SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ સોનું ધૂળ સાથે મળી ગયું તેમ નિર્બળ પારદર્શક આત્મા કર્મ સાથે બંધાયો. આખું વિશ્વ પુદ્ગલોના ઝીણા પરમાણુઓથી ભરેલું છે. આંખો જેને જોવા માટે સમર્થ નથી એવા અબજો અણુઓ નજર સમક્ષ દોડી રહ્યા છે. એને જોવા સૂક્ષ્મદર્શક કાચ (magnifying glass)ની મદદ લેવી પડે છે. તેમ છતાં એ સૂક્ષ્મ પરમાણુઓ દૃષ્ટિના અવલોકનના વ્યાપારમાં અવરોધક નથી બનતા. વચ્ચે અનંત પરમાણુઓ હોવા છતાં માણસ એકબીજાને જોઈ શકે છે. તમારા કોમળ ઊજળા ને શ્વેત દેખાતા હાથ પર રોગના અસંખ્ય જંતુઓ છે, અણુઓ છે, માટે જ ચિકિત્સકો હાથ ચોખ્ખા રાખે છે, એમનાં હથિયારોને જંતુરહિત (sterilize) કરે છે. સારા કે ખરાબ વિચારે આકર્ષિત કરેલ પરમાણુઓનો સમૂહ એ કર્મ છે. આ કર્મ પરમાણુ સૂર્યને વાદળ ઢાંકે તેમ આત્મજ્ઞાનને ઢાંકે છે. જીવો અને પુદ્ગલોના પરમાણુઓનું મિશ્રણ એનું નામ તે વિશ્વ. કર્મ શું ચીજ છે ? તમે સામે જે કામ કરો છો એ કર્મ નથી, એ તો કાર્ય છે. તમારી સારી અને ખરાબ પ્રવૃત્તિઓનું પરિણામ (result) એ કર્મ. તમે વિચાર કરતા હો ત્યારે એ વિચારની પ્રક્રિયા (process) સાથે તમારા આત્મામાં કર્મબંધન ચાલ્યા જ કરે છે. માણસ જે જાતના વિચારો કરે છે એ જાતની અસર તેના શરીરમાં થાય છે ને ? મારવાની વૃત્તિ જાગે તો ક્રોધ આવે, લોહી ગરમ થાય. દાંત પીસવા માંડે અને એને અનુરૂપ હાથની ચેષ્ટા પણ થાય. તેવી જ રીતે જીવનની શાંત પળોમાં ભૂતકાળનું મધુર સ્મરણ તાજું થતાં એકલા એકલા જ મલકાઈ જવાય, હોઠો ઉપર આછું આછું હાસ્ય ચમકી જાય. એ પળે સ્વજન કે મિત્ર આવી ચઢે. પૂછે : “કેમ એકલા એકલા મલકાઓ છો ?” પણ મનમાં જે વિચારો ચાલે છે એનું પ્રતિબિંબ (reflection) આંખોમાં, હોઠો ઉપર અને સારાયે ચહેરા ઉપર આવ્યા વિના રહેતું નથી. જે અંદરથી ઘવાયો હોય, જેનું અપમાન થયું હોય અને તમે લગ્નપ્રસંગમાં લઈ જાઓ. બધા હસતા હોય એટલે એ પણ ધક્કો મારીને, પ્રયત્ન કરીને હાસ્ય બહાર લાવવા મથામણ કરે પણ સહજ સ્કૂર્તિનું મુક્ત હાસ્ય દોડી નહિ આવે. ધક્કો મારવો પડે, હોઠ પહોળા કરવા પડે, ગાલ ખેંચવા પડે. કહે : તું બહાર આવ. આ હાસ્ય બતાવવા માટે છે, માણવા માટે નહિ. બહાર છે, અંદર નથી. ૮૦ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy