SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે એ મશીન સામે જોતા પણ નથી. એમના હાથમાં ડાયલ રહે છે પણ મશીન બદલાઈ ગયું હોય છે. સારી વસ્તુ વસાવવી હશે તો ડાયલની સાથે મશીનને પણ જોતાં શીખવું પડશે. મશીનની પરખ અનિવાર્ય છે. માનવજીવનને સુંદર બનાવવું હોય તો ભૌતિક વસ્તુઓની જેમ પરખ અને કાળજી કરો છો તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ કરો. તનને જાણો છો તેમ મનને પણ જાણો. તન એ ડાયલ છે. મન એ મશીન છે. મનની રચના (mechanism) નહિ જાણો તો હાથમાં ડાયલ રહી જશે અને મશીન સાવ હોંઠિયું આવી જશે. આંચકાની સાથે બંધ પડી જશે. જીવનમાં એક આંચકો લાગતાં હૃદયનો હુમલો જાય છે ને ? પછી છ અઠવાડિયાં સુધી આરામ ! એક એક આંચકો સહન કરી શકતું નથી. તનનો વ્યાયામ છે તેમ મનનો પણ વ્યાયામ છે. એથી મન આઘાતક્ષમ (Shockproof) થવું જોઈએ. ઘડિયાળ શોકપ્રૂફ હોય છે ને ? પણ પહેરનારને કેટલા આંચકા લાગવાનો સંભવ છે ? ધાર્યું ન હોય એ બની જાય, ધાર્યું હોય એ સરકી જાય, કલ્પના ન કરી હોય એ જોવું પડે, કરેલી કલ્પના ધૂળમાં મળી જાય અને જે બીજાના ઘરમાં ન જોયું એ પોતાના જ ઘરમાં બની જાય ત્યારે મનમાં એમ થાય, હવે જીવીને શું કામ છે ? જીવનમાં હવે શું મજા છે ? આ ષ્ટિ ખોટી છે. તમે કોઈને માટે જીવવા નથી આવ્યા. તમે માત્ર લોકોને પાળવા માટે, પોષવા માટે, ખવડાવવા માટે, કીર્તિ વધા૨વા માટે, ભેગું કરીને આપવા માટે નથી આવ્યા. પણ અંદરનો વિકાસ સાધવા માટે અને અંતરની યાત્રા પૂર્ણ કરવા માટે આવેલા છો. એ વિકાસનો વિચાર ન કરો અને માત્ર બહારનું સાચવવામાં રહી જાઓ તો જે મળ્યું છે તે ખલાસ થઈ જાય અને જે મેળવવાનું છે એ જ રહી જાય. એને તૈયાર કરવાના છે. જિંદગીનો માર્ગ એકસરખો નથી. અહીં કોઈ રક્ષણ કરવાનું નથી. તારાં કાર્યો એ જ તારાં રક્ષક છે. સાધનાથી તન અને મનને ઘડવાનું છે. ગમે તેવો આંચકો લાગી જાય ત્યારે સંભાળીને તમે કહી શકો : વાંધો નહીં, એવું પણ બને. બીજાને ત્યાં બને એ મારે ત્યાં પણ બની જાય. બીજાની જેમ અત્યારે હું અંતરથી કાયર કે દુ:ખી બની મારાં કર્મોમાં શ્રદ્ધા ગુમાવી જ્યાં ત્યાં ભીખ માગતો નહીં ફરું. મેં મારી અંતરની દુનિયા આ પળ માટે તૈયાર કરી છે. સારી ઘડિયાળની કિંમત ડાયલ ઉપરથી નહિ પણ એના મશીન ઉપરથી, Jain Education International ૪૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only હાર્ટ ઍટેક થઈ હા, આ હૃદય www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy