SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મનની પ્રક્રિયા લોહચુંબક જેવી છે. આત્માની સાક્ષીએ મન વિચાર કરે છે. મન વિચારીને જે દિશામાં પડ્યું તે પ્રમાણે રાગ અને દ્વેષ બંધાયા. મનમાં ચાલતા રાગ અને દ્વેષ એ જ લોહચુંબક. રાગ અને દ્વેષ થયા, લોહચુંબક આવ્યું અને વિશ્વમાંથી ઝીણા (કર્મરૂપી) પરમાણુઓને સ્વસંચાલિત રીતે (automatically) ખેંચવાનું શરૂ કર્યું. જે પરમાણુઓ ખેંચાઈને અંદર આવ્યા, આત્માને સ્પર્ષા અને આત્મા સાથે બંધાતા ગયા એ કર્મ. જૈનદર્શનમાં કર્મનો અર્થ ક્રિયા નહિ, પરિણામ છે. સારા અને ખરાબ વિચાર કરીને વિશ્વમાંથી જે પરમાણુઓ (atoms)ને આત્માએ પકડવા એ કર્મ. જ્યાં સુધી આ કર્મ ખરે નહિ ત્યાં સુધી આત્મા કર્મમાંથી મુક્ત બને નહિ, ત્યાં સુધી એની જ અસરમાં આત્મા અને મનને રહેવું પડે. પણ જેવી એની અસર કાયમ માટે નીકળી ગઈ ત્યાં આત્મા સહજ બની ગયો, મૂળ સ્વરૂપને પામી ગયો. આ કર્મ છે તો જ જન્મ-મરણની ઘટમાળ છે. મનમાં સારા કે ખરાબ જે વિચાર આવે છે, તે એના સજાતીય પરમાણુઓને ખેંચી લાવે છે. સારા વિચારનું ફળ પુણ્ય છે અને ખરાબ વિચારનું ફળ પાપ છે. રાગ અને દ્વેષના લોહચુંબક દ્વારા જેવા સજાતીય ૫૨માણુઓ પકડાય ત્યાં એને અનુરૂપ જન્મ થાય, રૂપ મળે, આયુષ્ય નક્કી થાય, સ્મૃતિ વધે અને સારું કે ખરાબ કરવાની શક્તિ પ્રાપ્ત થાય. સારા વિચારો કર્યા હોય, એ વિચારોને સુકૃત્યો દ્વારા આકાર આપ્યો હોય તો સુંદર શરીર મળે, તંદુરસ્ત મન મળે, જ્યાં જાય ત્યાં આવકાર મળે, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે. પણ મનમાં કોઈને મારવાનો વિચાર કર્યો હોય ત્યાં દ્વેષનો જન્મ થયો. આ દ્વેષનું લોહચુંબક પાપના પરમાણુઓને ખેંચવાનું કામ શરૂ કરે. પછી તો વિશ્વમાં રહેલાં પાપના ખરાબ પરમાણુઓને સંગ્રહ્યે જ જાય. જ્યાં સુધી દ્વેષ મનને બાળ્યા કરે ત્યાં સુધી એ ખરાબ પરમાણુઓને ખેંચ્યા જ કરે, આ ખરાબ પરમાણુઓ આત્માની આસપાસ ઘેરાતા જાય તેમ સારા વિચાર કરવાની, સારાં કાર્યો કરવાની આત્મશક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. એમ માણસ જે અશુભ કરે છે એની તરત અસર નથી થતી, એને પણ વિપાકનો સમય, પરિપક્વ થવા માટે થોડો સમય લાગે છે. પછી જ એનું પરિણામ (result) જણાય છે. ઘણીવાર આ જન્મમાં કરેલું કર્મ ધીમે ધીમે પ્રસરતાં આવતા જન્મમાં એની અસર જણાય છે. Jain Education International ૮૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy