SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શું સાંજે સૂતાં પહેલાં લીધેલી ઊંઘની ગોળી ઊંઘી ગયા પછી વધારે ઊંઘ નથી આપતી? હા, કોઈકવાર કર્મ તીવ્ર હોય તો આ ભવમાં પણ એની અસ૨ જણાય. દરેક કર્મ પોતપોતાની રીતે, પોતાના સ્વભાવ પ્રમાણે વ્યક્ત થાય છે, ઉદયમાં આવે છે. કોઈને રૂપ મળે તો પૈસો નથી મળતો અને જેને ધનની રાશિ મળે એનાથી રૂપ રિસાઈ જાય છે. એક યુવાન કરોડપતિને કહેતા સાંભળેલા, ‘મારે માથે આ ટાલ પડી ગઈ છે. અને મારે ત્યાં કામ કરતા માણસોને આ ઉંમરે પણ કાળા વાળનો જથ્થો છે . કોઈની પાસે રૂપ છે તો કોઈની પાસે ચાતુર્ય છે; કોઈની પાસે ધન છે તો કોઈની પાસે બુદ્ધિનો વૈભવ છે; કોઈની પાસે શરીરનું સામર્થ્ય છે તો કોઈની પાસે પ્રજ્ઞાની સ્મૃતિ છે. આ બધું આમ કેમ ? શું ભગવાન પક્ષપાતી (partial) છે ? કોઈને રૂપસુંદર બનાવે તો કોઈને કદરૂપો ? કોઈને એંશી વર્ષ બક્ષે તો કોઈને ચાલીશ ? કોઈને તવંગર બનાવે તો કોઈને રંક ? દરેક માણસ આવવા-જવાનો (Round trip ticket) પાસ લઈને આવે છે. જે પક્ષપાત કરે એ ભગવાન હોઈ શકે નહિ. ભગવાનને પક્ષપાત કેવો ? આપણે જે કર્યું, આપણે જે વાવ્યું તે જ લણવાનું. શ્રી લાલબહાદુર શાસ્ત્રીની આયુષ્યની દોરી તૂટી તો રશિયાના પંદર ડૉક્ટર કે વૈજ્ઞાનિકો પણ લંબાવી ન શક્યા, સાંધી ન શક્યા. સંધાવવાનું હોય તો સાંધવાનું નિમિત્ત મળી જાય પણ જો તૂટવાનું જ હોય તો ઉત્તમ નિમિત્ત પણ ન મળે. જીવનની યાત્રા જે દિવસે સમાપ્ત થવાની હતી તે જ દિવસે સમાપ્ત થઈ. આ કર્મવાદ છે, એની સામે ઈશ્વરવાદ પણ છે. એમાં ઈશ્વર જ વિશ્વનો કર્તાભર્તા મનાય છે. પણ માણસ ઘણો ઉસ્તાદ છે. એ ઈશ્વરવાદમાં માને પણ છે અને નથી પણ માનતો. સ્વાર્થનાં કામ હોય, પોતાનાથી થાય એવાં સફળતાનાં કામ હોય ત્યારે ભગવાનને યાદ પણ નથી કરતો. પણ જ્યાં મુસીબત આવી, દુ:ખ તૂટી પડ્યું ત્યાં ઝટ દઈને ભગવાનને લાવીને વચમાં મૂકી દે. કોઈ પિતાએ હજી સુધી કંકોતરીમાં એમ નથી લખ્યું કે 4: “અમારા પુત્રનાં લગ્ન ભગવાન કરે છે.'' ના, ત્યાં તો લખે કે “અમારા ચિરંજીવ છગનનાં લગ્ન અમે પૂનમે નક્કી કર્યાં છે.” ભગવાને નહિ, ત્યાં ભગવાનની Jain Education International માનવતાનાં મૂલ્ય * ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy