SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા તો સ્વચ્છ છે, તંદુરસ્ત છે, એને કોઈ રોગ નથી. રોગનો સંબંધ શરીર સાથે અને મન સાથે છે, શક્તિનો સંબંધ આત્મા સાથે છે. જેમ જેમ તમે દેહપ્રધાન બનતા જાઓ છો તેમ તેમ નિર્બળ અને રોગી બનો છો. મન નિર્બળ થયા પછી તો તમે રોગમાંથી ઊંચા જ આવી શકતા નથી. રોગ આખર તો મનની પરિસ્થિતિ જ છે. તમને ખૂબ જ ક્રોધ આવ્યો હોય, કોઈના ઉપર ખૂબ ખિજાઈ ગયા હો, ક્રોધની તમે જબરજસ્ત તાણ અનુભવી હોય અને એ જ કલહના વાતાવરણમાં રાત્રે તમે સૂઈ જાઓ. સવારના ઊઠો ત્યારે સતત દુખાવાથી માથું ફાટી જતું હોય ત્યારે તમે કહો કે રાતના શરદી લાગી ગઈ એટલે માથું ફાટે છે ! પણ તમે ભૂલી ગયા કે માથાનો દુખાવો શરદીને લીધે નહિ પણ ગઈ કાલના ક્રોધને લીધે છે. ક્રોધની અવસ્થામાં જ્ઞાનતંતુઓને વધારે જોર આપ્યું, ખૂબ દબાવ્યાં, તાણ્યા, પ્રેશર વધ્યું, હૃદયના ધબકારા વધ્યા, બ્લડ સર્ક્યુલેશનમાં ક્રોધનું ઝેર ભળ્યું એને લીધે માથાનો રોગ થયો. એ ક્રોધ ન કરે, સમતા રાખે, કહેવા લાયક વાત એક-બે શબ્દોમાં પ્રેમથી કહી દે તો આ સ્થિતિ ક્યાંથી જન્મે ? બુદ્ધ પર ક્રોધી થઈ, જેમતેમ બોલી દેવદત્ત થાકી ગયો ત્યારે બુદ્ધ શું કહ્યું ? “તારી વાત પૂરી થઈ ગઈ હોય તો પાણી પી લે.” અમેરિકામાં ડૉ. મેયો (Dr. Mayo) અને એમના મિત્રે ભેગા મળીને વિશ્વવિખ્યાત Mayo Instituteની સ્થાપના કરી. એક વાર બે મિત્રો વચ્ચે મતભેદ થયો, મિત્ર ક્રોધમાં આવ્યો અને આવેશમાં આવીને ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો. પાંચ-દસ મિનિટ બોલ્યો, અંતે થાક્યો : “હું આટલું બધું બોલું છું તો તું કેમ બોલતો નથી ?” ડૉ. મેયોએ હસીને કહ્યું : “One mad man is enough in this room.” “આ ઓરડામાં એક જ ગાંડો બસ છે.” બે ગાંડા ભેગા થાય તો જ ધાંધલ થાય. જે ક્રોધના આવેશમાં આવીને પોતાનું સમતોલપણું – balance – ગુમાવે છે એ પરિસ્થિતિને આધીન બનીને પરિસ્થિતિથી જ દબાઈ જાય છે. એ ગાંડો ન કહેવાય તો શું કહેવાય ? પરિસ્થિતિને આધીન નથી બનવાનું પણ પરિસ્થિતિને આધીન બનાવવાની છે. - ત્રણ પ્રકારના માણસો છે. એક પ્રકારના પરિસ્થિતિને આધીન બનીને વિચારે કે સંયોગો જે બાજુ લઈ જાય તે બાજુ ગયા વિના ચાલે તેમ નથી. ૫૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy