SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ થવાનું છે તો જવાનું માંડી વાળો છો. તમે જરૂર પડે ત્યાં બદલો છો અને બદલી શકો છો. જ્યાં અનુકૂળ ન પડે, ફાયદામાં ન હોય ત્યાં બદલાય પણ જીવનની યાત્રામાં પુરુષાર્થ વડે સુકાન ન બદલાય ? માત્ર નિરાશા અને નિરુત્સાહ. આમ કેમ ? કારણ કે હું તને જાણતો નથી. તારા જીવનનું નિર્માણ કોઈ બીજી વ્યક્તિના હાથમાં છે જ નહિ. તું જ તારો નિર્માતા છે, તું જ તારો ઘડવૈયો છે. Man himself is responsible for his own future. ulahti કાર્યોની જવાબદારી તો પોતાની જ છે. બીજાઓ તો માત્ર નિમિત્ત બને છે. માનવજીવન એટલે જાગૃતિ અને જવાબદારીની દોર હાથમાં લેવાની પળ છે. જે ઘડીએ આ સત્ય સમજાઈ જશે, પછી તમે જ કહેશો : “મારા જીવનને ખરાબ કરનારો જો હોઉં તો હું છું, તો સારો કરનારો શા માટે ન બને ? હું બીજાને શા માટે દોષ દઉં ? મેં મારી જાતને એવા સંજોગોમાં મૂકી તો એ સંજોગોને કારણે હું નિમ્ન કોટિમાં ચાલ્યો ગયો. તો હવે હું મારી જાતને એમાંથી ઉઠાવીને ઊંચે કેમ ન લાવું ?” ભગવાનનો અર્થ શું ? ભગ એટલે જ્ઞાન-તેજ, વાન એટલે સ્વામી. જ્ઞાન-તેજના સ્વામી પાસે જ્ઞાનપ્રકાશની ખાસ લઈને જઈએ જેથી પ્રકાશની પ્રક્રિયા થાય. ભગવાન પાસે ભિક્ષા માગવા નહિ પણ ભાવનાની ભેટ ધરવા જઈએ છીએ. અહંના સમર્પણમાં જ આત્મજ્ઞાન પ્રગટે છે. આત્મામાં જ રહેલા પરમાત્માનું દર્શન થાય છે. અહંકારના હિમાચલને ગાળનાર દુ:ખની ઉષ્મા છે પણ આત્મજ્ઞાન તો એ અહંકારના હિમાલયનું અસ્તિત્વ મિટાવી દે છે. આત્મજ્ઞાન નથી એટલે દુ:ખ સહન કરવાની શક્તિ નથી. જરાક દુ:ખ આવે અને તરત ઊંઘની ગોળીઓ લઈ ઊંઘી જાય, દુઃખનું કારણ ન શોધે. મનમાં મૂંઝવણ ઊભી થાય તો એને ઉકેલવાને બદલે ભૂલવા શરાબ લે. થોડીકવાર ભ્રમની ગુલાબી દુનિયામાં ફરી આવે, સ્વપ્નોની દુનિયામાં વિચરે, સૂઈ જાય. સવાર પડે, ભારે આંખ ખોલે ત્યારે એ જ મૂંઝવણ ડોકિયાં કરે. ભૂલવાનો પ્રયત્ન કર્યો પણ ભૂલી નથી શક્યો. થોડીક વાર માટે હકીકત જરા દૂર ધકેલી શક્યો પણ એને મટાડી ન શક્યો. તમારે ભૂલવું છે કે મિટાવવું છે ? શાંતિથી બેસીને કેમ ન વિચારો : દુ:ખનું કારણ કોણ ? દુ:ખ કેમ આવ્યું ? ક્યાંથી આવ્યું ?' માનવતાનાં મૂલ્ય + ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy