SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વાત છે. ત્રણ માળના દાદરા ઊતરીને પહેલા નીચે આવનાર હોય તો એ દાદા હતા ! જે ખાટલામાંથી ઊભો ન થઈ શકે એ ત્રણ દાદરા ઊતરીને કેવી રીતે આવી શકે ? એનું કારણ શરીર નહિ, આત્મા છે. આત્મવીર્ય અનંત છે, એ સ્ફરતાં મન તૈયાર થઈ ગયું. માંદો છું એ ભુલાઈ ગયું. હુકમ કર્યો “ચાલ' એટલે પછી શરીરને તો ચાલવું જ પડ્યું, દોડવું જ રહ્યું. આ શરીર બીજું કાંઈ જ નથી. શરીર એક પંચભૂતનું મિશ્રણ છે. એ પંચભૂતના તત્ત્વનું જે સંચાલન કરે છે, એને ચિંતન આપે છે, એ દ્વારા જે કામ લે છે એનો તો અભ્યાસ પણ કરતા નથી. એનો અભ્યાસ વધતાં ખ્યાલમાં આવશે કે આ પંચભૂતના મિશ્રણ પાછળ એક અદ્દભુત તાકાત કામ કરી રહી છે. આ ચૈતન્ય જે રીતે દોરે છે એ રીતે આ શરીર જાય છે. શરીરને બહારના સાધન તરીકે રાખો અને સાચવો પણ અંદર કામ કરી રહેલી શક્તિ સબળ જ રહે અને નિર્બળ ન બને એ વિચારવાનું છે. સંસ્કારોને લીધે, વાતાવરણને લીધે અને પરિસ્થિતિને લીધે મન નિર્મળ બને છે. પરિસ્થિતિ મન ઉપર સવાર થાય ત્યારે સાવધાન બનીને વિચાર કરવો કે આ પરિસ્થિતિને દબાવીને ઉપર કેમ આવવું ! અને તમે પ્રયત્ન કરો તો પલટો જરૂર આવે. શિલ્પીઓની દુનિયામાં જેનું નામ ગણાય છે એવા વિશ્વવિખ્યાત માઈકલ એન્જલો (Michel Angelo)ના જીવનનો આ પ્રસંગ છે. ઘણાં શિલ્પો કર્યા. અંતે ઈશનું એક અપૂર્વ શિલ્પ બનાવવા એણે સ્વપ્ન સેવ્યું. તે માટે માસૂમ નિર્દોષ, જેની આંખોમાં પ્રેમ અને મૈત્રીના ભાવ ભરેલા હોય એવી આકૃતિની જરૂર હતી. આવા બાળકની શોધમાં દોઢ વર્ષ નીકળી ગયું. એક દિવસ એક બાળક રમતું દેખાયું. એને વાંકડિયા વાળ હતા, સુંદર આંખો હતી, મોઢા ઉપર પ્રભુતાનો પ્રકાશ હતો. એની આકૃતિ સુંદર અને સૌમ્ય હતી. બાળકને જોતાં જ એને થયું કે ઈશનું રૂપ પથ્થરમાં કંડારવા માટે આ બાળક યોગ્ય છે. માતાને કહ્યું : “કહો એટલા પૈસા આપું પણ તમે તમારા બાળકને લઈને આવો, મારી સામે બેસાડો, હું આ સૌમ્ય આકૃતિને પથ્થરમાં કંડારવા માગું છું.” માતા કબૂલ થઈ, શિલ્પ તૈયાર થયું, Christની નિર્દોષતા અને માનવતા જીવંત બન્યાં. ઘણાં વર્ષો વીતી ગયાં. માઈકલને થયું જેવી રીતે ઈશુની સુંદર પ્રતિમા સરજી એવી જ રીતે એની સામે હવે જેની આંખમાં વિશ્વાસઘાતીનું ખુન્નસ હોય અને મોં પર ડાકુ જેવો ભાવ હોય એવા જુડાસ Judasની આકૃતિ તૈયાર કરું. ૬૪ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy