SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ભવના મુસાફરને એ જ પૂછું છું ‘તું ક્યાં જવાનો છે ? ડિગ્રીઓ મેળવી રહ્યો છે, પૈસા ભેગા કરી રહ્યો છે, મોટાં મોટાં તોતિંગ મકાનો બાંધી રહ્યો છે, રોજની નવી નવી શોધખોળ કરી રહ્યો છે. દિવસ-રાત દોડાદોડ કરી રહ્યો છે; તું આ બધું કરી રહ્યો છે પણ બંધુ, કહે તો, તારી આ સ્ટીમર કયા બંદર તરફ જઈ રહી છે ?'' ક્યાં પહોંચવાનું છે એ ખબર નથી તેમ છતાં મુસાફરી ચાલુ છે, ખડકોની વચ્ચે થઈને, મોટાં મોજાંઓ અને તોફાનોની વચ્ચે ચાલી જ જાય છે. એનો કપ્તાન મદમાં, પ્રમાદમાં કેવો ચકચૂર છે ! કહે છે : “જ્યાં જાય ત્યાં જવા દો, કોઈ બંદર મળી જાય તો ઠીક છે. નહિ મળે તો ખડકની સાથે અથડાઈને યાત્રા પૂરી કરીશું. ભગવાન કરશે તે ખરું, ઈશ્વર ઇચ્છા બલિયસી. તકદીરમાં લખ્યું હશે તે થશે.'' ભગવાન જેમ ક૨શે તેમ જ કરવાનું હોય તો પછી તું શું કરવાનો ? તો કહે : “હું તો જે ગોરખધંધા કરી રહ્યો છું, અસત્ય બોલી રહ્યો છું, લોકોને શીશામાં ઉતારી રહ્યો છું, સાચા-ખોટાં કરી બનાવટ કરી પૈસા ભેગા કરી રહ્યો છું એ જ કરવાનો.” “તારા જીવનનું શું ?' તો પાછો કહેશે: “ભગવાન જાણે.'' આ નાદાન કપ્તાન આટલેથી નથી અટકતો. કહે છે : ભગવાને જે રીતે ગોઠવ્યું હશે એ પ્રમાણે થશે. વિધિના લેખ તો કંઈ બદલાતા હશે ? જાણે વિધિના હાથમાં બધું અને માણસના હાથમાં કાંઈ નહિ ! માણસ પોતાને કેવો અર્થહીન માનતો થઈ ગયો છે ! સાવ ઘસાઈ ગયેલાં, નિર્બળ વાક્યો બોલતાં બોલતાં માણસ પોતાનો પુરુષાર્થ ગુમાવી બેસે છે, બલહીન બની જાય છે. જીવનયાત્રા જો આ રીતે જ પૂરી કરવાની હોય, નિરાશાનાં વાક્યો જ જો બોલવાનાં હોય તો જેને શસ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી. પવન સૂકવી શકતો નથી અને પાવક બાળી શકતો નથી એવા અંદર બેઠેલા જ્યોતિસ્વરૂપ આત્માની શક્તિનો કોઈ અર્થ નથી ! આનંદમય, સુખમય, શાશ્વતમય, એવો સમર્થ કપ્તાન તમારામાં હોવા છતાં તમે એમ જ કહ્યા કરશો કે ભગવાન કરે તે ખરું, તકદીરમાં લખેલું તે કાંઈ હવે બદલવાનું છે ? સંસારની બાબતમાં બદલાવી શકો અને આત્માની બાબતમાં કાંઈ નહિ ? માલ આપવાનો સોદો કર્યો હોય અને ભાવ વધી જાય તો તમે તરત લે-વેચ કરી દો છે. ક્યાંક પ્રવાસે જવાના હો અને ખબર પડે કે જવાથી નુકસાન Jain Education International ૭૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy