂંગી સ્ત્રીને આખી દુનિયા ઓળખે ! એને મળવામાં સૌ ગૌરવ અનુભવે ! કારણ શું ? પ્રતિકૂળતામાં પણ મનોબળ વડે બીજી શક્તિઓને એ બહાર લાવી શકી. આંખ ગઈ એ નિકાચિત કર્મ હતું, ચીકણું કર્યુ હતું, એ માટે કાંઈ શક્ય નહોતું. પણ એણે પરિશ્રમથી બીજી શક્તિઓ ખીલવી. અપંગતા ઉપર વિજય મેળવીને સિદ્ધ કર્યું કે આત્મશક્તિનું સામ્રાજ્ય કેવું પ્રબળ છે ! આત્મશક્તિનો ખ્યાલ આવશે પછી “ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જઈશ', “તકદરમાં જે લખ્યું હશે તે થશે', એવાં નિર્બળ વાક્ય નહિ બોલો. પછી તો પ્રાર્થનાની ભેટ ધરશો. “પ્રભુ ! તમારા પ્રકાશનું અભિવાદન. તમારા પ્રકાશમાં વૈર્ય હાર્યા વિના સંકલ્પબળથી દુ:ખ ઓળંગી જઈશ. “રસ્તો કાપવાનું કામ મારું છે. મારો રસ્તો જો હું નહિ કાપું તો બીજું કોણ કાપશે ?” લોકો વિમાનની વાટ જોઈને બેઠા છે. જો નરસિંહ મહેતા માટે વિમાન આવ્યું તો મારે માટે કેમ નહિ ? હું ગમે તેવા ધંધા કરું પણ એક વાર તિલક કરી ધૂન લગાવીશ તો વિમાન જરૂર આવશે. “એરણ કી ચોરી કરે, દિયે સોય કો દાન; ઉપર ચઢ કર દેખતો, કબ આવે વિમાન ?” માનને કાઢ્યા વિના વિમાન નહિ આવે. જીવનના પરમતત્ત્વોને જાણીને તમારે માટે શું શક્ય છે, શું કરી શકાય તેમ છે તે જાણી લો. આ રૂપક વિચારવા જેવું છે. રાજ્ય છોડ્યા પછી ભર્તુહરિ બેઠા બેઠા ૮૬ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy