SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શી જરૂ૨ ? કારણ કે લગ્નોત્સવ છે, શહનાઈઓ વાગવાની છે, મોટાઈ દેખાડવાની છે. વૈભવનું પ્રદર્શન કરવાનું છે. છાતી ફુલાવીને મંડપમાં ફરવાનું છે, ‘દીકરાનો બાપ છે ના ?' પણ જ્યારે કોઈ મરી જાય ત્યારે શું લખે ? “ભગવાનને ગમ્યું તે ખરું”. મરવાની વાત કોણ માથે લે ? ન દવા આપનારો માથે લે, ન ઇન્જેક્શન આપનારો માથે લે, ન સ્નેહી લે કે ન મિત્ર લે. કોઈ કહેતાં કોઈ ન લે. બધાં એક અવાજે કહે, ‘ભગવાનને ગમ્યું તે ખરું.' જન્મોત્સવમાં, લગ્નમાં, આરંભ-સમારંભમાં પોતાનું નામ અને મૃત્યુ થાય ત્યાં બિચારા ભગવાનનું નામ ! કેમ ભાઈ ? ભગવાનને આવી રીતે વચ્ચે કેમ લાવો છો ? અને તે પણ ખરાબ કામમાં ? પૂછો : ‘પૈસા કેમ કમાયો ?' કહે : “અમેરિકાના વિશ્વવિદ્યાલયમાં વ્યાપાર અને અર્થશાસ્ત્ર કર્યા છે. "Business Administrationનો Special course લીધો હતો, ઘણી હોશિયારી અને આવડતથી ધંધો કર્યો તો પૈસો આવ્યો. “જ્યારે દેવાળું ફૂંકે છે ત્યારે પૂછો : “દેવાળું કેમ કાઢવું ?'' કહે : “ભગવાનને એમ ગમ્યું, હું શું કરું ?' ભગવાનને બોલાવે પણ જરૂર પડે ત્યારે જ. ભગવાન આપણા પ્રાણોમાં છે, ભાવમાં છે, પણ માણસને ભગવાનમાં શ્રદ્ધા નથી, જરૂર પૂરતો એનો ઉપયોગ જ કરવો છે. એ તો ભગવાનને પણ છેતરી શકે છે. Man is rational animal. માણસ દરેક વસ્તુને બુદ્ધિથી સિદ્ધ કરી આપવા માગે છે. ખોટ કરીને પણ બુદ્ધિથી ન્યાય આપે જ્યાં વ્યર્થ તર્કવાદ છે ત્યાં કર્મવાદ ક્યાંથી ? પણ જો કર્મવાદ સમજાય તો જીવન મલિન થાય જ કેમ ? જો ગઈ કાલે ભૂલ કરી, ખરાબ સોબતમાં આવીને કે અજ્ઞાનમાં રહીને કોઈને નુકસાન કર્યું, કર્મ બાંધ્યું તો આ જન્મમાં ભોગવવું જ પડે. પણ ‘ભોગવવું જ પડે' એમ નથી. ક્ષમા માગી પશ્ચાત્તાપ કરી અને તપના બળથી એ ફર્મને બાળી પણ શકાય. કોર્ટમાં કેસ ચાલ્યો અને ગુનેગારને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી પણ એ શું કોર્ટની છેલ્લી સજા છે ? ના, એની ઉપર વડી અદાલત છે ત્યાં હારી જાય તો એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. એમ ગયા જન્મમાં જે કર્મ બાંધ્યાં એ આત્માની આસપાસ જરૂ૨ બંધાઈ Jain Education International ૮૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy